વાત એ મુસ્લિમની જે ન હોત તો આજે આ ભારતમાં કોફી ન પહોંચી હોત, જાણો કોણ હતો એ વ્યક્તિ?
દુનિયાભરમાં કરોડો લોકો કોફીના દિવાના છે. ભારતમાં પણ તેને શોખથી પીવામાં આવે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે કોફી વિદેશથી ભારત પહોંચી છે.
કોફી ચા પછી આ સૌથી વધુ પીવાતુ પીણું છે. યુરોપિયન દેશ ફિનલેન્ડમાં દરેક ઘરમાં ચાની જેમ કોફી રોજ પીવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે કોફી ક્યાંથી આવી?

તમને જાણીને નવાઈ લાગશે કે એક મુસ્લિમ સંત કોફીને ભારત લાવ્યા હતા. જો તે ન હોત તો કદાચ ભારતીયો ક્યારેય કોફીનો સ્વાદ ન માણી શક્યા હોત.
દુનિયાની લગભગ 60 ટકા કોફી અરેબિકા પ્લાન્ટમાંથી બને છે. આ મોટાભાગે આફ્રિકન દેશોમાં ઉગાડવામાં આવે છે. પરંતુ તેના ઉદભવની વાર્ત રસપ્રદ છે.
નેચર જિનેટિક્સ જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં વૈજ્ઞાનિકોએ કહ્યું કે અરેબિકા પ્લાન્ટનું કોઈ અસ્તિત્વ નહોતું. 1 મિલિયન વર્ષ પહેલાં ઇથોપિયાના જંગલોમાં કોફીની અન્ય બે પ્રજાતિઓ એક સાથે જોડાઈ અને તેનો જન્મ થયો હતો. પવનને કારણે બંને જાતિના પરાગ ભેગા થઈ અને અરેબિકા છોડને જન્મ થયો.
સ્ટેટ યુનિવર્સિટીના જીવવિજ્ઞાની અને સંશોધન ટીમના સભ્ય વિક્ટર આલ્બર્ટ કહે છે કે, સી. અરેબિકા એક સંકર છોડ છે. તે પરાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો અને તેની સાથે જ વિશ્વ વિખ્યાત કોફીનો જન્મ થયો.
અગાઉ એવું કહેવાતું હતું કે કોફીના છોડનો જન્મ 10 હજાર વર્ષ પહેલા થયો હતો. આ સિદ્ધાંતને વૈજ્ઞાનિકોની આ ટીમ દ્વારા નકારી કાઢવામાં આવ્યો. સંશોધકોએ કહ્યું કે, અમે અરેબિકા બીજ પર આનુવંશિક સંશોધન કર્યું, જે અમને જણાવે છે કે તેની ઉત્પત્તિ 60000 વર્ષથી 10 લાખ વર્ષ પહેલાં થઈ હતી.
માનવામાં આવે છે કે આ પહેલા તેની ખેતી ઇથોપિયામાં શરૂ થઈ હતી. ત્યાંથી તેનો ધંધો મધ્ય પૂર્વમાં શરૂ થયો. પછી તે આખી દુનિયામાં ફેલાઈ ગઈ. 15મી સદી સુધી મધ્ય પૂર્વમાં લોકપ્રિય પીણું હતું.
કહેવાય છે કે મક્કા ગયેલા એક ભારતીય સૂફી મુસ્લિમ યમનથી સાત બીજ લઈને ભારત આવ્યા હતા. તેને 1670 ની આસપાસ કર્ણાટકની ચંદ્રગિરી પહાડીઓમાં વાવવામાં આવ્યા અને અહીંથી ભારતમાં કોફીની શરૂઆત થઈ. આજે અરેબિકા છોડ 50 થી વધુ દેશોમાં ઉગાડવામાં આવે છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
