ગુરુના ચંદ્રમાઓ પર છે એલિયન્સનું અસ્તિત્વ !!!
મંગળ પર મોકલવામાં આવેલા ઉપગ્રહ ઓપોર્ચ્યુનિટીએ પાછલા સપ્તાહે એવી અનેક બાબતોની તપાસ કરી છે જેનાથી એ વાતને સમર્થન મળે છે કે એક સમય મંગળ પર જીવન રહ્યું હશે. સૌર મંડળમાં અન્યત્ર જીવનની સંભાવનાની શોધ માટે વિજ્ઞાનીઓ ધૂળ ભરેલા મેદાનો, વિશાળ પર્વતો અને મંગળની પર્વતમાળાઓથી પણ આગળ જવું પડશે. આ માટે આપણે એસ્ટેરૉયડ બેલ્થી પણ આગળ જઇને તપાસ કરવી પડશે.
આ મથામણ દરમિયાન એક તાજા સમાચાર એવા મળી રહ્યા છે કે સૌર મંડળના સૌથી મોટા ગ્રહ ગુરુ પર અસલી જીવિત જીવો હોઇ શકે છે. ઉલ્લેખનીય છે કે રાતા ગ્રહ કહેવાતા મંગળ પર વૈજ્ઞાનિકો વર્ષો પહેલા મૃત્યુ પામેલા જીવો મળવાની શક્યતાઓ દર્શાવી છે.
અત્યાર સુધી ગુરુના 70 ચંદ્રમા હોવાની વાતના પુરાવા મળી ચૂક્યા છે. તેમાંથી ચાર ચંદ્રમા મુખ્ય છે. લો, કેલિસ્ટો, ગેનીમેડ અને યુરોપા. લો જ્વાળામુખી, ઇકળતા લાવા અને ઝેરી સલ્ફરના ગેસથી ભરેલો ચંદ્રમા છે. કેલિસ્ટો બરફથી ઢંકાયેલો છે. ગેનીમેડ અને યુરોપા પર બરફના વિશાળ પડ જમા છે જેની નીચે પાણીના સમુદ્ર આવેલા છે.
આ કારણે ગેનીમેડ અને યુરોપા પર જીવન હોવાની સંભાવના છે. પૃથ્વી પર સ્થિત દૂરદર્શિયોનો ઉપયોગ કરીને હેન્ડ અને તેમના સાથીઓએ મળીને તાજેતરમાં એ વાતની પુષ્ટિ કરી હતી કે યુરોપાની મોટા ભાગની સપાટી પર હાઇડ્રોજન પેરોક્સાઇડ મોટા પ્રમાણમાં છે. આથી મંગળની સરખામણીએ અહીં બહુકોષીય જીવો માટે પૂરતી ઉર્જા હોઇ શકે છે.
ગુરુના ચંદ્રમાઓ પર જીવન કયા સ્વરૂપે?
વિજ્ઞાની હેન્ડનું માનવું છે કે અહીંની પરિસ્થિતિને જોતાં વિશાળ કાનો વાળી એલિયન માછલીઓથી ભરેલા સમુદ્રની કલ્પના કરી શકાય એમ છે. જો કે જ્યાં સુધી તેના પુરાવા નામ મળે ત્યાં સુધી આ બાબતને અટકળ જ માનવી પડે એમ છે. આ ચંદ્રમાઓ પર જીવનની શક્યતાઓ વધી રહી છે, પણ તેનો અર્થ એ નથી કે તે જીવ છે. અન્ય એક વિજ્ઞાની કોટ્સનું કહેવું છે કે ગેનીમેડ પર જીવનની શક્યતાઓ વધારે પ્રબળ છે. કારણ કે તેની આસ પાસ ચુંબકીય ક્ષેત્ર છે. જે તેને વિકિરણથી બચાવે છે. જ્યારે યુરોપાના વાતાવરણમાં વિકિરણ વધારે છે. ગેનીમેડના તરલ સમુદ્રની ઉપર જામેલી બરફની પરત પણ તેને વિકિરણથી બચાવે છે.
જો કે અત્યારની યોજનાઓમાં વિનાવિલંબે આગળ વધીએ તો પણ ગુરુ સુધી પહોંચતા 17 વર્ષ લાગશે જ્યારે ગેનીમેડની કક્ષા સુધી પહોંચતા 19 વર્ષ લાગે એમ છે. જો ગેનીમેડ અને યુરોપા પર જીવન મળી આવે છે તો એ બાબતની સંભાવનાઓ વધી જાય છે કે બ્રહ્માંડમાં જીવન મોટા પાયે છે.

ગુરુના ચંદ્રમાઓ પર છે એલિયન્સનું અસ્તિત્વ !!!
ગુરુના મુખ્ય ચંદ્રોની ભ્રમણકક્ષા

ગુરુના ચંદ્રમાઓ પર છે એલિયન્સનું અસ્તિત્વ !!!
ગુરુનો ચંદ્ર યુરોપા

ગુરુના ચંદ્રમાઓ પર છે એલિયન્સનું અસ્તિત્વ !!!
ગુરુનો ચંદ્ર લો

ગુરુના ચંદ્રમાઓ પર છે એલિયન્સનું અસ્તિત્વ !!!
ગુરુનો ચંદ્ર ગનીમેડ

ગુરુના ચંદ્રમાઓ પર છે એલિયન્સનું અસ્તિત્વ !!!
ગુરુનો ચંદ્ર કેલિસ્ટો

ગુરુના ચંદ્રમાઓ પર છે એલિયન્સનું અસ્તિત્વ !!!
ગુરુનો ચંદ્ર અમાલ્થા

ગુરુના ચંદ્રમાઓ પર છે એલિયન્સનું અસ્તિત્વ !!!
ગુરુનો ચંદ્ર અદ્રાસ્ટિઆ

ગુરુના ચંદ્રમાઓ પર છે એલિયન્સનું અસ્તિત્વ !!!
ગુરુનો ચંદ્ર એલારા

ગુરુના ચંદ્રમાઓ પર છે એલિયન્સનું અસ્તિત્વ !!!
ગુરુનો ચંદ્ર લિસિથા

ગુરુના ચંદ્રમાઓ પર છે એલિયન્સનું અસ્તિત્વ !!!
ગુરુનો ચંદ્ર કેલિરો

ગુરુના ચંદ્રમાઓ પર છે એલિયન્સનું અસ્તિત્વ !!!
ગુરુનો ચંદ્ર પેસિથી

ગુરુના ચંદ્રમાઓ પર છે એલિયન્સનું અસ્તિત્વ !!!
ગુરુના મુખ્ય ચંદ્રોની ઓર્બિટ
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
