એક ચહેરો જેણે મોદી માટે બનાવ્યો CM થી PM સુધીનો માર્ગ
દહેરાદુન, 15 મે: નરેન્દ્ર મોદી આજે ભલે 'લહેર'ના સહારે સત્તાના સિંહાસનની નજીક પહોંચી ગયા હોય, પરંતુ શું તમે જાણો છો નરેન્દ્ર મોદી પીએમ ઇન વેટિંગ લિસ્ટને સૌથી પહેલાં 'કન્ફર્મ' કોને કર્યું હતું. જો તે વડાપ્રધાન બને તો પદની શપથ લેતાં કદાચ તેમણે ઉત્તરાખંડ અને બાબા રામદેવ બંનેને જરૂર યાદ આવશે.
નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાના સાર્વજનિક એલાન પહેલી વાર ઉત્તરાખંડ જ થયો હતો. હરિદ્વારમાં બાબા રામદેવના પતંજલિ પરિસરમાં 26 એપ્રિલ 2013ના રોજ દેશભરમાં સંતોની હાજરીમાં બાબા રામદેવ પોતે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર ગણાવ્યા. આ સમારોહના લગભગ પાંચ મહિના બાદ ભાજપે તેમની પીએમ પદના ઉમેદવારીની જાહેરાત કરી.

અહીં થઇ હતી 'પીમ' પદની જાહેરાત
પતંજલિ યોગપીઠમાં આર્ચાર્યકુલમ શિક્ષણ સંસ્થાના ઉદઘાટનના અવસર પર નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે કાર્યક્રમમાં સામેલ થયા હતા. તેમાં દેશના ઘણા પ્રમુખ સંતો પણ હાજર હતા. આ કાર્યક્રમમાં જ પહેલી વાર બાબા રામદેવે નરેન્દ્ર મોદીને ભાવિ વડાપ્રધાન તરીકે સંતો સમક્ષ રજૂ કર્યા હતા.

દેશ માટે આશાનું કિરણ
બાબા રામદેવને ભગવાનનું વરદાન ગણાવતાં કહ્યું હતું કે આ સંકટગ્રસ્ત દેશ માટે એક આશાનું કિરણ બનીને આવ્યા છે. નરેન્દ્ર મોદીના રાજમાં દેશમાં ચારિત્રિક વિકાસ અને ભ્રષ્ટાચાર ખતમ થઇ જશે. ત્યારબાદ 9 ઓગષ્ટ, 13ના રોજ દિલ્હીના જંતર-મંતર પર બાબા રામદેવે એક દિવસના અનશનમાં સંકલ્પ લીધો હતો કે જ્યાં સુધી દિલ્હીની સરકાર ન બદલાઇ ત્યાં સુધી તે પોતાના હરિદ્વારા આશ્રમમાં પ્રવેશ કરશે નહી.

સાચી નિકળી બાબા રામદેવની વાત
આને સંયોગ કહો કે બાબા રામદેવના મુખેથી નિકળેલી ભવિષ્યવાણી જ કહીશું કે ત્યારબાદ 13 સપ્ટેમ્બર, 2013ને શુક્રવારના દિવસે ભાજપે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા.

નવ મહિનાથી યોગહઠ પર છે બાબા
કેન્દ્રમાં સરકાર બદલવાનો સંકલ્પ લીધા બાદ બાબા રામદેવ બે વખત ઉત્તરાખંડ આવ્યા. 8 એપ્રિલ, 14ના રોજ તેમણે હરિદ્વારમાં પ્રવેશ કર્યા બાદ દેવપ્રયાગમાં હોનારત પીડિતોના બાળકો માટે સ્કૂલ અને છાત્રાવાસનો પાયો નાખ્યો. ત્યારબાદ તે ચૂંટણીના દિવસે 7 મેના રોજ હરિદ્વાર આવ્યા. ત્યાં તેમણે પોતાનો વોટ નાખ્યો.

ભાજપના ખેમમાં જશ્નનો માહોલ
બાબા રામદેવની નજીક સહયોગી આચાર્ય બાલકૃષ્ણએ તેમણે ચંડી પૂલમાં દિવ્ય પ્રેમ સેવા મિશનના આશ્રમમાં ભોજન કરાવ્યું. બાબા રામદેવે પતંજલિ યોગપીઠમાં પગ માંડ્યો નહી. તાજેતરમાં ભાજપના ખેમામાં જશ્નનો માહોલ છે તે મંત્રિમંડળની જવાબદારીઓ પણ નક્કી થવા લાગી છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
