Buddha Purnima 2024: જાણો બુદ્ધ પૂર્ણિમાની તારીખ, અનમોલ વિચાર અને જીવનચરિત્ર
Buddha Purnima 2024: દર વર્ષે વૈશાખ માસમાં આવનારી પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમાના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. આનામાં વર્ષ 2024માં બુદ્ધ પૂર્ણિમાનો તહેવાર 23 મે, ગુરુવારના રોજ ઉજવવામાં આવશે.
ગૌતમ બુદ્ધના ઉપદેશો વ્યક્તિને દુઃખોથી ઉપર ઊઠવામાં મદદ કરે છે, અને આ વિચારોને જીવનમાં અપનાવવાથી વ્યક્તિ પરમ શાંતિનો અનુભવ કરે છે.
ગૌતમ બુદ્ધના અમૂલ્ય વિચારો
નફરતને નફરતથી ક્યારેય ખતમ કરી શકાતી નથી, પરંતુ તેને પ્રેમથી જ દૂર કરી શકાય છે. દુનિયાની દરેક મોટી વસ્તુ પ્રેમથી જીતી શકાય છે.
જે વીતી ગયું છે, તેમાં ફસાઈ ન જવું જોઈએ, અને ભવિષ્યની ચિંતા ન કરવી જોઈએ. જો આપણે ખુશીથી જીવવું હોય, તો વર્તમાનમાં જ જીવવું જોઈએ.
ગૌતમ બુદ્ધ કહે છે કે, વ્યક્તિ ગમે તેટલા પુસ્તકો વાંચે, અથવા તે કેટલા સારા ઉપદેશો સાંભળે, જો તમે તેને તમારા જીવનમાં અપનાવો નહીં, ત્યાં સુધી તેનો કોઈ ફાયદો થતો નથી.
ખુશ રહેવાની એક રીત એ છે કે, તમારી પાસે જે છે, તેને ક્યારેય અતિશયોક્તિ ન કરો અને ક્યારેય બીજાની ઈર્ષ્યા ન કરો.
જીવનમાં હજારો યુદ્ધો જીતવા કરતાં પોતાની જાતને જીતવી વધુ સારી છે. જો તમે સુખ પર વિજય મેળવશો, તો જીત હંમેશા તમારી જ રહેશે.
વ્યક્તિ જે વિચારે છે, તે બની જાય છે. તેથી, તમારે તમારા વિચારો હંમેશા શુદ્ધ અને હકારાત્મક રાખવા જોઈએ.
ગૌતમ બુદ્ધ અનુસાર, વ્યક્તિએ જંગલી પ્રાણી કરતાં કપટી અને દુષ્ટ મિત્રથી વધુ ડરવું જોઈએ. કારણ કે, જંગલી પ્રાણી ફક્ત તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ ખરાબ મિત્ર તમારી બુદ્ધિને નુકસાન પહોંચાડે છે, જે વધુ નુકસાનકારક છે.

આ દેશોમાં પણ ઉજવાશે બુદ્ધ પૂર્ણિમા - ભારત ઉપરાંત ચીન, જાપાન, નેપાળ, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, કંબોડિયા, મલેશિયા અને શ્રીલંકામાં પણ બુદ્ધ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. આ શુભ અવસર પર તેમની સાથે જોડાયેલા તીર્થ સ્થાનો પર મેળાઓનું આયોજન કરવામાં આવે છે. જે લોકો બૌદ્ધ ધર્મમાં વિશ્વાસ કરે છે, તેઓ આજે તેમના ઘરને ફૂલો અને દીવાઓથી શણગારે છે. કેટલાક લોકો આજે ઉપવાસ કરીને પ્રાર્થના કરે છે.
ભગવાન બુદ્ધ જીવનચરિત્ર
ભગવાન બુદ્ધનું બાળપણ અને સંન્યાસ લેતા પહેલાનું નામ સિદ્ધાર્થ હતું. સિદ્ધાર્થનો જન્મ ઇસ પૂર્વે 563માં નેપાળના કપિલવસ્તુમાં લુમ્બિની નામના સ્થળે થયો હતો. તેમના પિતાનું નામ શુદ્ધોધન અને માતાનું નામ માયા દેવી હતું.
સિદ્ધાર્થના પિતા શાક્ય ગણના રાજા હતા. માત્ર 7 દિવસની ઉંમરના સિદ્ધાર્થની માતા મૃત્યુ પામ્યા હતા. આવા સમયે તેમનો ઉછેર તેમની માતાની વાસ્તવિક બહેન પ્રજાપતિ ગૌતમી દ્વારા થયો હતો.
એવું કહેવાય છે કે, સિદ્ધાર્થની આધ્યાત્મિકતામાં રસ તેમની માતાના મૃત્યુ પછી જ વધ્યો હતો. જે સમય સાથે આધ્યાત્મિકતામાં તેમનો રસ વધતો ગયો. નાનપણથી જ સિદ્ધાર્થ એટલે કે ભગવાન બુદ્ધ ભગવાનની પૂજા અને ઉપાસના કરતા હતા.
એક દિવસ સિદ્ધાર્થે બગીચામાં ફરતા હતા. તે સમયે તેમણે એક વૃદ્ધ માણસને જોયો. વૃદ્ધ માણસ ખૂબ લાચાર હતો. બરાબર ચાલી શકતો ન હતો. તેને જોઈને સિદ્ધાર્થનું હર્દય વ્યથિત થઇ ગયું હતું. બીજા દિવસે સિદ્ધાર્થે એક દર્દીને જોયો.
ત્રીજા દિવસે, બગીચામાં ફરતી વખતે, તેની નજર નનામી પર પડી. ચાર લોકો અંતિમ સંસ્કાર માટે મૃતદેહને લઈ જઈ રહ્યા હતા. ત્યાં મૃતદેહ પાછળ તેના સ્વજનો રડી રહ્યા હતા. જે બાદ છેલ્લા દિવસે બગીચામાં ફરતી વખતે, સિદ્ધાર્થે એક સાધુને જોયો, જેનો ચહેરો વિશેષ અને તેજ જોવા મળી રહ્યું હતું. આ સાથે જ સાધુના ચહેરા પર એક અલગ જ ખુશી દેખાતી હતી.
આ બધું જોઈને સિદ્ધાર્થ ભગવાન દ્વારા બનાવવામાં આવેલી માયા સમજી ગયા હતા. આ પછી માત્ર 29 વર્ષની ઉંમરે, સિદ્ધાર્થ ભિક્ષુ બની ગયા. જે બાદ ભગવાન અને સત્યની શોધમાં નીકળી ગયા. 6 વર્ષની સખત તપસ્યા બાદ, તેમણે વૈશાખ પૂર્ણિમાના રોજ બોધ ગયામાં બોધિ વૃક્ષ નીચે સાચું જ્ઞાન પ્રાપ્ત કર્યું. જે બાદથી તેઓ ગૌતમ બુદ્ધ બન્યા હતા.
ભગવાન બુદ્ધે સારનાથમાં પહેલો ઉપદેશ આપ્યો હતો. 483 બીસી(ઇસ પૂર્વે 483)માં વૈશાખ પૂર્ણિમાના દિવસે ભગવાન બુદ્ધ પાંચ તત્વોમાં વિલિન થઇ ગયા હતા. આ દિવસને મહાપરિનિર્વાણ દિવસ કહેવામાં આવે છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
