Lok Sabha Election 2024 : ભારતીય હોવા છત્તા આ લોકોને મત આપવાનો અધિકાર નથી, જાણો કોણ કોણ છે આ લિસ્ટમાં?
ભારતમાં ચૂંટણીને લોકશાહીનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. તમામ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પ્રતિનિધીઓને ચુંટે છે.
સામાન્ય રીતે લોકો એવુ માને છે કે ભારતમાં રહેતા તમામ લોકોને મતાધિકાર મળે છે. જો કે આવુ નથી. ઘણા ભારતીયોને પણ મત આપવાનો અધિકાર નથી.

આપણા દેશમાં કેટલાક એવા લોકો છે જેમને દેશના નાગરિક હોવા છતાં મત આપવાનો અધિકાર નથી. આ ભારતનું બંધારણ કહે છે. આ લોકો શા માટે વોટ નથી કરી શકતા અને તેની પાછળના કારણ શું છે તે જાણવુ જરૂરી છે.
- ભારતમાં એવા ઘણા લોકો છે જેમના નામ મતદાર યાદીમાં છે છતાં તેઓ મતદાન કરી શકતા નથી. ભારતના બંધારણમાં પણ તેનો ઉલ્લેખ છે.
- જો કોઈ વ્યક્તિને કોર્ટ દ્વારા માનસિક રીતે બીમાર જાહેર કરવામાં આવી હોય તો તે વ્યક્તિને મતદાન કરવાનો અધિકાર નથી અને આવી વ્યક્તિને મતદાન કરવાની મંજૂરી નથી.
- આ સિવાય ભારતના બંધારણ મુજબ વિદેશમાં સ્થાયી થયેલા લોકોને પણ મત આપવાનો અધિકાર નથી.
- જો તમે વિદેશમાં સ્થાયી થયા છો અને ત્યાંની નાગરિકતા લીધી છે તો તમને ભારતમાં યોજાતી કોઈપણ ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર નથી.
- જો તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ છે અને તમારું નામ મતદાન યાદીમાં નથી તો તમને મત આપવાનો અધિકાર નથી.
- જો તમે કોઈ ગુનામાં જેલમાં ગયા હોવ અને જેલમાં બંધ હોવ તો પણ તમને મત આપવાનો અધિકાર નથી. ભલે તમે અંડરટ્રાયલ કેદી હોવ. જો કે, કેટલાક કેદીઓને મતદાન કરવાની છૂટ છે.












Click it and Unblock the Notifications
