Allu Arjun Bail : અલ્લુ અર્જુનને જામીન મળ્યા, જાણો વચગાળાના જામીન અને રેગ્યુલર જામીનમાં શું ફરક?
Allu Arjun Bail : પુષ્પા 2 ના સ્ક્રીનિંગ દરમિયાન થયેલી ભાગદોડના કેસમાં અલ્લુ અર્જુનને કોર્ટે જામીન આપી દીધા છે. જો કે તે પહેલાથી જ વચગાળાના જામીન પર બહાર હતો.
કોર્ટે 50 હજારના રૂપિયાના બે જામીન રજૂ કરવા અને પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાના આદેશ સાથે અલ્લુ અર્જુનને જામીન આપ્યા છે.

અહીં તમને સવાલ થાય કે અલ્લુ અર્જુન પહેલાથી જ જામીન પર હતો તો નવા જામીન કેમ આપ્યા અને સામાન્ય જામીન અને વચગાળાના જામીન વચ્ચે શું અંતર છે?
વચગાળાના જામીન
ટૂંકા ગાળા માટે વચગાળાના જામીન આપવામાં આવે છે. રેગ્યુલર જામીન માટેની અરજી પેન્ડિંગ હોય ત્યારે આ જામીન આપવામાં આવે છે. વચગાળાના જામીન અમુક શરતો સાથે મંજૂર કરવામાં આવે છે, જે સંબંધિત વ્યક્તિએ પૂરી કરવી જરૂરી છે.
વચગાળાની જામીનની મુદત પૂરી થયા બાદ વોરંટ વગર પણ આરોપીની ધરપકડ કરી શકાય છે. જો કે કોર્ટ આ સમયગાળો પણ વધારી શકે છે. જ્યાં સુધી વચગાળાના જામીનની મુદત બાકી છે ત્યાં સુધી તેની ધરપકડ કરી શકાતી નથી.
રેગ્યુલર જામીન
રેગ્યુલર જામીન શરતી રીતે આપવામાં આવે છે. કોર્ટ કોઈપણ વ્યક્તિને એ હેતુથી મુક્ત કરે છે કે જ્યારે પણ જરૂર પડે ત્યારે તે વ્યક્તિ કોર્ટમાં હાજર થશે. જ્યાં સુધી કેસ પેન્ડિંગ છે ત્યાં સુધી કોર્ટ દ્વારા નિર્ધારિત શરતોનું પાલન કરવું જરૂરી હોય છે. આમાં કોઈપણ આરોપીની શરતી મુક્તિ છે. હવે અલ્લુ અર્જુનને આ રેગ્યુલર જામીન મળ્યા છે.
આગોતરા જામીન
વચગાળાના અને રેગ્યુલર જામીન ઉપરાંત આગોતરા જામીન પણ કોર્ટ આપે છે. જ્યારે કોઈ વ્યક્તિને ગુનામાં ધરપકડની શંકા હોય ત્યારે તે કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી શકે છે. કોર્ટ નક્કી કરે છે કે તેને આ જામીન આપવા કે નહીં. આ ધરપકડથી બચવા કરાય છે.
જણાવી દઈએ કે, અલ્લુ અર્જુનની સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં 13 ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું અને તેનો પુત્ર પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
અલ્લુ અર્જુનને થોડા કલાકો પછી તેલંગાણા હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા હતા. હવે નામપલ્લી કોર્ટે તેને આ કેસમાં રેગ્યુલર જામીન આપ્યા છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?









Click it and Unblock the Notifications
