Garuda Puran: આ 10 કામ છે સૌથી ખતકરનાક, મૃત્યુ પછી ખુલી જશે સીધા નરકના દ્વાર
Garuda Puran: હિંદુ ધર્મની મહાન પૌરાણિક કથા ગરુડ પુરાણમાં વ્યક્તિના જીવનથી લઈને મૃત્યુ સુધીના ઘણા મહત્વપૂર્ણ પાસાંઓનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન વિષ્ણુને બ્રહ્માંડની ચાલક શક્તિ માનવામાં આવે છે.
વિષ્ણુ ગરુડ પુરાણનું મુખ્ય પાત્ર પણ છે. આમાં ભગવાન વિષ્ણુએ જીવન અને મૃત્યુ સાથે જોડાયેલા ઘણા ઊંડા રહસ્યો જણાવ્યા છે. આમાં જીવન, મૃત્યુ અને મૃત્યુ પછીના જીવન વિશે ઘણી વાતો કહેવામાં આવી છે.

જે લોકો ગરુડ પુરાણના ઉપદેશોનું પાલન કરે છે તેઓ સુખી જીવન જીવે છે. આવા લોકોને મૃત્યુ પછી મોક્ષ મળે છે. ગરુડ પુરાણ અનુસાર અમુક કામ કરવું ખોટું માનવામાં આવે છે. જે લોકો આ કામ કરે છે તે જીવનમાં ક્યારેય ખુશ નથી રહી શકતા. જેઓ આમાંથી કેટલાક કરે છે તેઓ મૃત્યુ પછી સીધા નરકમાં જાય છે. આવો જાણીએ ગરુડ પુરાણમાં આવી કઈ કઈ વસ્તુઓનો ઉલ્લેખ છે.
સૂર્યને નરી આંખે જોવો
ક્યારેય સૂર્યને નરી આંખે ન જોવો. ગરુડ પુરાણમાં કહેવાયું છે કે તેનાથી વ્યક્તિનું આયુષ્ય ઘટે છે અને જોવાની ક્ષમતા પર પણ તેની હાનિકારક અસર પડે છે.
ખોટુ કામ કરવુ
માનવીથી ભૂલો થવી સ્વાભાવિક છે. પરંતુ જાણીજોઈને ખોટો રસ્તો અપનાવવો કે ખોટું કરવું એ મહાપાપ ગણાય છે. એટલા માટે હંમેશા ધર્મના માર્ગે ચાલવું જોઈએ.
તૂટેલા પલંગ પર સૂવું
ગરુડ પુરાણ અનુસાર, તૂટેલા પલંગ પર સૂવાથી નકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે.
વડીલોનો અનાદર
જે ઘરના વડીલો કે માતા-પિતાનો અનાદર કરે છે તે પણ પાપ કરે છે. ગરુડ પુરાણ કહે છે કે આવા લોકોને નરકની યાતનાઓ ભોગવવી પડશે.
નાસ્તિક જીવન
જે લોકો ધર્મ અને ભગવાનમાં માનતા નથી અને જેઓ નાસ્તિક જીવન જીવે છે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મતલબ કે જેઓ ઈશ્વરમાં માનતા નથી તેઓ માનવતામાં માનતા નથી.
ખાસ પ્રસંગોએ બ્રહ્મચર્યનું પાલન કરવુ
અમાસ, એકાદશી, કૃષ્ણ ચતુર્થી, શુક્લપક્ષ, અષ્ટમી તિથિ અને દરેક મહિનાના વિશેષ દિવસોમાં બ્રહ્મચર્યનું પાલન કરો. આ દિવસોમાં તમારા વર્તન પર નિયંત્રણ રાખો.
તૂટેલો અરીસો
ગરુડ પુરાણ અનુસાર ઘરમાં તૂટેલો અરીસો રાખવો અથવા તેમાં તમારો ચહેરો જોવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે.
ઉધાર
ઉધાર લીધેલા પૈસા સિવાય કપડાં, ઘડિયાળ, ચંપલ વગેરે પણ કોઈની પાસેથી ઉધાર ન લેવા જોઈએ. આમ કરવાથી અન્યની નકારાત્મક ઉર્જા તમારી અંદર પ્રવેશ કરશે. છેતરપિંડી કરવી એ ગંભીર પાપ માનવામાં આવે છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો આવા કાર્યો કરે છે તે નરકમાં જાય છે.
પ્રાણીઓને મારવા
હિંદુ ધર્મમાં પ્રાણીઓની હત્યા કરવી મહાપાપ માનવામાં આવે છે. જેઓ પોતાના સ્વાર્થ અને સંતોષ માટે જીવોને મારી નાખે છે તેઓ જીવનમાં ક્યારેય સુખી થઈ શકતા નથી. તેમને મૃત્યુ પછી નરકની સજા ભોગવવી પડશે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?









Click it and Unblock the Notifications
