આચાર સંહિતા લાગુ થયા બાદ ચૂંટણી કાર્ડ બનાવી શકાય કે નહીં? જાણો શું છે નિયમ?
લોકસભા ચૂંટણી આવી રહી છે અને આ ચૂંટણીમાં પોણા બે કરોડથી વધુ મતદાતાઓ પહેલી વખત મત આપવા જઈ ઈ રહ્યાં છે.
લોકસભા ચૂંટણીમાં કરોડો મતદારો તૈયાર છે. આ વખતે ઘણા યુવાનો એવા છે જેઓ પ્રથમ વખત મતદાન કરશે. મતદાન માટે વોટર આઈડી કાર્ડ જરૂરી છે, આથી લોકોના મનમાં તેને લઈને અનેક સવાલો છે.

આવો જ એક સવાલ એ છે કે આચારસંહિતા લાગુ થયા બાદ હવે ચૂંટણી કાર્ડ માટે અરજી કરી શકાય કે નહીં? આજે અમે તમને આ સવાલોના જવાબ આપીશું.
લોકો ચૂંટણી કાર્ડ માટે કેટલા દિવસ પહેલા અરજી કરી શકે તે અંગે મૂંઝવણમાં છે, કેટલાક લોકો તે અંગે પણ મૂંઝવણમાં છે કે કેટલા સમય પહેલા અરજી કરવી જરૂરી છે. તમે ચૂંટણી નોમિનેશન પ્રક્રિયાના 10 દિવસ પહેલા વોટર આઈડી કાર્ડ બનાવી શકો છો.
લોકસભા ચૂંટણી માટે નોમિનેશન પ્રક્રિયા 6 મે સુધી છે તેથી તમે 26 એપ્રિલ સુધી મતદાર કાર્ડ માટે અરજી કરી શકો છો.
અહીં એ પણ જાણવુ જરૂરી છે કે ચૂંટણી કાર્ડ બનાવવાની સમગ્ર પ્રક્રિયામાં કેટલો સમય લાગી શકે છે. ચૂંટણી પંચના હેલ્પલાઈન નંબર 1950 અનુસાર, 27 દિવસમાં અરજી સ્વીકારવામાં આવે છે, ત્યારબાદ 10 દિવસમાં મતદાર કાર્ડ બનાવવામાં આવે છે.
ચૂંટણી કાર્ડ બનાવવા તમે ઑફલાઇન અને ઓનલાઈન એમ બંને રીતે અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કરવા માટે તમારે www.nvsp.in પર જવું પડશે. આ માટે તમારે બે પ્રકારના દસ્તાવેજ આપવા પડશે, પહેલું જન્મતારીખનું પ્રમાણપત્ર અને બીજું કાયમી સરનામાનું પ્રમાણપત્ર જરૂરી છે.
જન્મના પુરાવા તરીકે તમે પાન કાર્ડ, 10મા ધોરણનું પ્રમાણપત્ર, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ વગેરે આપી શકો છો. એડ્રેસ પ્રૂફ તરીકે આધાર, વીજળી બિલ, ખેડૂત ખાતાવહી ખાતું, પોસ્ટ ઓફિસ પાસબુક વગેરે આપી શકાય છે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
