કેવી રીતે થાય છે મુસ્લિમ કિન્નરના અંતિમ સંસ્કાર? જાણો હિન્દુ કિન્નર કરતા કેટલા અલગ હોય છે?
Funerals of Eunuchs : કિન્નરો આમ તો સમાજનો એક ભાગ છે પરંતુ તેમની જિંદગી વિશે હજારો દંતકથાઓ પ્રચલિત છે. આવી જ એક દંતકથા તેમના અંતિમ સંસ્કારને લઈને પણ છે.
કહેવાય છે કે જો કોઈ કિન્નરનું મોત થાય તો તેને ચપ્પલથી મારવામાં આવે છે. જો કે હવે અહીં સવાલ એ થાય કે કોઈ મુસ્લિમ કિન્નરનું મોત થાય તો તેમની અંતિમ વિધિ કેવી રીતે થાય છે?

કિન્નરો વિશે કહેવાય છે કે તેમના અંતિમ સંસ્કાર રાતમાં જ કરવામાં આવે છે. મૃતકને ચપ્પલથી મારતા મારતા અંતિમ સંસ્કાર માટે લઈ જવાય છે. જેથી કોઈ જોઈ ન શકે.
ન્યૂઝ18 સાથે વાત કરતાં મહંત કામિનીએ જણાવ્યુ કે, સદીઓથી સમાજ કિન્નરોને અભિશાપ તરીકે જોતો આવ્યો છે, તેથી તેમના વિશે ઘણી ખોટી માન્યતાઓ ફેલાઈ રહી છે.
મહંત કામિની કહે છે કે, એ વાત તદ્દન ખોટી છે કે જ્યારે કોઈ કિન્નરનું મૃત્યુ થાય ત્યારે તેની લાશને જૂતા અને ચપ્પલથી મારવામાં આવે છે. જો કોઈ મિત્રનું મૃત્યુ થાય તો અમે પણ તે જ રીતે શોક વ્યક્ત કરીએ છીએ જે રીતે અન્ય લોકો તેમના પ્રિયજનોના મૃત્યુનો શોક વ્યક્ત કરે છે.
મહંત કામિની જણાવે છે કે, કિન્નરના અંતિમ સંસ્કાર પણ સામાન્ય વ્યક્તિની જેમ જ કરવામાં આવે છે. જો કોઈ વ્યંઢળ મુસ્લિમ સમુદાયનો હોય તો તેના અંતિમ સંસ્કાર ઈસ્લામિક રીતે કરવામાં આવે છે. એટલે કે તેને દફનાવવામાં આવે છે. જો હિંદુ સમુદાયનો હોય તો તેના અંતિમ સંસ્કાર હિંદુ ધર્મ પ્રમાણે કરવામાં આવે છે.
જણાવી દઈએ કે, કિન્નરોના અંતિમ સંસ્કારમાં કિન્નરો સિવાય સિંગર, સંગીતકારો અને અન્ય ઘણા લોકો હોય છે જે કિન્નર નથી. આ સિવાય એક કિન્નર સમાજના ઘણા લોકો સાથે સારા સંબંધો જાળવી રાખે છે જે તેની અંતિમ ક્ષણોમાં તેની સાથે રહે છે.
મહંત કામિની કહે છે કે આવા લોકો કિન્નરના અંતિમ સંસ્કાર કરે છે. આ લોકો તેમની અંતિમ યાત્રામાં પણ ભાગ લે છે અને તેના અંતિમ સંસ્કાર પણ કરે છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
