Friendship Day 2023 : આ વર્ષે ફ્રેન્ડશીપ ડે ક્યારે ઉજવાશે?
Friendship Day 2023 : માતાપિતા, ભાઇબહેન અને સગાસંબધી જેવા સંબંધ જન્મથી જ મળે છે. આવામાં મિત્રતા એક એવો સમય છે કે, જેમાં આપણને પસંદગી કરવાની સતા મળે છે.
આવામાં મિત્રતા એ જીવનની સૌથી મૂલ્યવાન વસ્તુઓમાંથી એક છે અને આ સુંદર સંબંધના મહત્વને દર્શાવવા માટે, દર વર્ષે ફ્રેન્ડશિપ ડે મનાવવામાં આવે છે.
કોઈ વ્યક્તિ દરરોજ પોતાના મિત્રો સાથે મળી શકે છે અને આનંદ-પ્રમોદ કરી શકે છે, પરંતુ આ અજોડ બંધનને ઉજવવા માટે સમર્પિત એક દિવસ પણ હોય છે. જેમાં દર વર્ષે ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારને ફ્રેન્ડશિપ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ફ્રેન્ડશિપ ડે 6 ઓગસ્ટના રોજ આવે છે.

આ દિવસ સૌપ્રથમ 1958માં પેરાગ્વેમાં પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. જોકે, તે 1930માં જોયસ હોલ દ્વારા હોલમાર્ક કાર્ડ્સમાંથી આવ્યું હોવાનું જાણવા મળે છે.
નજીકના મિત્રો આપણા જીવનમાં જે મહત્વની ભૂમિકા ભજવે છે, અને તેઓ આપણને એક સારા વ્યક્તિ તરીકે કેવી રીતે આકાર આપે છે, તેની ઉજવણી કરવાનો દિવસ એટલે ફ્રેન્ડશિપ ડે.
સામાન્ય રીતે લોકો એકબીજાના કાંડા પર ફ્રેન્ડશિપ બેન્ડ બાંધીને ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરે છે. તેને કાયમ માટે એકબીજાના શ્રેષ્ઠ મિત્રો (BFFs) બનવાના વચન તરીકે ગણવામાં આવે છે.
આ દિવસે મિત્રો એકબીજાની કંપનીનો આનંદ માણે છે, અને ક્વોલિટી સમય પસાર કરવા માટે બહાર જાય છે. તેઓ એકબીજાને શુભેચ્છા પાઠવે છે. આ સાથે ઘણા લોકો એકબીજાને ભેટ અને ફૂલ પણ આપે છે.
-
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી -
બરોડા ડેરીના સંચાલકોને રજીસ્ટ્રારે કારણદર્શક નોટિસ ફટકારી, જાણ કેમ? -
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે ‘કવાંટ ગેર મેળા’ની ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ








Click it and Unblock the Notifications
