RBI ગવર્નર ઉર્જિત પટેલનો પગાર કેટલો છે?
આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલનો પગાર વધી ગયો છે. અને હવે તેમની સેલરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતા પણ વધી ગઇ છે.
આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલનો પગાર વધી ગયો છે. નોટબંધી પછી જો કોઇને વેતન વધારાનો સારો ફાયદો મળ્યો હોય તો તે છે ઉર્જિત પટેલ. આરબીઆઇ ના ગવર્નર ઉર્જિત પટેલની બેઝિક સેલેરી 3 ધણી વધી છે. અને હવે આરબીઆઇના ગવર્નર ઉર્જિત પટેલની બેઝિક સેલરી 2.50 લાખ રૂપિયા થઇ ગઇ છે. નોંધનીય છે કે પહેલા આરબીઆઇ ગવર્નરની સેલરી 90 હજાર રૂપિયા હતી. જેમાં અન્ય ભથ્થા જોડતા તેમની સેલરી 2,09,500 લાખ રૂપિયા થઇ ગઇ છે.
ત્યારે અહીં વિગતવાર જાણો કે આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલનો હાલ પગાર કેટલો છે. સાથે જ જાણો કે કેવી રીતે તેમનો પગાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પણ કેવી રીતે વધારે છે. અને ડેપ્યુટી ગવર્નરના પગાર અંગે પણ ચોખવટ આ લેખમાં મેળવો.

ઉર્જિત પટેલ
ઉર્જિત પટેલની બેઝિક સેલેરી 3 ધણી વધી છે. અને હવે આરબીઆઇના ગવર્નર ઉર્જિત પટેલની બેઝિક સેલરી 2.50 લાખ રૂપિયા થઇ ગઇ છે. જો ક હવે તેમની બેઝિક સેલરી વધારવામાં આવી છે. અને અન્ય ભથ્થા જોડીને હવે તેમનો પગાર થાય છે 3.70 લાખ રૂપિયા.

ડેપ્યુટી ગવર્નર
એટલું જ નહીં આરબીઆઇના ડેપ્યુટી ગવર્નરનો પગાર પણ વધારવામાં આવ્યો છે. અને ડેપ્યુટી ગવર્નર કે જેમની પહેલા બેઝિક સેલરી 80 હજાર રૂપિયા હતી. તે હવે વધીને 2.25 લાખ રૂપિયા થઇ ગઇ છે. 1 જાન્યુઆરી 2016થી વધારવામાં આવી છે. એટલે કે 1 જાન્યુઆરી 2016થી લઇને હાલ સુધીનો પગાર વધતા તેમને એરિયર આપવામાં આવશે. સાથે જ અનેક બેંકોના મોટા અધિકારીઓનો પગાર પણ વધારવામાં આવ્યો છે.

પીએમ મોદી
નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પગાર 1 લાખ 70 હજાર રૂપિયાની આસપાસ છે. ત્યારે આરબીઆઇના ગવર્નર કરતા તેમના આ પગાર ઓછો છે. તો જો તમે એ વાતનું દુખ કરતા હોવ કે તમારો પગાર નથી વધ્યો તો તમે આ સમાચાર વાંચી તમારું મન મનાવી શકવા એક બહાનું નીકાળી શકો છો.

રધુરામ રંજન
એટલું જ નહીં ભૂતપૂર્વ આરબીઆઇ ગવર્નર રધુરામ રંજન કે જેમણે સપ્ટેમ્બર 2016માં નિવૃત્તિ લીધી હતી. તેમને પણ 9 મહિનાનો આ વધારાનો પગાર એરિયરના રૂપમાં મળશે. અને સપ્ટેમ્બર પછી જ્યારે ઉર્જિત પટેલ ગવર્નર બન્યા તેનો એરિયર ઉર્જિત પટેલને મળશે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
