Navratri Special : છઠ્ઠા નોરતે કરો માં કાત્યાયિનીની પૂજા આ રીતે
મહર્ષિ કાત્યાયનની પ્રાથના સાંભળી પ્રસન્ન થયા માં કાત્યાયિની. આથી નવરાત્રીના છઠ્ઠા નોરતે માં કાત્યાયિનીની પૂજા કરવામાં આવે છે. આ અંગે વધુ વાંચો અહીં
આજે નવરાત્રિનો છઠ્ઠો દિવસ છે. આજના દિવસે મા કાત્યાયિનીની પૂજા થાય છે. જે પાતાના ભક્તની દરેક ઇચ્છા પૂરી કરે છે. સાધક કહે છે કે સાચા મનથી માગવામા આવેલી દરેક ઇચ્છા માતા જરૂર પૂરી કરે છે. કાત્યાયિની માતાનું ધ્યાન ગોધૂલી સમયે કરવામાં આવે છે.
નવરાત્રીના છઠ્ઠા દિવસે માં કાત્યાયિનીની પૂજા આરાધની શરૂઆત નીચે આપેલા શ્લોકથી કરવી. આ શ્લોક જાતકને યોગ્ય ફળની પ્રાપ્તિ કરાવે છે.
या
देवी
सर्वभूतेषु
माँ
कात्यायनी
रूपेण
संस्थिता।
नमस्तस्यै
नमस्तस्यै
नमस्तस्यै
नमो
नम:।।
કહેવાય છે કે, કાત નામના પ્રસિદ્ધ મહર્ષિ હતા. તેમને પુત્ર ઋષિ કાત્ય થયા. આજ કાત્યના ગોત્રમાં વિશ્વપ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન થઇ ગયા. તેમણે મા ભગવતીની તેમણે ઘણા વર્ષો સુધી તપસ્યા કરી હતી. મા ભગવતીએ તેમની પ્રાર્થના સ્વીકારી લીધી. ત્યારબાદથી માતાનું નામ કાત્યાયિની પડ્યું.
મા પોતાના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતી. માનું આ રૂપ ખુબ જ સરસ અને સૌમ્ય અને મોહક છે. નવરાત્રિના દિવસોમાં માની સાચા મનથી પૂજા કરવી જોઇએ. લોકો ઘટ સ્થાપિત કરીને માની ઉપાસના કરે છે, જેનાથી હંમેશા માની કૃપા ભક્તો પર રહે છે.