Chanakya Niti : આવા સ્વભાવવાળી મહિલા સાથે ન કરો લગ્ન, નહીંતર થઇ જશો બરબાદ
આચાર્ય ચાણક્ય એક મહાન શિક્ષક, વિદ્વાન, કુટનિતીજ્ઞ, અર્થશાસ્ત્રી અને રણનિતીકાર હતા. જો કોઇ વ્યક્તિ આચાર્ય ચાણક્યની વાતોને પોતાના જીવનમાં ઉતારે તો સફળતા ચોક્કસથી મળે છે.
Chanakya Niti : આચાર્ય ચાણક્ય એક મહાન શિક્ષક, વિદ્વાન, કુટનિતીજ્ઞ, અર્થશાસ્ત્રી અને રણનિતીકાર હતા. જો કોઇ વ્યક્તિ આચાર્ય ચાણક્યની વાતોને પોતાના જીવનમાં ઉતારે તો સફળતા ચોક્કસથી મળે છે. ચાણક્યએ જીવનના દરેક પાસા બાબતે પોતાના વિચારો રજૂ કર્યા છે, જેનાથી સફળતા મળે છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, માતા, પિતા, પુત્ર, પુત્રી, મિત્ર અને પત્ની વગેરે કેવા હોવા જોઇએ. ચાણક્ય નીતિમાં જણાવ્યું છે કે, માણસ કઇ ભૂલ ન કરવી જોઇએ, જેનાથી પૂરી જીંદગી બરબાદ થઇ જાય છે.
આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિમાં જણાવ્યું છે કે, સંસ્કારી સ્ત્રી સાથે જ લગ્ન કરવા જોઈએ. જો સ્ત્રી અસંસ્કારી હોય, તો તે તમારૂ જીવન બરબાદ કરી દે છે. સંસ્કારી સ્ત્રી તેના પતિ અને તેના પરિવારનું જીવન બગાડે છે. સંસ્કારી સ્ત્રી સાથે લગ્ન ન કરવા જોઈએ.
ચાણક્ય નીતિ અનુસાર, જો કોઈ વ્યક્તિ સંસ્કારી સ્ત્રી સાથે લગ્ન કરે છે, તો તે તેના પતિના ઘરને સ્વર્ગ બનાવી દે છે. સંસ્કારી સ્ત્રી તેના પતિની સાથે સાથે તેના સમગ્ર પરિવારની પણ કાળજી લે છે. તે બિનજરૂરી રીતે વિવાદ કરતી નથી અને તેના પતિ અને તેના પરિવારના સભ્યોને કડવા શબ્દો કહેતી નથી.
આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિમાં જણાવ્યું હતું છે કે, સ્ત્રીનું સૌંદર્ય, રંગ બધું જ નથી. જો કોઈ પુરુષ કોઈ સ્ત્રી સાથે તેની સુંદરતા જોઈને લગ્ન કરે, તો આ આખી દુનિયામાં તેના સિવાય બીજો કોઈ મૂર્ખ નથી. પુરુષે સ્ત્રીના ગુણોને ધ્યાનમાં રાખીને તેની સાથે લગ્ન કરવા જોઈએ.
ચાણક્ય નીતિ અનુસાર, સ્ત્રીની સુંદરતાને બદલે, પુરુષે તેના સ્વભાવ, સંસ્કાર, લક્ષણો, ગુણો અને ખામીઓ વિશે જાણીને લગ્ન કરવા જોઈએ. આચાર્ય ચાણક્ય કહે છે કે, જો કોઈ સ્ત્રી દેખાવમાં સુંદર ન હોય, પરંતુ તેના સંસ્કારો સારા હોય તો તેના લગ્ન કરવા જોઈએ. આવી સ્ત્રી પુરુષના ભવિષ્યને ખુશ કરશે.