રૂપિયો નબળો પડતા ભારતીય કંપનીઓ જોબ કટના માર્ગે

ભારતમાં આયાત નિકાસ સાથે સંકળાયેલા ઘણા ઉદ્યોગો મંદીના વંટોળમાં લપેટાયા છે. ઓટોમોબાઈલ સેક્ટરમાં તો છેલ્લા કેટલાક સમયથી નરમાઈનો માહોલ જોવા મળી જ રહ્યો છે, પરંતુ હવે ધીમે ધીમે ફાર્મા અને આઈટી કંપનીઓ પણ નરમ પડતા રૂપિયાને કારણે મંદીની ઝપટમાં આવી રહ્યા છે.
બજાજ ઓટોના પ્લાન્ટમાં કર્મચારીઓ દ્વારા છેલ્લા કેટલાય સમયથી વેતન વધારાના મુદે્ હડતાળ કરવામાં આવી છે અને હવે આગામી ટૂંક સમયમાં આ વિસ્તારમાં આવેલા અન્ય 100 કંપનીઓના યુનિયન પણ આ હડતાળમાં સંકળાય તેવી શક્યતા છે. જો બજાજ ઓટોની હડતાળ લાંબી ચાલશે તો કંપનીના મેનેજમેન્ટ દ્વારા તે કર્મચારીઓની છટણી કરવામાં આવે તેવી શક્યતા પણ જોવા મળી રહી છે.
તાજેતરમાં મારુતિ સુઝુકીના માનેસર પ્લાન્ટમાં કોન્ટ્રાક્ટ આધારિત 200 કર્મચારીઓને અનિશ્ચિત મુદ્તની રજા પર મોકલવાની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ફાર્મા કંપની રેનબેક્સી તેની વિશ્વની બધી જ સાખાઓમાં થઈને કુલ 400 કર્મચારીની છટણી કરવાની છે.
સિમેન્સ કંપનીએ 200 કર્મચારીની છટણી કરી છે અને વધુ 400 કર્મચારીની છટણી કરે એવી શક્યતા છે. એચસીએલ ટેક્નોલોજી દ્વારા પણ 800 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. કંપનીએ 2011માં નિમણૂક કરેલા ગ્રેજ્યુએટમાં માત્ર 20 ટકા કર્મચારીઓને જ કામ પર રાખવામાં આવ્યા છે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
