For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોલર એનર્જી 3 લાખ ભારતીયોને આપશે રોજગાર

|
Google Oneindia Gujarati News

આવનારા 10 વર્ષમાં અન્ય કોઇ નહીં પણ ભગવાન સૂર્યદેવ ભારતને રોજગારી આપશે. વાત આપના માન્યામાં નથી આવતી પણ હકીકત તો આ જ છે. આ વાત અમે નથી કહી રહ્યા. એક રિપોર્ટમાં આમ જણાવવામાં આવ્યું છે. બ્રિજ ટુ ઇન્ડિયાની એક રિપોર્ટ અનુસાર આવનારા 10 વર્ષોમાં સૌર ઉર્જાના નાના નાના પ્લાન્ટની મદદથી લાખો ભારતીયોને રોજગારના અવસર ઉપલબ્ધ બનવાના છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં નાના નાના ઘરોના છાપરાઓ ઉપર પણ રૂફટોપ સૌર પેનલ લગાવવામાં આવશે. આ કારણે દેશમાં આવનારા 10 વર્ષમાં ત્રણ લાખથી વધારે રોજગાર ઉભા થશે. કહેવામાં આવ્યું છે કે નાનકડું રૂફ ટોપ દેશમાં રોજગાર સર્જનની મોટી ભૂમિકા અદા કરશે. આ કામ એટલું ઝડપી ગતિથી થશે કે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. આ કારણે એક ધારણા અનુસાર અંદાજે 3.25 લાખ રોજગાર ઉભા થશે.

solar-plant-03

આ અંગે એક અંગ્રેજી બિઝનેસ દૈનિક બિઝનેસ સ્ટાન્ડર્ડમાં આવેલા સમાચાર અનુસાર તેમાં સ્મોલ રૂફટોપ, યુટિલિટી સ્કેલ યોજનાઓ અને અને મોટી યોજનાઓનો સમાવેશ થાય છે. સ્મોલ રૂફટોપ અને સૌર ઉર્જા યોજનાનું સરેરાશ કદ ત્રણ કિલોવોટ પીક (કેડબલ્યુપી) છે. જ્યારે લાર્જ રૂફટોપ યોજનાનું કદ અંદાજે 250 કેડબલ્યુપી છે. યુટિલિટી યોજનાનું કદ 20 મેગાવોટ અને અત્યંત મોટી યોજનાનું કદ 1000 મેગાવોટ છે.

English summary
Now, Solar enargy will give employment to 3 lakh Indians.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X