Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Garuda Puran: આ 6 કામ કરશો તો હંમેશા મળશે પ્રભુની કૃપા, જીવનમાં રહેશે સુખ-સમૃદ્ધિનો વાસ

Garuda Puran: ગરુડ પુરાણ વિષ્ણુ પુરાણનો એક ભાગ છે. ગરુડ પુરાણમાં પક્ષીઓના રાજા વિષ્ણુ અને ગરુડ વચ્ચેની વાતચીતનું વર્ણન છે. આ પુરાણનો બીજો ભાગ મૃત્યુ સાથે સંબંધિત બાબતો, ખાસ કરીને અંતિમ સંસ્કાર અને પુનર્જન્મ સાથે સંબંધિત છે.

કહેવાય છે કે ઘરમાં કોઈ સંબંધીનું મૃત્યુ થાય તો ગરુડ પુરાણનો પાઠ કરવો જોઈએ. તેનાથી આત્માને સાંસારિક જીવનમાંથી મુક્તિ મળે છે. આ પુરાણ હિંદુ મહાકાવ્યોમાંનું એક માનવામાં આવે છે.

Garuda Purana

ગરુડ પુરાણમાં જીવન વિશે ઘણી બાબતોનો ઉલ્લેખ છે. જો તમે આ વાતોનું પાલન કરશો તો તમને જીવનમાં ક્યારેય કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે. ગરુડ પુરાણમાં કહેવાયું છે કે જો કોઈ માણસે સુખી જીવન જીવવું હોય તો તેણે રોજ કોઈ સારુ કામ કરવું જોઈએ.

આ કાર્યો કરનારને જીવનમાં ભગવાનની કૃપા મળે છે. તેનાથી તમને જીવનની તમામ સુખ-સમૃદ્ધિ મળશે. આવો જાણીએ આ મહત્વપૂર્ણ કાર્યો વિશે.

ગરીબોને ભોજન કરાવો

ગરુડ પુરાણ અનુસાર તમારે તમારા ભોજનનો એક ભાગ ગરીબોને આપવો જોઈએ. ગરીબોને ભોજન કરાવીને તમે પુણ્ય કમાઈ શકો છો. આનાથી મા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે. પરિવારમાં ખુશીનો માહોલ રહે છે. જરૂરિયાતમંદ વ્યક્તિને સંપૂર્ણ ભોજન આપવું એ પુણ્યનું કાર્ય છે.

ગાયોની સંભાળ

ગરુડ પુરાણ અનુસાર ગાયની સંભાળ લેવી એ પ્રશંસનીય કાર્ય છે. જે લોકો દરરોજ ગાયની સેવા કરે છે તેમને જીવનમાં સમૃદ્ધિ અને શુભ વસ્તુઓ મળે છે.

કુળ દેવતાની પૂજા કરો

ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ પિતૃઓ અને કુળ દેવતાઓની પૂજા કરવી જોઈએ. જે વ્યક્તિ કુળ દેવતાઓ અને પિતૃઓની પૂજા કરે છે તેને જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. તેમના પર પિતૃઓ અને પરિવારના દેવી-દેવતાઓની કૃપા હંમેશા બની રહેશે.

નૈવેધ ધરાવો

ઘરમાં બનાવેલું સાત્વિક ભોજન ખાતા પહેલા ભગવાનને નૈવેદ્ય અર્પણ કરો અને ભોગ ધરાવો. તેનાથી તમને અન્નપૂર્ણા માતાના આશીર્વાદ મળશે અને તમે જીવનમાં ભાગ્યશાળી બનશો.

તુલસી પૂજા

ગરુડ પુરાણ અનુસાર તમારા ઘરમાં નિયમિત રીતે તુલસીની પૂજા કરો. જે ઘરમાં તુલસીની પૂજા કરવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મી હંમેશા વાસ કરે છે અને આવા ઘરમાં અન્ન અને પૈસાની કમી નથી રહેતી.

પ્રાણીઓને ખવડાવવું

ગરુડ પુરાણમાં લખેલા નિયમ મુજબ ઘરનું બનાવેલું પ્રથમ ભોજન ગાયને અને છેલ્લુ કૂતરાને આપવુ જોઈએ. પક્ષીઓને સમયાંતરે ખોરાક અને પાણી પણ આપો. ચોખાના લોટના ગોળા બનાવીને માછલીઓને ખવડાવો અને કીડીઓને ખાંડ અથવા ચોખાનો લોટ ખવડાવો. ગરુડ પુરાણ અનુસાર જે વ્યક્તિ નિયમિતપણે પશુ-પક્ષીઓની સંભાળ રાખે છે તેને જીવનમાં સફળતા, સુખ અને સમૃદ્ધિ મળે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X