EPF Interest Hike : નોકરિયાત વર્ગને મોટો ફાયદો થશે, આ વર્ષે વધશે PF પરનું વ્યાજ
નોકરિયાત વર્ગ માટે પીએફનું અલગ મહત્વ છે.પીએફમાં રૂપિયા જમા થવા સાથે દર વર્ષે મોટુ વ્યાજ પણ મળે છે. આવતા વર્ષે પણ પીએફ પર સારૂ વ્યાજ મળવા જઈ રહ્યું છે.
આ માહિતી ખાસ એ લોકો માટે છે જે નોકરી કરી રહ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠક બાદ મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

જણાવી દઈએ કે, આ બેઠક બાદ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને વ્યાજ દર વધારીને 8.25 ટકા કરી દીધો છે. આના કારણે જે લોકો તેમના પીએફમાં પૈસા કાપી રહ્યા છે તેમને ગયા વર્ષ કરતા વધુ વ્યાજ મળશે. ગયા વર્ષે આ વ્યાજદર 8.15 ટકા હતો.
આ સમાચારે નોકરીયાત લોકોને રાહત આપી છે. હવે તમને પહેલા કરતા વધુ વ્યાજ મળશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠક પહેલા જ ઈપીએફ પર વ્યાજ દર વધારવાના સંકેત આપવામાં આવ્યા હતા.
મીટીંગ અંગે માહિતી આપતાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને કહ્યું કે, મોંઘવારીની અસરને જોતા આ વખતે કર્મચારી ભવિષ્ય નિધિના વ્યાજદરમાં વધારો થવાની સંભાવના છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, EPFO દ્વારા વ્યાજ દરમાં વધારો કરવાના આ નિર્ણયથી દેશભરના 6.5 કરોડથી વધુ પગારધારકોને ફાયદો થશે.
જણાવી દઈએ કે, વ્યાજ દર વધારવાનું મુખ્ય કારણ EPFOને રોકાણ પર સારું વળતર મેળવવાનું છે. મીડિયા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ નાણાકીય વર્ષમાં EPFO એ ઇક્વિટી અને અન્ય ક્ષેત્રોમાં રોકાણ કર્યું છે અને તેના પર સંસ્થાને ઉત્તમ વળતર મળ્યું છે.
આ સાથે કોવિડ માટે ઉપાડવામાં આવતી રકમમાં કોઈ નોંધપાત્ર વધારો થયો નથી. જણાવી દઈએ કે શનિવારે યોજાયેલી બેઠક ટ્રસ્ટીઓની 235મી બેઠક હતી.
જો કે બોર્ડ દ્વારા પસાર કરાયેલા પ્રસ્તાવને મંજૂરી બાદ નાણા મંત્રાલયને મોકલવો પડશે. એકવાર આ વ્યાજ દર નાણા મંત્રાલય દ્વારા પસાર થઈ જશે ત્યારબાદ જ આ વ્યાજ દર લોકોના ખાતામાં જમા થશે.
નોંધનીય છે કે, અગાઉ કર્મચારી ભવિષ્ય નિધિ ખાતામાં મળતું વ્યાજ 8.15 ટકા હતું. જે 2023 માં વધારાયુ હતું. આ પહેલા ભવિષ્ય નિધિ ખાતા ધારકોને 8.1 ટકા વ્યાજ મળતું હતું.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી








Click it and Unblock the Notifications
