RBI ગવર્નર ઉર્જિત પટેલનો પગાર કેટલો છે?
આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલનો પગાર વધી ગયો છે. અને હવે તેમની સેલરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતા પણ વધી ગઇ છે.
આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલનો પગાર વધી ગયો છે. નોટબંધી પછી જો કોઇને વેતન વધારાનો સારો ફાયદો મળ્યો હોય તો તે છે ઉર્જિત પટેલ. આરબીઆઇ ના ગવર્નર ઉર્જિત પટેલની બેઝિક સેલેરી 3 ધણી વધી છે. અને હવે આરબીઆઇના ગવર્નર ઉર્જિત પટેલની બેઝિક સેલરી 2.50 લાખ રૂપિયા થઇ ગઇ છે. નોંધનીય છે કે પહેલા આરબીઆઇ ગવર્નરની સેલરી 90 હજાર રૂપિયા હતી. જેમાં અન્ય ભથ્થા જોડતા તેમની સેલરી 2,09,500 લાખ રૂપિયા થઇ ગઇ છે.
ત્યારે અહીં વિગતવાર જાણો કે આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલનો હાલ પગાર કેટલો છે. સાથે જ જાણો કે કેવી રીતે તેમનો પગાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પણ કેવી રીતે વધારે છે. અને ડેપ્યુટી ગવર્નરના પગાર અંગે પણ ચોખવટ આ લેખમાં મેળવો.

ઉર્જિત પટેલ
ઉર્જિત પટેલની બેઝિક સેલેરી 3 ધણી વધી છે. અને હવે આરબીઆઇના ગવર્નર ઉર્જિત પટેલની બેઝિક સેલરી 2.50 લાખ રૂપિયા થઇ ગઇ છે. જો ક હવે તેમની બેઝિક સેલરી વધારવામાં આવી છે. અને અન્ય ભથ્થા જોડીને હવે તેમનો પગાર થાય છે 3.70 લાખ રૂપિયા.

ડેપ્યુટી ગવર્નર
એટલું જ નહીં આરબીઆઇના ડેપ્યુટી ગવર્નરનો પગાર પણ વધારવામાં આવ્યો છે. અને ડેપ્યુટી ગવર્નર કે જેમની પહેલા બેઝિક સેલરી 80 હજાર રૂપિયા હતી. તે હવે વધીને 2.25 લાખ રૂપિયા થઇ ગઇ છે. 1 જાન્યુઆરી 2016થી વધારવામાં આવી છે. એટલે કે 1 જાન્યુઆરી 2016થી લઇને હાલ સુધીનો પગાર વધતા તેમને એરિયર આપવામાં આવશે. સાથે જ અનેક બેંકોના મોટા અધિકારીઓનો પગાર પણ વધારવામાં આવ્યો છે.

પીએમ મોદી
નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પગાર 1 લાખ 70 હજાર રૂપિયાની આસપાસ છે. ત્યારે આરબીઆઇના ગવર્નર કરતા તેમના આ પગાર ઓછો છે. તો જો તમે એ વાતનું દુખ કરતા હોવ કે તમારો પગાર નથી વધ્યો તો તમે આ સમાચાર વાંચી તમારું મન મનાવી શકવા એક બહાનું નીકાળી શકો છો.

રધુરામ રંજન
એટલું જ નહીં ભૂતપૂર્વ આરબીઆઇ ગવર્નર રધુરામ રંજન કે જેમણે સપ્ટેમ્બર 2016માં નિવૃત્તિ લીધી હતી. તેમને પણ 9 મહિનાનો આ વધારાનો પગાર એરિયરના રૂપમાં મળશે. અને સપ્ટેમ્બર પછી જ્યારે ઉર્જિત પટેલ ગવર્નર બન્યા તેનો એરિયર ઉર્જિત પટેલને મળશે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
