Fact Check: શું કોરોના વેક્સીન લેવાથી માનવ DNA બદલાઈ જશે? જાણો દાવાનું સત્ય
Fact Check: શું કોરોના વેક્સીન લેવાથી માનવ DNA બદલાઈ જશે? જાણો દાવાનું સત્ય
નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીથી નિપટવા માટે દુનિયાભરના દેશોને કોવિડ 19 વેક્સીનનો આતુરતાથી ઈંતેજાર છે. કેટલાય દેશના વૈજ્ઞાનિકો આ દિશામાં સતત કામ કરી રહ્યા છે, કેટલીક વેક્સીને ટ્રાયલ દરમ્યાન કોરોના સામે અસરકારક રિઝલ્ટ આપ્યાં છે. એક તરફ જ્યાં બધા કોરોના વેક્સીનનો ઈંતેજાર કરી રહ્યા છે ત્યાં બીજી તરફ સોશિયલ મીડિયા પર વેક્સીનને લઈ અજીબોગરીબ દાવા કરવામાં આવી રહ્યા છે. કોરોના વેક્સીનને લઈ હાલ એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે જેમાં કોરોના વેક્સીન લેવાથી માનવ શરીરના ડીએનએ બદલાઈ શકે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.

કોરોના વાયરસથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે, અને લોકો જલદીમાં જલદી આ મહામારીથી છૂટકારો મેળવવા માંગે છે, એવામાં લોકો વેક્સીન વિશે વધુમાં વધુ જાણકારી ઈન્ટરનેટ પર સર્ચ કરી રહ્યા છે. એવામાં કેટલાક સોશિયલ મીડિયા પર કોરોના વેક્સીનને લઈ લોકોમાં ખોટી ધારણા ફેલાઈ રહે છે. વાયરલ થયેલ વીડિયો સાથે એક પોસ્ટ પણ શેર કરવામાં આવી છે, જેમાં પ્રસૂતિ- સ્ત્રીરોગ નિષ્ણાંત ડૉ ક્રિસ્ટિયન નૉર્થરૂપના હવાલેથી દાવો કરવામાં આવ્યો કે આવનાર Covid-19 Vaccine માનવ ડીએનએને બદલી નાખશે.
સોશિયલ મીડિયા પર 37 મિનિટ લાંબા ઈન્ટર્વ્યૂનો માત્ર નાનો એવો ભાગ 4 મિનિટ લાંબો વીડિયો શેર કર્યો છે. જો કે વીડિયોમાં જોકે જોઈ શકાય છે કે ડૉ નૉર્થરૂપે પોતાના દાવાને સાબિત કરવા માટે એકેય પ્રમાણ રજૂ નથી કર્યાં. નિષ્ણાંતો મુજબ mRNA તમારા શરીરમાં એક મેસેંજર RNA અણુને રજૂ કરવાનું કામ કરે છે, જેનાથી કોશિકાઓ એક પ્રોટીનનું ઉત્પાદન કરે છે. આ SARS-CoV-2 સાથે મળી આવતું જ એક વાયરલ પ્રોટીન છે. વેક્સીન આ વાયરલ પ્રોટીનને ઓળખે છે અને તેની વિરુદ્ધ એક પ્રતિરક્ષા પ્રતિક્રિયાને અંજામ આપે છે. મુખ્યરૂપે તે નુકસાનકારક વાયરસ સામે એક એન્ટીબૉડી ઉત્પન્ન કરે છે.
નિષ્ણાંતો મુજબ દાવો ખોટો સાબિત થયો છે. કોરોના વાયરસ વેક્સીન માનવ ડીએનએને નહિ બદલે. પીઆઈબી ફેક્ટ ચેકે પોતાના વાયરલ વીડિયોને લઈ લોકોની ચિંતા દૂર કરી છે. PIBએ વીડિયો અને પોસ્ટનો સ્ક્રીનશૉટ શેર કરતા કહ્યું કે વાયરલ થઈ રહેલો આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. વેક્સીન માનવ ડીએનએ નહિ બદલે, આવા એકેય દાવાને સત્ય માનવાની ભૂલ ના કરો.

Fact Check
દાવો
કોરોના વેક્સીનથી માનવ ડીએનએ બદલાઈ જશે
નિષ્કર્ષ
કોરોના વેક્સીનને ડીએનએ સાથે કોઈ સંબંધ નથી
રેટિંગ
-
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા








Click it and Unblock the Notifications
