EPF Interest Hike : નોકરિયાત વર્ગને મોટો ફાયદો થશે, આ વર્ષે વધશે PF પરનું વ્યાજ
નોકરિયાત વર્ગ માટે પીએફનું અલગ મહત્વ છે.પીએફમાં રૂપિયા જમા થવા સાથે દર વર્ષે મોટુ વ્યાજ પણ મળે છે. આવતા વર્ષે પણ પીએફ પર સારૂ વ્યાજ મળવા જઈ રહ્યું છે.
આ માહિતી ખાસ એ લોકો માટે છે જે નોકરી કરી રહ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠક બાદ મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

જણાવી દઈએ કે, આ બેઠક બાદ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને વ્યાજ દર વધારીને 8.25 ટકા કરી દીધો છે. આના કારણે જે લોકો તેમના પીએફમાં પૈસા કાપી રહ્યા છે તેમને ગયા વર્ષ કરતા વધુ વ્યાજ મળશે. ગયા વર્ષે આ વ્યાજદર 8.15 ટકા હતો.
આ સમાચારે નોકરીયાત લોકોને રાહત આપી છે. હવે તમને પહેલા કરતા વધુ વ્યાજ મળશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠક પહેલા જ ઈપીએફ પર વ્યાજ દર વધારવાના સંકેત આપવામાં આવ્યા હતા.
મીટીંગ અંગે માહિતી આપતાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને કહ્યું કે, મોંઘવારીની અસરને જોતા આ વખતે કર્મચારી ભવિષ્ય નિધિના વ્યાજદરમાં વધારો થવાની સંભાવના છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, EPFO દ્વારા વ્યાજ દરમાં વધારો કરવાના આ નિર્ણયથી દેશભરના 6.5 કરોડથી વધુ પગારધારકોને ફાયદો થશે.
જણાવી દઈએ કે, વ્યાજ દર વધારવાનું મુખ્ય કારણ EPFOને રોકાણ પર સારું વળતર મેળવવાનું છે. મીડિયા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ નાણાકીય વર્ષમાં EPFO એ ઇક્વિટી અને અન્ય ક્ષેત્રોમાં રોકાણ કર્યું છે અને તેના પર સંસ્થાને ઉત્તમ વળતર મળ્યું છે.
આ સાથે કોવિડ માટે ઉપાડવામાં આવતી રકમમાં કોઈ નોંધપાત્ર વધારો થયો નથી. જણાવી દઈએ કે શનિવારે યોજાયેલી બેઠક ટ્રસ્ટીઓની 235મી બેઠક હતી.
જો કે બોર્ડ દ્વારા પસાર કરાયેલા પ્રસ્તાવને મંજૂરી બાદ નાણા મંત્રાલયને મોકલવો પડશે. એકવાર આ વ્યાજ દર નાણા મંત્રાલય દ્વારા પસાર થઈ જશે ત્યારબાદ જ આ વ્યાજ દર લોકોના ખાતામાં જમા થશે.
નોંધનીય છે કે, અગાઉ કર્મચારી ભવિષ્ય નિધિ ખાતામાં મળતું વ્યાજ 8.15 ટકા હતું. જે 2023 માં વધારાયુ હતું. આ પહેલા ભવિષ્ય નિધિ ખાતા ધારકોને 8.1 ટકા વ્યાજ મળતું હતું.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
