આયાતી રાંધણ તેલના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો થશે, જાણો કારણ
કેન્દ્રએ બુધવારના રોજ ખાદ્ય તેલ ઉત્પાદન અને માર્કેટિંગ કંપનીઓને આયાતી રસોઈ તેલ - પામ, સૂર્યમુખી અને સોયાબીનની મહત્તમ છૂટક કિંમત (MRP) માં 10-12 રૂપિયા પ્રતિ લીટર સુધીનો ઘટાડો કરવા જણાવ્યું છે.
નવી દિલ્હી : કેન્દ્રએ બુધવારના રોજ ખાદ્ય તેલ ઉત્પાદન અને માર્કેટિંગ કંપનીઓને આયાતી રસોઈ તેલ - પામ, સૂર્યમુખી અને સોયાબીનની મહત્તમ છૂટક કિંમત (MRP) માં 10-12 રૂપિયા પ્રતિ લીટર સુધીનો ઘટાડો કરવા જણાવ્યું છે. સરકારે કંપનીઓને જણાવ્યું હતું કે, તેમની વધેલી ઉપલબ્ધતાને કારણે આંતરરાષ્ટ્રીય કિંમતોમાં તાજેતરના ઘટાડાને ધ્યાનમાં રાખીને કિંમતોમાં ફેરફાર એક સપ્તાહની અંદર પ્રતિબિંબિત થવાનું શરૂ કરવું જોઈએ.

તમામ મોટી કંપનીઓના પ્રતિનિધિઓ ભાવ ઘટાડવા સહમત
ભારત તેની ખાદ્યતેલની લગભગ 60 ટકા માગ આયાતથી પૂરી કરે છે અને તેથી આંતરરાષ્ટ્રીય ભાવમાં થતી વધઘટની સીધી અસરસ્થાનિક બજાર પર પડે છે.
અધિકારીઓએ જણાવ્યું કે, તમામ મોટી કંપનીઓના પ્રતિનિધિઓ ભાવ ઘટાડવા અને આગામી એક સપ્તાહમાંકેન્દ્રની સલાહનું પાલન કરવા સહમત થયા છે.

આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડો થયો
કેન્દ્રીય ખાદ્ય સચિવ સુધાંશુ પાંડે અધ્યક્ષતામાં બેઠકમાં હાજરી આપનાર એક સૂત્રએ જણાવ્યું હતું કે, તેનાથી ગ્રાહકોને થોડી વધારાની રાહતમળશે. છેલ્લા એક મહિનામાં મગફળી અને વનસ્પતિ સિવાય તમામ મુખ્ય ખાદ્યતેલોના ભાવમાં નજીવો ઘટાડો નોંધાયો છે.
છેલ્લા કેટલાકમહિનામાં સરકારે લીધેલા પગલાંને કારણે પણ ભાવમાં ઘટાડો થયો છે. જ્યારે આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડો થયો હોય, ત્યારે તેમનેઅગાઉના દરે વેચાણ ચાલુ રાખવાની મંજૂરી આપી શકાય નહીં.

સમાન બ્રાન્ડના તેલની MRP માં તફાવત લગભગ 3-5 રૂપિયા પ્રતિ લીટર છે
સરકારે મીટિંગમાં જણાવ્યું હતું કે, કેવી રીતે છેલ્લા એક સપ્તાહમાં વૈશ્વિક ભાવમાં ઘટાડો થયો છે. તેણે તેમને સમગ્ર દેશમાં સમાન બ્રાન્ડનાતેલ માટે એમઆરપીની સમાનતા સુનિશ્ચિત કરવા પણ કહ્યું હતું. હાલમાં, વિવિધ પ્રદેશોમાં સમાન બ્રાન્ડના તેલની MRP માં તફાવતલગભગ 3-5 રૂપિયા પ્રતિ લીટર છે.

ખાદ્ય તેલ 15 ડિગ્રી સેલ્સિયસ પર પેક કરવામાં આવે છે
મંત્રાલયે અન્યાયી વેપાર પ્રથાઓ સંદર્ભે ખાદ્ય તેલની બ્રાન્ડ્સ સામે ગ્રાહકોની વધતી ફરિયાદોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. સમાચાર એજન્સીપીટીઆઈએ પાંડેને ટાંકીને જણાવ્યું હતું કે, કેટલીક કંપનીઓ એવી પેકેજિંગ ધરાવે છે જે દાવો કરે છે કે, ખાદ્ય તેલ 15 ડિગ્રી સેલ્સિયસ પરપેક કરવામાં આવે છે.

વાસ્તવિક વજન 900 ગ્રામ ઓછું હશે
સેક્રેટરીએ જણાવ્યું હતું કે, આદર્શ રીતે, તેઓએ 30 ડિગ્રી સેલ્સિયસ પર પેક કરવું જોઈએ. 15 ડિગ્રી સેલ્સિયસ પર પેક કરવાથી તેલ વિસ્તરેછે અને વજન ઓછું થાય છે, પરંતુ ઘટેલું વજન પેકેજ પર છાપવામાં આવતું નથી, જે અયોગ્ય વેપાર પ્રથા છે.
ઉદાહરણ તરીકે, કંપનીઓછાપી રહી છે કે, 910 ગ્રામનું ખાદ્ય 15 ડિગ્રી સેલ્સિયસ પર પેક કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક વજન 900 ગ્રામ ઓછું હશે.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી






Click it and Unblock the Notifications
