કોબ્રાપોસ્ટના ખુલાસાઓમાં સચ્ચાઇ : ડી સુબ્બારાવ

અર્થશાસ્ત્ર પર આર એલ સિંઘવી એએમએ વાર્ષિક સ્મૃતિ વ્યાખ્યાનમાં પ્રશ્નોત્તરી સેક્શન દરમિયાન સુબ્બારાવે જણાવ્યું કે 'અમે એ બેંકોનો અભ્યાસ કર્યો છે. તેમની તપાસ પણ કરી છે. ઉંડાણથી તે બેંકોના વ્યવહારોનો અભ્યાસ કર્યા બાદ તે બેંકોના વ્યવસ્થાપકોને નોટિસ ફટકારી છે. તેમની સામે યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે. કોબ્રાપોસ્ટના ખુલાસા બાદ રિઝર્વ બેંકે દેશની ખાનગી અને જાહેર બેંકોના કામકાજની તપાસ શરૂ કરી હતી.'
ઉલ્લેખનીય છે કે ગયા મહિને કોબ્રાપોસ્ટે જાહેર કરેલા પોતાના સ્ટિંગ ઓપરેશનમાં અગ્રણી બેંકો દ્વારા મની લોન્ડ્રિંગ કરવામાં આવતું હોવાના આરોપો મુક્યા હતા. શરૂઆતમાં આઇસીઆઇસીઆઇ બેંક, એક્સિસ બેંક તથા એચડીએફસી બેંક અંગે ખુલાસો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ 23 જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો તથા વીમાં કંપનીઓ પર મની લોન્ડ્રિંગનો આરોપ લગાવ્યો હતો.
ડી સુબ્બારાવે એમ પણ જણાવ્યું કે 'હું એમ નથી કહી રહ્યો કે જે ખુલાસો થયો છે તે બધું જ થયું છે. પણ તેમાં થોડી સચ્ચાઇ તો છે. અમે આકલન કરીશું કે ક્યાં ખોટું થયું છે, કેટલું ખોટું થયું છે. અને આકલનના આધારે આગળની કાર્યવાહી કરીશું.' તેમણે એમ પણ જણાવ્યું કે મની લોન્ડ્રિંગ માટે બેંકોને જવાબદાર ઠેરવી શકાય નહીં. કારણ કે તેમનું કામ જમા કરવામાં આવેલી રકમના સ્રોતની તપાસ કરવાનું નથી.
સુબ્બારાવે જણાવ્યું કે 'અમે ચોક્કસ રીતે કામગીરી કરવા માંગીએ છીએ. જો કશુંક શંકાસ્પદ કે શકાસ્પદ વ્યવહારો જણાશે તો તે અંગે માહિતી આપવાની પદ્ધતિ છે. બેંકો પાસે આશા રાખવામાં આવે છે કે તેઓ આ અંગે રિપોર્ટ કરશે. જો બેંકો આવું કરતી નહીં હોય તો અમે બેંકો સામે કાર્યવાહી કરીશું.' નોંધનીય છે કે રિઝર્વ બેંક ઉપરાંત નાણા મંત્રાલય અને વીમા નિયામક ઇરડા પણ ઓનલાઇન પોર્ટલ કોબ્રાપોસ્ટના આરોપોની તપાસ કરી રહ્યાં છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ











Click it and Unblock the Notifications
