Chaitra Navratri 2024: ચૈત્રી નવરાત્રિના વ્રતમાં આ વસ્તુઓનુ સેવન કરી વજન ઘટાડો
Chaitra Navratri 2024: હિંદુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું વિશેષ મહત્વ છે. ચૈત્રી નવરાત્રિની શરૂઆત સાથે નવા હિન્દુ વર્ષનો પણ પ્રારંભ થાય છે. ચૈત્ર નવરાત્રિ પર, દેવી દુર્ગાના નવ સ્વરૂપોની સતત 9 દિવસ સુધી પૂજા કરવામાં આવે છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિનો પવિત્ર તહેવાર આજે 9 એપ્રિલ 2024 (મંગળવાર)થી શરૂ થઈ રહ્યો છે જે રામ નવમીના દિવસે 17 એપ્રિલ 2024ના રોજ સમાપ્ત થશે.
નવ દિવસ સુધી ચાલનાર આ નવરાત્રિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આમાં લોકો નવ દિવસ ઉપવાસ કરીને તમામ કામ કરે છે. આવી સ્થિતિમાં, જો તમે વજન ઘટાડવા માંગો છો, તો આ એક સારી તક છે. માત્ર કેટલીક હેલ્ધી ટેવો અને અમુક હેલ્ધી ડાયટ અપનાવીને તમે નવરાત્રિના ઉપવાસ દરમિયાન તમારું વજન સરળતાથી ઘટાડી શકો છો.

ઉપવાસ દરમિયાન લોકોની ખાવા-પીવાની આખી રીત બદલાઈ જાય છે. આ સમયે ઉપવાસ કરનારા લોકો મોટાભાગે ફળોનું સેવન કરે છે. એટલું જ નહીં, લોકો આ દરમિયાન બહારની વસ્તુઓ ખાવાનું પણ ટાળે છે. વ્રત દરમિયાન લોકો સાત્વિક ભોજન જ લે છે.
નવરાત્રિના ઉપવાસ દરમિયાન આ રીતે ઘટાડો વજન
ખુદને હાઇડ્રેટ રાખો
જો તમે નવરાત્રિ માટે ઉપવાસ કરી રહ્યા છો, તો સૌથી પહેલા તમારી જાતને હાઇડ્રેટ રાખવી જરૂરી છે. આ સમયે શરીરમાં પાણીની કમી ન થાય તેનું તમારે ધ્યાન રાખવું પડશે. તમારે તમારા આહારમાં શક્ય તેટલી વધુ પ્રવાહી વસ્તુઓનો સમાવેશ કરવાનો પ્રયાસ કરવો જોઈએ જેમ કે ફળોનો રસ, નારિયેળ પાણી, લસ્સી, છાશ અને લીંબુનું શરબત. આને પીવાથી તમને માત્ર હાઇડ્રેટેડ રહેવામાં જ મદદ નથી થતી પરંતુ તમને પુષ્કળ એનર્જી પણ મળે છે.
નવરાત્રિના ઉપવાસમાં આ વસ્તુઓનું સેવન કરીને વજન ઘટાડો
1. તમે રાજગરાના લોટની રોટલી સાથે તાજું દહીં અથવા રાજગરાના લોટની ઉપમા ખાઈ શકો છો.
2. ઉપવાસ દરમિયાન તમે કેળા, નાસપતી, પપૈયું અને સફરજન ખાઈ શકો છો. ફાઈબર અને વિટામીનથી ભરપૂર ફળોનું સેવન કરવાથી તમને એનર્જી મળશે અને લાંબા સમય સુધી ભૂખ લાગશે નહીં.
3. ઉપવાસ દરમિયાન તમારે એક ગ્લાસ ગરમ દૂધ પીવું જ જોઈએ. તેનાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે.
4. તમે ઉપવાસ દરમિયાન લંચ અથવા ડિનર માટે દૂધી અને ટામેટાના શાક સાથે શિંગોડાના લોટની રોટલી ખાઈ શકો છો.
5. પનીરને કડાઈમાં શેકીને ઉપરથી સિંધવ મીઠું અને મરચું પાવડર નાખીને ખાઈ શકાય છે.
6. ઉપવાસ દરમિયાન તમે દૂધી, ટામેટા અને ગાજરનો સૂપ પી શકો છો. તે વજન ઘટાડવામાં મદદ કરે છે.
7. વ્રત દરમિયાન, દૂધી અથવા કાચા પપૈયાનુ રાયતુ શિંગોડાના લોટની રોટલી સાથે ખાઈ શકાય છે.
8. ઉપવાસ દરમિયાન બટાકા ખાવાનું ટાળો અને તેના બદલે તમે શક્કરિયા ખાઈ શકો છો.
9. તળેલા ખોરાકને ટાળવું વધુ સારું રહેશે.
10. મીઠી વસ્તુઓનું સેવન પણ ટાળો.
નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય ધારણાઓ પર આધારિત છે. વનઇન્ડિયા આની પુષ્ટિ કરતું નથી. આનો અમલ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.
-
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા








Click it and Unblock the Notifications
