પાર્ટનર સાથે લડાઈ થઈ ગઈ હોય તો ખુદને આવી રીતે રાખો શાંત
ઝઘડાને શાંત કરવા અને સ્થિતિને સુધારવા માટે અમુક ઉપાય કરી શકાય છે. આવો, આજે આ લેખમાં અમે તમને અમુક આવા જ ઉપાયો જણાવીએ.
નવી દિલ્લીઃ જ્યારે બે વ્યક્તિનો ઝઘડો થાય ત્યારે વાત ત્યાં ખતમ નથી થતી. ઝઘડા પછી પણ વ્યક્તિ ગુસ્સામાં રહે છે. જેનાથી તેની માનસિક શાંતિ હણાઈ જાય છે અને તે તણાવમાં આવી જાય છે. પછી ભલે એ ઝઘડો પાર્ટનાર સાથે જ કેમ ના હોય. જો કે, એવુ કહેવાય છે કે પ્રેમ હોય ત્યાં તકરાર પણ હોય જ. જ્યારે બે જણ સાથે રહે તો તેમની વચ્ચે હળવી નોંક-ઝોંક થવી સામાન્ય છે. પરંતુ ક્યારેક ઝઘડો વધી જાય અને વ્યક્તિ ખૂબ ગુસ્સામાં રહે છે. સ્થિતિ સુધરવાના બદલે બગડતી જાય છે માટે ઝઘડાને શાંત કરવા અને સ્થિતિને સુધારવા માટે અમુક ઉપાય કરી શકાય છે. આવો, આજે આ લેખમાં અમે તમને અમુક આવા જ ઉપાયો જણાવીએ.

થોડી વાર એનાથી દૂર જતા રહો
પોતાને શાંત કરવાની આ સૌથી સારી રીત છે. જો તમે પોતાના પાર્ટનર સાથે હમણા ઝઘડો થયો હોય તો સારુ રહેશે કે તમે એક-બે કલાક માટે તેની નજરથી દૂર જતા રહો. જેમકે, તમે થોડી વાર માટે પાર્ક કે જિમમાં જતા રહો અથવા થોડા સમય માટે ક્યાંક બહાર જતા રહો. આમ કરવાથી બંનેનો ગુસ્સો શાંત થઈ જશે. વળી, તમે સ્થિતિને વધુ સારીલરીતે એનલાઈઝ કરી શકશો.

સંગીત સાંભળો
સંગીતને લોકો ઘણી વાર એક થેરેપીની જેમ યુઝ કરે છે. આનાથી તેમને ખુદને શાંત કરવામાં મદદ મળે છે. જો તમને એવુ લાગતુ હોય કે તમે હજુ પણ ખુદને પરેશાન કે તણાવગ્રસ્ત અનુભવી રહ્યા છો તો તમે થોડા સમય માટે પોતાનુ મનગમતુ સંગીત સાંભળો. એ તમને સારુ ફીલ કરાવશે. આમ પણ સંગીત એક સારા મૂડ લિફ્ટર તરીકે કામ કરે છે અને માટે તમે મ્યૂઝિક સાંભળીને પોતાનુ સ્ટ્રેસ દૂર કરી શકો છો.

મેડિટેશન કરો
જો તમને એવુ લાગતુ હોય કે પાર્ટનર સાથે ઝઘડો થયા પછી તમે ખુદને બહુ વધુ બેચેન કે તણાવમાં અનુભવી રહ્યા હોય તો તમે પોતાને શાંત કરવા માટે ધ્યાનનો સહારો પણ લઈ શકો છો. મેડિટેશન એક એવી રીત છે જેનાથી તમને માનસિક રીતે બહુ વધુ લાભ થાય છે. એ તણાવને ઘટાડવામાં સહાયક છે. જો મેડિટેશનનો નિયમિત અભ્યાસ કરવામાં આવે તો વ્યક્તિની વારંવાર ગુસ્સો આવવાની આદત પણ ખતમ થઈ જાય છે.

વાત કરો
કહેવાય છે કે ક્યારેય તાળી એક હાથે નથી વાગતી. આનો અર્થ એ છે કે જો લડાઈ થઈ છે તો માત્ર એક પક્ષની ભૂલ નથી. ક્યાંકને ક્યાંક તમે પણ એ સ્થિતિ માટે જવાબદાર હતા. માટે સારુ રહેશે કે તમે પહેલ કરો અને પોતાની ભૂલની માફી માંગો. વિશ્વાસ રાખો, આમ કરવાથી તમારા પાર્ટનરને પણ તેની ભૂલનો અહેસાસ થશે. આનાથી સ્થિતિ સુધરશે અને તમારો ગુસ્સો પણ શાંત થઈ જશે.

રુટીન ડેવલપ કરો
એવુ જોવામાં આવ્યુ છે કે અમુક કપલ્સ વચ્ચે બહુ વધુ ઝઘડો થાય છે અને તેમની વચ્ચે તણાવની સ્થિતિ રહે છે. આવુ એટલા માટે થાય છે કારણકે તે તણાવને મેનેજ કરવા માટે કોઈ ઉપાય નથી કરતા અને પછી તે તણાવ તેમના સંબંધ પર અસર કરે છે. પછી સંબંધની રસ્સાકસ્સી તેમને વધુ પરેશાન કરે છે. જો તમે તમારુ એક ડેઈલી રુટિન અપનાવશો તો તમે પોતાના ડેઈલી સ્ટ્રેસને મેનેજ કરી શકશો અને તમારો સંબંધ પણ ખુશહાલ બની જશે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ










Click it and Unblock the Notifications
