Buddha Purnima 2023 : જાણો ભગવાન બુદ્ધનું જીવન ચરિત્ર

Buddha Purnima 2023 : ગુજરાતી પંચાગમાં જણાવ્યા અનુસાર, 5 મે ના બુદ્ધ પૂર્ણિમા છે. આ પર્વ દર વર્ષે વૈશાખ પૂર્ણિમાની તિથિના રોજ ઉજવવામાં આવે છે. સનાતન અને બૌદ્ધ ધર્મના અનુઆયીઓ માટે વિશેષ દિવસ હોય છે. આ દિવસે સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ રહે છે.

બૌદ્ધ મઠો અને મંદિરોની સફાઈ કરવામાં આવે છે. મંદિરો અને મઠોને શણગારવામાં આવે છે. આ પ્રસંગે વિશેષ પૂજા અને સત્સંગનું આયોજન કરવામાં આવે છે. એકંદરે બૌદ્ધ પૂર્ણિમાની દેશ અને દુનિયામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે.

Buddha

વૈશાખ પૂર્ણિમાની તારીખે ભગવાન બુદ્ધને સાચું જ્ઞાન પ્રાપ્ત થયું હોવાનું ધાર્મિક ગ્રંથોમાં દર્શાવવામાં આવ્યું છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને બુદ્ધની પૂજા કરવામાં આવે છે. આ અહેવાલમાં વિશ્વ ગુરુ અને ભગવાન બુદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો જાણીશું.

ભગવાન બુદ્ધ જીવનચરિત્ર

ભગવાન બુદ્ધનું બાળપણ અને સંન્યાસ લેતા પહેલાનું નામ સિદ્ધાર્થ હતું. સિદ્ધાર્થનો જન્મ 563 બીસી (ઇસ પૂર્વે 563)માં નેપાળના કપિલવસ્તુમાં લુમ્બિની નામના સ્થળે થયો હતો. તેમના પિતાનું નામ શુદ્ધોધન અને માતાનું નામ માયા દેવી હતું.

સિદ્ધાર્થના પિતા શાક્ય ગણના રાજા હતા. માત્ર 7 દિવસની ઉંમરના સિદ્ધાર્થની માતા મૃત્યુ પામ્યા હતા. તે સમયે તેમનો ઉછેર તેમની માતાની વાસ્તવિક બહેન પ્રજાપતિ ગૌતમી દ્વારા થયો હતો.

એવું કહેવાય છે કે, સિદ્ધાર્થની આધ્યાત્મિકતામાં રસ તેમની માતાના મૃત્યુ પછી જ વધ્યો હતો. જે સમય સાથે આધ્યાત્મિકતામાં તેમનો રસ વધતો ગયો. નાનપણથી જ સિદ્ધાર્થ એટલે કે ભગવાન બુદ્ધ ભગવાનની પૂજા અને ઉપાસના કરતા હતા.

એક દિવસ સિદ્ધાર્થે બગીચામાં ફરતા હતા. તે સમયે તેમણે એક વૃદ્ધ માણસને જોયો. વૃદ્ધ માણસ ખૂબ લાચાર હતો. બરાબર ચાલી શકતો ન હતો. તેને જોઈને સિદ્ધાર્થનું હર્દય વ્યથિત થઇ ગયું હતું. બીજા દિવસે સિદ્ધાર્થે એક દર્દીને જોયો.

ત્રીજા દિવસે, બગીચામાં ફરતી વખતે, તેની નજર નનામી પર પડી. ચાર લોકો અંતિમ સંસ્કાર માટે મૃતદેહને લઈ જઈ રહ્યા હતા. ત્યાં મૃતદેહ પાછળ તેના સ્વજનો રડી રહ્યા હતા. જે બાદ છેલ્લા દિવસે બગીચામાં ફરતી વખતે, સિદ્ધાર્થે એક સાધુને જોયો, જેનો ચહેરો વિશેષ અને તેજ જોવા મળી રહ્યું હતું. આ સાથે જ સાધુના ચહેરા પર એક અલગ જ ખુશી દેખાતી હતી.

આ બધું જોઈને સિદ્ધાર્થ ભગવાન દ્વારા બનાવવામાં આવેલી માયા સમજી ગયા હતા. આ પછી માત્ર 29 વર્ષની ઉંમરે, સિદ્ધાર્થ ભિક્ષુ બની ગયા. જે બાદ ભગવાન અને સત્યની શોધમાં નીકળી ગયા. 6 વર્ષની સખત તપસ્યા બાદ, તેમણે વૈશાખ પૂર્ણિમાના રોજ બોધ ગયામાં બોધિ વૃક્ષ નીચે સાચું જ્ઞાન પ્રાપ્ત કર્યું. જે બાદથી તેઓ ગૌતમ બુદ્ધ બન્યા હતા.

ભગવાન બુદ્ધે સારનાથમાં પહેલો ઉપદેશ આપ્યો હતો. 483 બીસી(ઇસ પૂર્વે 483)માં વૈશાખ પૂર્ણિમાના દિવસે ભગવાન બુદ્ધ પાંચ તત્વોમાં વિલિન થઇ ગયા હતા. આ દિવસને પરિનિર્વાણ દિવસ કહેવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X