શું પાંચ પાંડવાનો અલગ અલગ પિતા હતા? જાણો શું છે સત્ય
આપણે બધા મહાભારતના કુરુ રાજવંશના રાજા પાંડુ વિષે જાણીએ છે જે પાંડવોના પિતા. યુધિષ્ઠિર, ભીમ અને અર્જૂન પાંડવની પહેલી પત્ની કુંતીના પુત્ર હતા જ્યારે નકુલ અને સહદેવ પાંડવની બીજી પત્ની માદરીની સંતાન હતા.
સાથે જ એ વાત પણ સત્ય છે કે પાંચેય પાંડવ પુત્રોના દૈવીય પિતા હતા. કારણ કે રાજા પાંડુને શ્રાપ હતો કે તે કદી પણ પિતા નહીં બની શકે.
ત્યારે શું ખરેખરમાં પાંડવોના અલગ અલગ પિતા હતા અને કેમ પાંડુ રાજાને અભિશ્રાપ મળ્યો તે જાણો આ ફોટો સ્લાઇડરમાં..

પાંડુ રાજાને અભિશ્રાપ
પાંડુ રાજાએ એક વાર હરણ સમજીને એક સાધુને તીર માર્યું હતું. ત્યારે આ સાધુએ પાંડુ રાજાને શ્રાપ આપ્યો હતો કે તે કદી પોતાનું વૈવાહિક જીવન નહીં માણી શકે. વધુમાં મહાભારતમાં પણ લખવામાં આવ્યું છે કે પાંડુ રાજા રોગગ્રસ્ત હતા.

પુત્રનું વરદાન
મહાભારત મુજબ કુંતી એક જ્ઞાની સ્ત્રી હતી. તેણે કઠોર તપ અને સાધાના કરી દેવતાઓ જોડે પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવું. એટલું જ નહીં તેણે આ સાધના પાંડુની બીજી પત્ની માદરીને પણ શીખવી આમ બન્નેને દેવીય પુત્રોની પ્રાપ્તિ થઇ.

અર્જૂનનો જન્મ
ઇન્દ્ર દેવના પુત્ર હતા અર્જૂન. તેમના જન્મ પર તમામ દેવતાઓએ ગીત ગાયા હતા. વધુમાં અર્જૂન ધનુર વિદ્યામાં કુશળ હતા.

યુધિષ્ઠિરનો જન્મ
ઋષિ દુર્વાશા દ્વારા કુંતીને વરદાન પ્રાપ્ત હતું કે તે જે દેવતાનું આહ્વાન કરશે તેને તે દેવતા દ્વારા પુત્રની પ્રાપ્તિ થશે. આ વરદાનનો ઉપયોગ કરી
ધર્મ અને ન્યાયના દેવતાનું આહ્વાહન કરતા યુધિષ્ઠિરનો જન્મ થયો.

ભીમ નો જન્મ
વાયુ દેવતાનું આહ્વાહન કરવાથી કુંતીને ભીમની પ્રાપ્તિ થઇ. ભીમ વાયુની જેમ જ અખૂટ શક્તિ હતી.

નકુલ અને સહદેવ
બે અશ્વિનોના આહ્વાહનથી પાંડુ રાજાની બીજી પત્ની માદરીને નકુલ અને સહદેવની માતા બની.

અશ્વિનોનું સત્ય
મોટા ભાગના લોકો અશ્વિન એટલે શું તે ખબર નથી. ઋગ્વેદ મુજબ અશ્વિનો ગંગા નદીમાં વાસ કરતા હતા. આ મુજબ ભીષ્મ અને નકુલ સહદેવ એક જ પરિવારના હોય તેવું બની શકે કારણ કે ભીષ્મ ગંગાના પુત્ર હતા.












Click it and Unblock the Notifications
