2050 સુધીમાં ભારતમાં એક પણ યુવા નહીં બચે, જાણો કેમ નીતિ આયોગે આવુ કહ્યું?
દુનિયાના સૌથી યુવા દેશોમાં સામેલ ભારત માટે નીતિ આયોગે એક ચિંતાજનક અહેવાલ પ્રસ્તૃત કર્યો છે. આ અહેવાલ અનુસાર, 2050 સુધીમાં ભારત વૃદ્ધોનો દેશ બની જશે.
નીતિ આયોગના આ અહેવાલ અનુસાર, આજથી 2050 ની વચ્ચે ભારતની 65 અને તેનાથી વધુ વયની વસ્તીમાં 144 મિલિયન લોકોનો વધારો થશે.

નીતિ આયોગે 'સિનિયર કેર રિફોર્મ્સ ઈન ઈન્ડિયા નામના અહેવાલમાં ઘણી ચૌકાવનારી બાબતો જણાવી છે. આ રિપોર્ટનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે ભારતની વૃદ્ધ વસ્તીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે મૂળભૂત સપોર્ટ સિસ્ટમ મૂકવામાં આવે. જે 2050 સુધીમાં 10 ટકાથી વધીને 19.5 ટકા થવાની ધારણા છે. આ કદની વૃદ્ધ વસ્તીની જરૂરિયાતો પડકારજનક છે.
અતિ-વૃદ્ધ દેશનો અર્થ છે ઝડપથી ઘટતી યુવા વસ્તી. જે અંતર્ગત 20 ટકાથી વધુ લોકોની ઉંમર 65 વર્ષથી વધુ છે. જો આપણે જેરોન્ટોલોજીકલ સોસાયટી ઓફ અમેરિકાના રિપોર્ટ પર નજર કરીએ તો દુનિયામાં ઘણા એવા દેશો છે જે ઘણા અતિ વૃદ્ધ બની ગયા છે. હવે ભારત 26 વર્ષમાં આ જ સ્થિતિમાં પહોંચી શકે છે.
જાપાન
પ્રથમ નંબરે જાપાન આવે છે. આગામી 16 વર્ષમાં એટલે કે 2040 સુધીમાં જાપાનની વૃદ્ધોની વસ્તી વધીને 34.8 ટકા થઈ જશે. તેનું મુખ્ય કારણ જન્મદરમાં ઝડપી ઘટાડો છે.
જર્મની
જાપાન પછી જર્મની બીજા સ્થાને છે. 2019ના વસ્તીના આંકડા અનુસાર, દેશમાં 21.8 ટકા વસ્તી 65 કે તેથી વધુ વયની છે. અહીં પણ યુવાનોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. અંદાજ છે કે 2050 સુધીમાં યુવાનોની સંખ્યામાં 22.6 ટકાનો ઘટાડો થશે.
ચીન
ત્રીજા નંબર પર ચીન છે. અહીં એક બાળકની નીતિની અસર વસ્તીમાં સ્પષ્ટપણે જોવા મળે છે. જો ફર્ટિલિટી રેટ એટલે કે બાળકોના જન્મ પર ધ્યાન આપવામાં નહીં આવે તો ટૂંક સમયમાં ચીનમાં વૃદ્ધોની વસ્તી હશે અને યુવાનો લુપ્ત થઈ જશે
સિંગાપોર
સિંગાપોર ચોથા નંબર પર છે. વર્ષ 2026 સુધીમાં યુવાનોની વસ્તી ઝડપથી ઘટી રહી છે. આ સ્થિતિમાં એ સ્પષ્ટ છે કે સિંગાપોર અતિ વુદ્ધોની શ્રેણીમાં આવી જશે.
ભારતની વર્તમાન વસ્તી 142 કરોડથી વધુ છે. જેમાં 10 કરોડ 40 લાખ વૃદ્ધ છે. પરંતુ 2050 સુધીમાં આ સંખ્યા વધીને કુલ વસ્તીના 19.5 ટકા થઈ જશે. એટલે કે વૃદ્ધોની સંખ્યા વધીને 30 કરોડ 19 લાખ થઈ જશે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?









Click it and Unblock the Notifications
