Kukur Tihar Festival : શું છે કુકુર તિહાર? જાણો કેમ નેપાળના લોકો દિવાળી પર કરે છે કુતરાઓની પુજા?
Kukur Tihar Festival : ભારતની જેમ ભારતનો પાડોશી દેશ નેપાળ પણ તેની વૈવિધ્યસભર સંસ્કૃતિ માટે જાણીતો છે. અહીં પણ ભારતની જેમ ઘણા તહેવારો ઉજવાય છે.
તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં દિવાળી ઉજવાય છે ત્યારે નેપાળમાં લોકો કુતરાની પુજા કરે છે. આના માટે ખાસ તહેવાર ઉજવાય છે.

નેપાળમાં કુકુર તિહાર નામનો એક અનોખો તહેવાર ઉજવવામાં આવે છે. આને કૂતરાઓના તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આમાં કુતરાઓને વિશેષ સન્માન આપવામાં આવે છે અને તેમની દેવતાઓની જેમ પૂજા કરવામાં આવે છે. નેપાળમાં આ પાંચ દિવસનો તહેવાર ધામધુમથી ઉજવાય છે.
કુકુર તિહારને નેપાળમાં દિવાળીની આસપાસ ઉજવવામાં આવે છે અને આ અનન્ય પરંપરા માટે તે વિશ્વભરમાં જાણીતો છે. આ તહેવારમાં શ્વાનને દેવતા તરીકે પૂજવામાં આવે છે અને તેમને વિશેષ સન્માન આપવામાં આવે છે.
હિંદુ ધર્મમાં કૂતરાને યમરાજનો દૂત માનવામાં આવે છે. યમરાજ મૃત્યુના દેવતા છે. માન્યતા છે કે કૂતરાઓ યમરાજના દૂત છે અને મૃત આત્માઓને યમલોકમાં લઈ જાય છે. કુતરા સદીઓથી માણસના સૌથી વફાદાર સાથી રહ્યા છે. તે ઘરોનું અને લોકોનું રક્ષણ કરે છે.
કુકુર તિહારમાં કૂતરાઓના આ તમામ ગુણોનું સન્માન કરવામાં આવે છે. આ ઉપરાંત આ તહેવાર પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને આદરને પ્રોત્સાહન આપે છે. કૂતરાઓને ખવડાવવામાં આવે છે, પાણી પીવડાવવામાં આવે છે, સ્નાન કરાવવામાં આવે છે.












Click it and Unblock the Notifications
