અરવિંદ કેજરીવાલનુ 12 દિવસમાં ઘટ્યુ 4.5 કિગ્રા વજન, જાણો આ જાનલેવા બિમારીના લક્ષણ અને સારવાર
Arvind Kejriwal Weight Lose Due to Hypoglycemia: તિહાર જેલમાં બંધ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની તબિયતને લઈને એક નવો ખુલાસો સામે આવ્યો છે. દિલ્હી સરકારના મંત્રી આતિશી માર્લેનાએ દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ જેલમાં છેલ્લા 12 દિવસમાં તેમનું વજન 4.5 કિલો ઘટ્યું છે.
જ્યારે 21 માર્ચે EDએ કેજરીવાલને કસ્ટડીમાં લીધા ત્યારે તેમનું વજન 69.5 કિલો હતું, જે હવે 65 કિલો થઈ ગયુ છે. તેમની પાર્ટીના મંત્રી આતિશીએ જણાવ્યું કે તેઓ હાઈપોગ્લાઈસેમિયાના ગંભીર દર્દી છે. તેમના બ્લડ સુગર લેવલને દિવસમાં ઘણી વખત મૉનિટર કરવામાં આવે છે. જે મુજબ તેમને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન અને ડાયટ લેવાનું હોય છે.

માહિતી અનુસાર, કેજરીવાલનું બ્લડ શુગર લેવલ કસ્ટડીમાં ત્રણ વખત ઘટ્યું હતું અને એક વખત તે 46 mg/dL સુધી પહોંચી ગયું હતું. હાઈપોગ્લાયકેમિઆના કિસ્સામાં, બ્લડ સુગર 50 mg/dL ની નીચે જીવલેણ સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કે હાઈપોગ્લાયકેમિઆ શું છે. તેનો વજન ઘટવા સાથેનો સંબંધ અને આ રોગના લક્ષણો અને સારવાર.
What is Hypoglycemia: હાઈપોગ્લાયકેમિઆ શું છે?
જ્યારે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ સામાન્યથી ઓછું થઈ જાય છે, ત્યારે તેને લો બ્લડ સુગર અથવા હાઈપોગ્લાયકેમિઆ કહેવામાં આવે છે. ડાયાબિટીસ ધરાવતા લોકો સામાન્ય રીતે આ અનુભવે છે. આ સ્થિતિ ખાસ કરીને સામાન્ય છે જો તેઓ મોટી માત્રામાં ઇન્સ્યુલિન અથવા અન્ય દવાઓ લે છે જે બ્લડ સુગર ઘટાડે છે.
હાઈપોગ્લાયકેમિઆના લક્ષણો
ધ્રુજારી - પરસેવો - ઝડપી ધબકારા - ચક્કર - મૂડ સ્વિંગ - હુમલા - ચક્કર નબળાઇ - બેભાન થઈ જવુ.
હાઈપોગ્લાયકેમિઆ થવાના કારણ
હાઈપોગ્લાયકેમિઆ ત્યારે થાય છે જ્યારે બ્લડ સુગર સામાન્યથી નીચે જાય છે. જો આહાર, વ્યાયામ અને ડાયાબિટીસની દવાઓની દિનચર્યા અસંતુલિત બને તો હાઈપોગ્લાયસીમિયા થઈ શકે છે. આના અન્ય કારણો પણ હોઈ શકે છે જેમ કે - ડાયાબિટીસની દવાઓનું વધુ પડતું સેવન - સમયસર આહાર ન લેવો - વધુ માત્રામાં ઇન્સ્યુલિન લેવું - ખાલી પેટ દારૂનું સેવન કરવું - પૌષ્ટિક આહારનો અભાવ.
જ્યારે બ્લડ શુગર 50 mg/dLની નીચે આવે છે, ત્યારે તેને ગંભીર હાઈપોગ્લાયકેમિઆ ગણવામાં આવે છે. આ સ્થિતિમાં, ખાંડ અથવા ગ્લુકોઝનું સ્તર ખૂબ જ ઓછું થઈ જાય છે, તેથી શરીરમાં ઊર્જા ઉત્પન્ન થતી નથી. આ સ્થિતિમાં, શરીર પહેલેથી હાજર ચરબી અને સ્નાયુઓ દ્વારા ઊર્જા ઉત્પન્ન કરવાનું કામ કરે છે. જેના કારણે વજન ઘટવા લાગે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે, વધારે વજન હોવું અને વજન ઘટવુ બંને ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે.












Click it and Unblock the Notifications
