5 કારણો જેમણે કેજરીવાલને બનાવ્યા દિલ્હીના હીરો
નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી: આજે દિલ્હીના ઇતિહાસમાં અનોખી ઘટના ગઇ છે, આજે અરવિંદ કેજરીવાલના ઝાડુએ રાજ્યમાં એવી સફાઇ કરી છે જેની કલ્પના કોઇએ પણ ન્હોતી કરી. પોતાની જીતનો શ્રેય સામાન્ય લોકોને આપતા કેજરીવાલે જણાવ્યું કે આ સત્ય અને ઇમાનદારીની જીત છે. કેજરીવાલે સૌને જણાવ્યું કે અંહકાર કોઇએ ના કરવો જોઇએ.
કેજરીવાલની જીતની ઉજવણી માત્ર આમ આદમીએ જ નહીં પરંતુ ભાજપના ધૂર વિરોધીઓ પણ કરી રહ્યા છે. કેજરીવાલે પોતાની જીત માટે પોતાના પરિવારને કારણભૂત ગણાવ્યા. તેમણે જણાવ્યું કે પત્નીના સાથ અને પિતાજીના આશિર્વાદ વગર આ મુકામ સુધી પહોંચવું અશક્ય હતું.
આવો જાણીએ એ પાંચ કારણો જેમણે કેજરીવાલને બનાવ્યા દિલ્હીના હીરો...
ઇમાનદાર છબી
અરવિંદ કેજરીવાલની પાસે પોતાના ઇમાન વગર બીજું કઇ નથી અને તેમની ઇમાનદારીએ જ આજે લોકોની વચ્ચે તેમને હીરો બનાવી દીધા છે.
કોંગ્રેસના વોટ આપને મળ્યા
કોંગ્રેસના તમામ વોટ આપ પાર્ટીને મળ્યા કારણ કે કોંગ્રેસમાં દમના અભાવના કારણે લોકોએ ભાજપના બદલે આપની પસંદગી કરી.
જાતિ-ધર્મથી ઉપર ઊઠીને અન્નની વાત કરી
કેજરીવાલે સામાન્ય લોકો માટે ભોજન અને છતની વાત કરી, તેમણે નહી જાતિ કે નહીં ધર્મની વાત કરી, અને નહીં તેને રાજનૈતિક મુદ્દો બનાવ્યો.
ભૂલ સુધારતા આવડે છે
કેજરીવાલને પોતાની ભૂલ સુધારતા આવડે છે. એટલા માટે એક વાર ફરી દિલ્હીવાસીયોએ તેમની પર વિશ્વાસ કર્યો અને ભારે બહુમતીથી વિજયી બનાવ્યા.
ભાજપે હળવાસમાં લીધું
લોકસભા ચૂંટણીમાં મળેલી ભારે જીત અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીઓમાં મળેલી સારી એવી જીતના કારણે ભાજપને અહંકાર ભાવ આવી ગયો અને તેણે આપને હળવાશથી લીધું, જેનુ પરિણામ તેમને ભોગવવું પડ્યું.