Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આચાર સંહિતા લાગુ થયા બાદ ચૂંટણી કાર્ડ બનાવી શકાય કે નહીં? જાણો શું છે નિયમ?

લોકસભા ચૂંટણી આવી રહી છે અને આ ચૂંટણીમાં પોણા બે કરોડથી વધુ મતદાતાઓ પહેલી વખત મત આપવા જઈ ઈ રહ્યાં છે.

લોકસભા ચૂંટણીમાં કરોડો મતદારો તૈયાર છે. આ વખતે ઘણા યુવાનો એવા છે જેઓ પ્રથમ વખત મતદાન કરશે. મતદાન માટે વોટર આઈડી કાર્ડ જરૂરી છે, આથી લોકોના મનમાં તેને લઈને અનેક સવાલો છે.

election

આવો જ એક સવાલ એ છે કે આચારસંહિતા લાગુ થયા બાદ હવે ચૂંટણી કાર્ડ માટે અરજી કરી શકાય કે નહીં? આજે અમે તમને આ સવાલોના જવાબ આપીશું.

લોકો ચૂંટણી કાર્ડ માટે કેટલા દિવસ પહેલા અરજી કરી શકે તે અંગે મૂંઝવણમાં છે, કેટલાક લોકો તે અંગે પણ મૂંઝવણમાં છે કે કેટલા સમય પહેલા અરજી કરવી જરૂરી છે. તમે ચૂંટણી નોમિનેશન પ્રક્રિયાના 10 દિવસ પહેલા વોટર આઈડી કાર્ડ બનાવી શકો છો.

લોકસભા ચૂંટણી માટે નોમિનેશન પ્રક્રિયા 6 મે સુધી છે તેથી તમે 26 એપ્રિલ સુધી મતદાર કાર્ડ માટે અરજી કરી શકો છો.

અહીં એ પણ જાણવુ જરૂરી છે કે ચૂંટણી કાર્ડ બનાવવાની સમગ્ર પ્રક્રિયામાં કેટલો સમય લાગી શકે છે. ચૂંટણી પંચના હેલ્પલાઈન નંબર 1950 અનુસાર, 27 દિવસમાં અરજી સ્વીકારવામાં આવે છે, ત્યારબાદ 10 દિવસમાં મતદાર કાર્ડ બનાવવામાં આવે છે.

ચૂંટણી કાર્ડ બનાવવા તમે ઑફલાઇન અને ઓનલાઈન એમ બંને રીતે અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કરવા માટે તમારે www.nvsp.in પર જવું પડશે. આ માટે તમારે બે પ્રકારના દસ્તાવેજ આપવા પડશે, પહેલું જન્મતારીખનું પ્રમાણપત્ર અને બીજું કાયમી સરનામાનું પ્રમાણપત્ર જરૂરી છે.

જન્મના પુરાવા તરીકે તમે પાન કાર્ડ, 10મા ધોરણનું પ્રમાણપત્ર, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ વગેરે આપી શકો છો. એડ્રેસ પ્રૂફ તરીકે આધાર, વીજળી બિલ, ખેડૂત ખાતાવહી ખાતું, પોસ્ટ ઓફિસ પાસબુક વગેરે આપી શકાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X