Lok Sabha Election 2024 : કેવી રીતે બને નવી સરકાર? વિગતે જાણો પુરી પ્રક્રિયા
બીજેપીની હાર બાદ નરેન્દ્ર મોદી હવે ગઠબંધનની સરકાર બનાવવા મજબુર થયા છે. આ સ્થિતી વચ્ચે ઘણા લોકો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે નવી સરકાર કેવી રીતે બને?
ચૂંટણીથી લઈને પરિણામ સુધીની પુરી પ્રક્રિયા બાદ નવી સરકારનું ગઠન થાય છે. આ માટે એક ચોક્કસ સિસ્ટમ છે.

લોકસભા ચૂંટણી
લોકસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો ચૂંટણી છે. ઈલેક્શન કમિશન ચૂંટણીની જાહેરાત કરે તેની સાથે નવી સરકાર બનવાની પ્રક્રિયા શરૂ થાય છે.
મતોની ગણતરી
લોકસભાની ચૂંટણી પછી મતગણતરી એ મહત્વનો તબક્કો છે. મત ગણતરી દ્વારા નક્કી કરવામાં આવે છે કે કયો પક્ષ સરકાર બનાવશે. મત ગણતરી દ્વારા જ નક્કી થાય છે કે ક્યા પક્ષ કે ગઠબંધનને બહુમતી મળી છે.
વડાપ્રધાનનું રાજીનામું
મતગણતરી બાદ દેશના તત્કાલિન વડાપ્રધાન રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપે છે. જે પછી રાષ્ટ્રપતિ ભૂતપૂર્વ વડા પ્રધાનને નવા વડા પ્રધાનના શપથ સુધી કાર્યકારી વડા પ્રધાન તરીકે સેવા આપવા વિનંતી કરે છે.
સંસદીય પક્ષના નેતાની ચૂંટણી
મત ગણતરી પૂરી થયા પછી બહુમતી મેળવનાર પક્ષ અથવા ગઠબંધન તેના નેતાની પસંદગી કરે છે.
સરકાર રચવા રાષ્ટ્રપતિ સમક્ષ દાવો
રાષ્ટ્રપતિ લોકસભા ચૂંટણીમાં મતોની ગણતરી અને પીએમના રાજીનામા પછી બહુમતી મેળવનાર પક્ષને સરકાર બનાવવા માટે આમંત્રણ આપે છે. આ પછી બહુમતવાળી પાર્ટી રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિને મળે છે અને સરકાર બનાવવાનો દાવો કરે છે.
શપથ ગ્રહણ
સરકાર બનાવવા માટે રાષ્ટ્રપતિ પાસેથી સંમતિ મેળવ્યા પછી તે પક્ષ શપથ ગ્રહણ સમારોહની તારીખ અને સમયની જાહેરાત કરે છે.
મંત્રીઓના વિભાગોનું વિભાજન
સરકારની રચના પછી પ્રથમ કેબિનેટ બેઠકમાં સરકાર વિવિધ સાંસદોને વિભાગોના પ્રધાનોનો હવાલો સોંપે છે. જો કે, એવું જરૂરી નથી કે સરકાર પ્રથમ કેબિનેટ બેઠકમાં જ તમામ વિભાગોને વહેંચી દે. કેન્દ્ર અને રાજ્યના પ્રધાનોના નામની જાહેરાત અને સરકારના કાર્યકાળ વચ્ચે થોડા દિવસો પછી પણ ઘણી વખત સરકાર ફેરફારો કરી શકે છે.












Click it and Unblock the Notifications
