Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Kukur Tihar Festival : શું છે કુકુર તિહાર? જાણો કેમ નેપાળના લોકો દિવાળી પર કરે છે કુતરાઓની પુજા?

Kukur Tihar Festival : ભારતની જેમ ભારતનો પાડોશી દેશ નેપાળ પણ તેની વૈવિધ્યસભર સંસ્કૃતિ માટે જાણીતો છે. અહીં પણ ભારતની જેમ ઘણા તહેવારો ઉજવાય છે.

તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં દિવાળી ઉજવાય છે ત્યારે નેપાળમાં લોકો કુતરાની પુજા કરે છે. આના માટે ખાસ તહેવાર ઉજવાય છે.

Kukur Tihar Festival

નેપાળમાં કુકુર તિહાર નામનો એક અનોખો તહેવાર ઉજવવામાં આવે છે. આને કૂતરાઓના તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આમાં કુતરાઓને વિશેષ સન્માન આપવામાં આવે છે અને તેમની દેવતાઓની જેમ પૂજા કરવામાં આવે છે. નેપાળમાં આ પાંચ દિવસનો તહેવાર ધામધુમથી ઉજવાય છે.

કુકુર તિહારને નેપાળમાં દિવાળીની આસપાસ ઉજવવામાં આવે છે અને આ અનન્ય પરંપરા માટે તે વિશ્વભરમાં જાણીતો છે. આ તહેવારમાં શ્વાનને દેવતા તરીકે પૂજવામાં આવે છે અને તેમને વિશેષ સન્માન આપવામાં આવે છે.

હિંદુ ધર્મમાં કૂતરાને યમરાજનો દૂત માનવામાં આવે છે. યમરાજ મૃત્યુના દેવતા છે. માન્યતા છે કે કૂતરાઓ યમરાજના દૂત છે અને મૃત આત્માઓને યમલોકમાં લઈ જાય છે. કુતરા સદીઓથી માણસના સૌથી વફાદાર સાથી રહ્યા છે. તે ઘરોનું અને લોકોનું રક્ષણ કરે છે.

કુકુર તિહારમાં કૂતરાઓના આ તમામ ગુણોનું સન્માન કરવામાં આવે છે. આ ઉપરાંત આ તહેવાર પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને આદરને પ્રોત્સાહન આપે છે. કૂતરાઓને ખવડાવવામાં આવે છે, પાણી પીવડાવવામાં આવે છે, સ્નાન કરાવવામાં આવે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X