ઇન્કમટેક્સ રિટર્ન ફોર્મ (ITRV) શા માટે સ્પીડ પોસ્ટથી મોકલવું જોઇએ?
જુલાઇ મહિનાના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે. આ કારણે વાર્ષિક રૂપિયા 5 લાખથી વધારે આવક ધરાવતી વ્યક્તિઓએ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત છે. ઇ રિટર્ન ફાઇલ કર્યા બાદ આપે ITR V હાર્ડ કોપી અથવા તો પેપર કોપી જે વાસ્તવમાં સ્વીકૃતિ પહોંચ છે. આ એક્નોલોજ ફોર્મને બેંગલોરમાં આવેલી ઇન્કમ ટેક્સ વિભાગના સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટમાં મોકલવાનું હોય છે. આ માટે સરકાર દ્વારા માત્ર પોસ્ટ અને સ્પીડ પોસ્ટને જ મંજૂરી આપી છે. આ દસ્તાવેજ કુરિયર દ્વારા મોકલી શકાતો નથી.
અનેક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ તેમના ક્લાયન્ટ્સ વતી ITR V ફોર્મ પોસ્ટ કરતા હોય છે. આવા સમયે પોસ્ટ દ્વારા મોકલવામાં આવતા ITR V ફોર્મમાં કશું જ અયોગ્ય નથી. પરંતુ ક્યારેક આ ફોર્મ રિસિવ ના થયું તો? જો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તેને સ્વીકારવામાં આવતું નથી તો આપે ફરીથી સાઇન કરીને તેને મોકલવાનું રહે છે. આ કારણે તમારા રિફન્ડ મેળવવાની પ્રક્રિયામાં સમયનો દુરુપયોગ થવા સાથે વિલંબ પણ થાય છે.

વળી કેટલાક કિસ્સાઓમાં એવું પણ બને છે કે એક વર્ષ પછી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટવાળા એમ કહે છે કે તેમને મળ્યું નથી. તો આપને કેટલો આંચકો લાગી શકે છે તે આપ સારી રીતે સમજી શકો છો. આવા સમયે આપે રિફન્ડ મેળવવાનું ના હોયો તો બહુ વાંધો આવતો નથી, પરંતુ જો આપે રિફન્ડ મેળવવાનું હોય તો કેટલો બધો વિલંબ થયો તે સમજી શકાય છે.
આ કારણે શ્રેષ્ઠ વિકલ્પ એ જ છે કે આપ ITR V ફોર્મ સ્પીડ પોસ્ટ દ્વારા મોકલી આપો. તેના કારણે આપ એટલી તો ખાતરી મેળવી જ શકશો કે આપનું ફોર્મ રસ્તામાં ગુમ થયું નથી અને નિયત સ્થળે પહોંચી ગયું છે. અહીં મહત્વની બાબત એ પણ છે કે ઇ રિટર્ન ફાઇલ કર્યા બાદ આ ફોર્મ 120 દિવસમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને મળી જાય એ જરૂરી છે. ત્યાર બાદ ઇન્કમ ટેક્સ વિભાગ તેની સ્વીકૃતિ આપતા ચાર સપ્તાહ જેટલો સમય લેશે.
આપની સુવિધાને ધ્યાનમાં રાખીને ITR V ફોર્મ બેંગલોરમાં કયા સરનામે મોકલવાનું છે તે અહીં આપી રહ્યા છે તે નોંધી લેશો.
Post Bag No.1, Electronic City Post Office, Bengaluru-560100 (Karnataka).
અહીં બીજી એક ખાસ વાત યાદ રાખજો કે આપે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી દીધું હોય તો વાંધો નથી. જો ફાઇલ કર્યું ના હોય તો ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઇ, 2014 છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
