ગણેશ ચતુર્થી પર કેમ ન જોવો જોઈઓ ચાંદ, જાણો કારણ
ગણેશ ચતુર્થી પર કેમ ન જોવો જોઈઓ ચાંદ, જાણો કારણ
દેશ આખો અત્યારે ગણેશ ઉત્સવની તૈયારીમાં લાગી ગયો છે, દરેક લોકો બાપ્પાના આગમનની રાહ જોઈ રહ્યા છે, ચારો તરફ ખુશીઓનો અને ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દિવસોમાં જે લોકો બાપ્પાને પોતાના ઘરે લાવે તેઓ ઘણું બધું ધ્યાન રાખતા હોય છે, પૂજા સ્થળથી ભોગ સામગ્રી સુધી લોકો તકેદારી રાખતા હોય છે પરંતુ બીજી એક વાત છે જે વિશેષ ધ્યાન દેનારી હોય છે, કે એ દિવસે ચંદ્રના દર્શન ન કરવા જોઈએ, એવું કહેવાય છે કે આ દિવસે ચંદ્રને જોવાથી માણસ કલંકનો શિકાર બની જાય છે.

ગણપતિએ ચંદ્રને આપ્યો હતો શ્રાપ
મોટાભાગના લોકો અજાણ હશે કે આના વિશે એક પ્રચલિત કથા પણ છે, પુરાણોમાં વર્ણન મળે છે કે ગણપતિએ ચંદ્રને શ્રાપ આપ્યો હતો કે એના દર્શન કરવાથી માણસ કલંકનો ભાગીદાર બની જશે. એકવાર ગણેશજી ઉંદર (મૂષ)ની સવારી કરતી વખતે પડી ગયા હતા જેને જોઈએ ચંદ્રએ એમની ભારે મજાક ઉડાવી હતી. જેના પર ગણેશજીને ભારે ગુસ્સો આવી ગયો હતો.

ચંદ્રએ ગણપતિની માફી માંગી
એમણે ચંદ્રને ઠપકો આપતા કહ્યું હતું કે મુસીબતના સમયે લોકોની મદદ કરવાને બદલે ઠેકડી ઉડાવો છો, જાઓ હું તને શ્રાપ આપુ છું કે આજ પછી તું આ વિશાળ ગગન પર રાજ નહીં કરી શકે. તમારા પ્રકાશને કોઈ મહેસૂસ નહીં કરી શકે. આજ પછી કોઈપણ તમને જોઈ નહીં શકે. બાદમાં ચંદ્રને પોતાની ભૂલનો અહેસાસ થતા એણે ગણપતિની માફી માગી, ચંદ્રની હાલત જોઈ દેવતાગણ પણ પરેશાન થઈ ગયા, જે બાદ એમણે ગણેશજીને પ્રાર્થના કરી કે તેઓ પોતાનો શ્રાપ પરત લઈ લે. ગણેશજીએ ચંદ્રને માફતો કરી દીધો પરંતુ કહ્યું કે હવે હું ધારું તો પણ મારો શ્રાપ પરત ન લઈ શકું. પરંતુ આ શ્રાપની અસરને ઘટાડવા માટે એક વરદાન જરૂર આપી શકું છું.

એટલે ગણેશ ચતુર્થી પર ચાંદ ન જોવો જોઈએ
ગણેશજીએ ચંદ્રમાને કહ્યું કે એવું જરૂર થશે કે તમે તમારો પ્રકાશ ગુમાવી બેસશો પરંતુ એક મહિનામાં માત્ર એક વાર જ. જે બાદ તમે ફરી સમયની સાથે પ્રકાશિત થતા જશો અને ફરી 15 દિવસના અંતરાલમાં તમારા સંપૂર્ણ વેષમાં જોવા મળશે, તમે ચતુર્થીના દિવસે મારું અપમાન કર્યું છે માટે જે કોઈપણ વ્યક્તિ આજના દિવસે તમને જોશે તે પણ કલંકિત થઈ જશે.

જો ભૂલથી ચાંદ જોવાઈ જાય તો?
પરંતુ જો કોઈ ભૂલથી ચંદ્રને જોઈલે તો તેણે કલંકથી બચવા માટે અહીં જણાવેલ મંત્રનો જાપ કરવો.
ભાદ્રશુક્લચતુથ્રયાયો જ્ઞાનતોઅજ્ઞાનતોઅપિવા।
અભિશાપીભવેચ્ચન્દ્રદર્શનાભ્દૃશદુઃખભાગ્।।
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
