1 જૂનથી બદલાશે રેલવે, LPG, રાશન કાર્ડ અને વિમાન સેવાના આ નિયમો, જે જાણવા જરૂરી
આવો આપને જણાવીએ કે કેવી રીતે 1 જૂન 2020થી બદલાતા નિયમ તમારા જીવન પર અસર કરશે.
મેનો મહિનો ખતમ થવાનો છે તેમજ લૉકડાઉન પણ 4થી 31 મેના રોજ પૂરુ થઈ જશે. મેના રોજ ખતમ થવા સાથે જ નવા મહિનાની શરૂઆત થશે અને ઘણી વસ્તુઓ બદલાઈ જશે. જ્યાં લોકોને આશા છે કે 1 જૂનથી સરકાર ઘણી રાહત આપવાની છે ત્યાં 1 જૂન 2020થી તમારી આસપાસ ઘણી વસ્તુઓ બદલાઈ જશે. ભલે તે રેલવે હોય, વિમાન સેવા હોય કે પછી રાશન કાર્ડ સંબંધિત હોય કે પછી તમારા એલપીજી સિલિન્ડર. 1 જૂનથી ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. આવો આપને જણાવીએ કે કેવી રીતે 1 જૂન 2020થી બદલાતા નિયમ તમારા જીવન પર અસર કરશે.

1 જૂનથી શરૂ થશે મોદી સરકારની ખાસ સ્કીમ
1 જૂનથી મોદી સરકારની ખાસ સ્કીમ શરૂ થવા જઈ રહી છે. 1 જૂનથી વન નેશન વન રાશન કાર્ડ સરકારી સ્કીમની શરૂઆત કરવામાં આવશે. દેશભરના 20 રાજ્યોમાં આ સ્કીમ લાગુ થશે. આ સરકારી યોજનાના લાગુ થયા બાદ દેશભરમાં એક રાશન કાર્ડ લાગુ થઈ જશે. લોકો કોઈ પણ રાજ્યમાં પોતાના રાશન કાર્ડથી સરકારી અનાજ અને રાશન લઈ શકે છે. આ સરકારી યોજનાથી મોટી સંખ્યામાં ગરીબ વર્ગ અને પ્રવાસીઓને લાભ મળશે જે બીજા રાજ્યોમાં કામકાજ માટે જતા રહે છે.

1 જૂનથી મોંઘુ થશે પેટ્રોલ
1 જૂનથી ઘણા રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો થઈ જશે. વાસ્તવમાં લૉકડાઉનના કારણે પેટ્રોલ-ડીઝલની માંગમાં ઘટા઼ડો આવ્યો ત્યારબાદ ઘણા રાજ્યોએ પેટ્રોલ-ડીઝલના ભાવ પર વેટ વધારવાનો નિર્ણય કર્યો છે. વેટ વધારવાથી પેટ્રોલના ભાવ થશે. મિઝોરમ સરકારે 1 જૂનથી રાજ્યમાં પેટ્રોલ પર 2.5 ટકા અને ડીઝલ પર 5 ટકા વેટ વધારવાનો નિર્ણય કર્યો.

શરૂ થશે આ એરલાઈન્સની સર્વિસ
ફ્લાઈટ સર્વિસ આપનાર એરલાઈન્સ કંપની ગો એર 1 જૂનથી પોતાની સર્વિસ ફરીથી શરૂ કરવા જઈ રહ્યા છે. સરકારની ગાઈડલાઈન્સ આધારે ગો એર 1 જૂનથી પોતાની ફ્લાઈટ સર્વિસને એક વાર ફરીથી શરૂ કરશે. 25 મેથી દેશભરમાં ઉડાન સેવાઓને લીલી ઝંડી આપી દેવામાં આવી ત્યારબાદ ગોએરને છોડીને લગભગ બધી એરલાઈન્સે પોતાની સર્વિસિસ શરૂ કરી દીધી છે.

1 જૂને બદલાઈ જશે LPG સિલિન્ડરના ભાવ
તમને જણાવી દઈએ કે 1 જૂને એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થશે. દર મહિનાની 1 તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થાય છે. આ હેઠળ 1 જૂન, 2020ના રોજ એક વાર ફરીથી એલપીજી સિલિન્ડરના ભાવોમાં ફેરફાર થશે. ગયા મહિને ગેસ સિલિન્ડરા ભાવમાં ઘટાડો થયો હતો. આ ઉપરાંત 1 જૂનથી યુપી રોડવેઝની બસો ચાલવા લાગશે. આ દરમિયાન ચાલતી બસોમાં મુસાફરોની સંખ્યા સીમિત હશે. બસ ચાલકોને નિર્ધારિત ગાઈડલાઈન્સનુ પાલન કરવાનુ રહેશે.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન










Click it and Unblock the Notifications
