ઈલેક્શન ડ્યુટી કરતા કર્મચારીઓને કેટલા રૂપિયા મહેનતાણું અપાય છે? જાણો શું છે નિયમ?
લોકસભા ચૂંટણીમાં લાખો સરકારી કર્મચારીઓને ઈલેક્શન ડ્યુટી પર લગાવવામાં આવે છે. આ સ્થિતીમાં તમને સવાલ થાય કે કર્મચારીઓને કોઈ વિશેષ રૂપિયા ચુકવાય છે કે કેમ?
ચૂંટણી દરમિયાન સરકારી કર્મચારીઓને મોટા પાયે ફરજ પર મૂકવામાં આવે છે. જેથી કરીને મતદાન પ્રક્રિયા કોઈપણ મુશ્કેલી વિના પૂર્ણ થઈ શકે.

આ માટે સરકારી કર્મચારીઓને પગાર પણ આપવામાં આવે છે. જે તેમના પ્રોફાઈલ પ્રમાણે નક્કી કરવામાં આવે છે.
ચૂંટણી દરમિયાન અલગ-અલગ પોસ્ટ પર કર્મચારીઓને તૈનાત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે પ્રિસાઇડિંગ ઓફિસરને 1550 રૂપિયા આપવામાં આવે છે.
ચૂંટણી ફરજ બજાવતા પ્રથમ મતદાન કર્મચારીને 1150 રૂપિયા અને બીજા મતદાન કર્મચારીને 900 રૂપિયા મહેનતાણું આપવામાં આવે છે.
આ સિવાય ચૂંટણી માટે અનામત રાખવામાં આવેલા પ્રિસાઇડિંગ ઓફિસરને 850 રૂપિયાનું મહેનતાણું આપવામાં આવે છે. જ્યારે પોલિંગ સ્ટાફ પ્રથન અને બીજા માટે 650 રૂપિયા અને અનામતમાં રાખવામાં આવેલા પોલિંગ સ્ટાફ માટે રૂપિયા 450 નક્કી કરવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. સવારથી જ 102 સીટો પર મતદારો પોતાનો મત આપવા માટે લાઈન લગાવી રહ્યાં છે. કેટલીક જગ્યાએ હિંસાના અહેવાલો વચ્ચે મોટાભાગની જગ્યાએ શાંતિપુર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. મોટાભાગના રાજ્યોમાં મતદાનની ટકાવારી સારી જોવા મળી છે.












Click it and Unblock the Notifications
