Lok Sabha Election 2024 : ભારતીય હોવા છત્તા આ લોકોને મત આપવાનો અધિકાર નથી, જાણો કોણ કોણ છે આ લિસ્ટમાં?
ભારતમાં ચૂંટણીને લોકશાહીનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. તમામ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પ્રતિનિધીઓને ચુંટે છે.
સામાન્ય રીતે લોકો એવુ માને છે કે ભારતમાં રહેતા તમામ લોકોને મતાધિકાર મળે છે. જો કે આવુ નથી. ઘણા ભારતીયોને પણ મત આપવાનો અધિકાર નથી.

આપણા દેશમાં કેટલાક એવા લોકો છે જેમને દેશના નાગરિક હોવા છતાં મત આપવાનો અધિકાર નથી. આ ભારતનું બંધારણ કહે છે. આ લોકો શા માટે વોટ નથી કરી શકતા અને તેની પાછળના કારણ શું છે તે જાણવુ જરૂરી છે.
- ભારતમાં એવા ઘણા લોકો છે જેમના નામ મતદાર યાદીમાં છે છતાં તેઓ મતદાન કરી શકતા નથી. ભારતના બંધારણમાં પણ તેનો ઉલ્લેખ છે.
- જો કોઈ વ્યક્તિને કોર્ટ દ્વારા માનસિક રીતે બીમાર જાહેર કરવામાં આવી હોય તો તે વ્યક્તિને મતદાન કરવાનો અધિકાર નથી અને આવી વ્યક્તિને મતદાન કરવાની મંજૂરી નથી.
- આ સિવાય ભારતના બંધારણ મુજબ વિદેશમાં સ્થાયી થયેલા લોકોને પણ મત આપવાનો અધિકાર નથી.
- જો તમે વિદેશમાં સ્થાયી થયા છો અને ત્યાંની નાગરિકતા લીધી છે તો તમને ભારતમાં યોજાતી કોઈપણ ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર નથી.
- જો તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ છે અને તમારું નામ મતદાન યાદીમાં નથી તો તમને મત આપવાનો અધિકાર નથી.
- જો તમે કોઈ ગુનામાં જેલમાં ગયા હોવ અને જેલમાં બંધ હોવ તો પણ તમને મત આપવાનો અધિકાર નથી. ભલે તમે અંડરટ્રાયલ કેદી હોવ. જો કે, કેટલાક કેદીઓને મતદાન કરવાની છૂટ છે.
More From
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
