આપ વિચારશો અને કહેશો કે આપ શું ખાખ કમાઇ રહ્યા છો!
નવી દિલ્હી(અન્નૂ મિશ્રા), 19 જૂન: આજ સુધી આપે સાંભળ્યું હશે કે નોકરીથી આપ એટલું કમાઇ શકો છો તો એ નોકરીથી આપની દુનિયા બદલાઇ જશે. પરંતુ આજે જે અમે આપને બતાવવા જઇ રહ્યા છીએ તેને વાંચીને આપ પણ જરૂર વિચારમાં પડી જશો અને કહેવા લાગશો કે આપણે શું ખાક કમાઇએ છીએ.
ભારત ની ભોળી જનતા પોતાના કિંમતી વોટથી સો કોલ્ડ સેવક કમ સાંસદોની ચૂંટણી કરે છે, તે સાંસદોની ભારત સરકારે કેવી સેવા કરવી પડે છે. આપે પણ એ જાણી લેવાની જરૂર છે કે ભારતમાં સાંસદોના ઠાઠબાટ કેવા છે અને કેવા કેવા ફાયદા છે સાંસદ બનવાના.
એક બાજુ હજી પણ નવજુવાન રોજગાર માટે ભટક્યા કરે છે, મધ્યમ વર્ગીય લોકો કાળી મજૂરી કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે, જ્યારે આપણા સાંસદોએ પોતાના પગારમાં ત્રણ ગણો વધારો કરાવી લીધો છે.
એટલું જ નહી વેતન મળવા છતાં આપણા સાંસદોને ભથ્થાકીય સુવિધાઓ પણ આપવામાં આવે છે. અમે આપને આ ભથ્થાઓ અંગે જાણકારી આપી રહ્યા છીએ પરંતુ અહીં એક વાત સ્પષ્ટ કરી દઇએ કે આ જાણકારી મેળવ્યા બાદ આપને માલૂમ પડી જશે કે જે નેતા પોતાને સામાન્ય વ્યક્તિ કહે છે તે કેટલો ખાસ અને રાજાશાહીમાં રહેનાર વિશેષ છે...

સાંસદોની સેલરી પ્રતિ માસ 50,000 રૂપિયા છે
જી બિલકૂલ ઉપરની માહિતી સાચી છે, તેમને આ પગાર ખર્ચ કરવાની નોબત જ નથી આવતી, કારણ કે સરકાર તેમને એટલી સુવિધાઓ આપે છે કે વેતન માત્ર બેંકમાં જમા થયા કરે છે. 10 વર્ષ પહેલા આ વેતન 16 હજાર રૂપિયા પ્રતિમાસ હતું.

સાંસદોના વધારાના ભથ્થા
આ ઉપરાંત પ્રત્યેક સાંસદનું દૈનિક ભથ્થુ 2000 રૂપિયા હોય છે. એટલું જ નહીં સાંસદોને 45000 રૂપિયા ચૂંટણી કાર્યાલય ભથ્થા તરીકે મળે છે. ત્યાંજ જોવામાં આવે તો ભારતની લઘુતમ મજદૂરી દર લગભગ 4000 રૂપિયા પ્રતિ માસ છે. તો અંતર આપ પોતે જ સમજી શકો છો.

સાંસદોને યાત્રામાં છૂટછાટ
આપણા સાંસદોને યાત્રામાં એટલી છૂટ આપવામાં આવી છે કે તેઓ ટ્રેનમાં એસી ફ્રર્સ્ટ ક્લાસમાં મુસાફરી સેકન્ડ ક્લાસ એસીના ભાડા બરાબર કરી શકે છે.

હવાઇ મુસાફરીમાં પણ છૂટ
હવાયઇ મુસાફરીની તો વાસ્તવિક ભાડાના માત્ર એક ચતુર્થાંઉંશ ભાડું જ ચૂકવવાનું રહે છે. જ્યારે બીજી બાજું જોઇએ તો ભારતના સામાન્ય નાગરિક જે વાર્ષીક 132697 કરોડનો સર્વિસ ટેક્સ ચૂકવે છે તેમને કોઇ પણ પ્રકારની કોઇ રાહત મળતી નથી.

34 હવાઇ યાત્રાની સુવિધા
સાંસદોને સંસદીય કાર્યકાળમાં 34 હવાઇ યાત્રાઓની સુવિધા પ્રાપ્ત છે, જેમાં તેઓ પોતાની સાથે અન્ય કોઇને પણ લઇ જઇ શકે છે. તેમજ સાંસદને મળવા આવનાર કોઇ પારિવારિક સભ્ય પણ આઠ વાર યાત્રા કરી શકે છે. આ પ્રકારે રેલ યાત્રાની વાત કરી એ તો રેલ પાસની સુવિધા આપવામાં આવી છે, જેમાં તેઓ કોઇપણ સમયે કોઇપણ કોચમાં મુસાફરી કરી શકે છે.

સાંસદોને મળે છે મફત આવાસ
પ્રત્યેક સાંસદોને ભારત સરકાર તરફથી રહેવા માટે મફત આવાસ મળે છે. જેમાં દરેક પ્રકારની સુવિધા રહેલી હોય છે.

વીજળીમાં 50 હજાર યૂનિટની છૂટ
સાંસદોને વીજળીમાં દરવર્ષે 50000 યૂનિટની છૂટ આપવામાં આવે છે.

ફર્નિચરની સુવિધા
24000 રૂપિયા ટિકાઉ ફર્નિચર માટે, 6000 રૂપિયા બિનટિકાઉ ફર્નિચર માટે, કોઇપણ પ્રકારના રિપેરિંગ માટે 24 ટકા ખર્ચની છૂટ મળે છે.

સામાન્ય વ્યક્તિ જાતે ધોવે છે કપડા
સાંસદોને દર ત્રણ મહિને સોફા અને પરદા ધોવડાવવાની સુવિધા મળે છે.

સામાન્ય લોકો પાણી માટે તરસે છે
સાંસદોને પાણી માટે 4000 રૂપિયા પ્રતિવર્ષ છૂટ મળે છે. આ ઉપરાંત તેમને વાહનની સુવિધા પણ મળે છે જેના માટે 40000 રૂપિયા આપવામાં આવે છે.

સામાન્યજનને રૂપિયા નહીં તો સારવાર નહી
ભારત સરકારને આધિત પ્રત્યેક સાંસદને અને તેના પરિવારને મેડિકલ સુવિધા આપવામાં આવે છે. જેના માટે તેમને માસિક 150 રૂપિયાની ચૂકવણી કરવામાં આવે છે.

શું થાય જો આવું થાય તો...
જો સાંસદોના ખર્ચામાં દસથી વીસ ટકાનો ઘટાડો કરવામાં આવે અને તેને દેશના ગરીબો પર કોઇ યોજના અંતર્ગત ખર્ચ કરવામાં આવે તો દેશના ગરીબોની ઘણી સમસ્યાઓ હલ થઇ શકે છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ











Click it and Unblock the Notifications
