Myanmar earthquake : કેટલી તિવ્રતાનો ભૂકંપ આવે તો મકાન ધરાસાઈ થાય? જાણો મ્યાનમારનો ભુકંપ કેટલો ખતરનાક?
Myanmar earthquake : મ્યાનમારમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે, જેના કારણે સમગ્ર દેશમાં હાહાકારની સ્થિતી છે. હાલ કોઈ મોટી હાનિની જાણકારી નથી પરંતુ કેટલાક વિસ્તારોમાં નુકસાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વિશ્વના વિવિધ દેશોમાં દર વર્ષે ભૂકંપની ઘટનાઓ થાય છે, જેમાં કેટલીક ખૂબ જ વિનાશકારી સાબિત થાય છે. ભૂકંપના જોરદાર આંચકાને કારણે ઘણીવાર ઇમારતો ધરાશાયી થઈ જાય છે અને જાન-માલનું ભારે નુકસાન થતું હોય છે.

વિશ્વમાં ખાસ કરીને જાપાન ભૂકંપગ્રસ્ત પ્રદેશ તરીકે ઓળખાય છે. હાલમા જ જાપાનના ક્યુસુ શહેરમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જે વિનાસક સાબિત થયો હતો.
ભૂકંપ પૃથ્વી પર સ્થિત 12 ટેક્ટોનિક પ્લેટોના ખસકવાથી થાય છે. જ્યારે આ પ્લેટો અથડાય છે, ત્યારે ઉત્પન્ન થતી ઊર્જાને ભૂકંપ કહેવાય છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 1 થી 9માં મપાય છે.
- 6 થી 6.9ની તીવ્રતા: આવા ભૂકંપમાં ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે અને ઉપરના માળને નુકસાન પહોંચી શકે છે.
- 7 થી 7.9ની તીવ્રતા: આવા ભૂકંપમાં મજબૂત ઇમારતો પણ ધરાશાયી થઈ શકે છે અને મોટી સંખ્યામાં નુકસાન થાય છે.
- 8 થી 8.9ની તીવ્રતા: આવા ભૂકંપમાં સુનામીનું જોખમ વધી જાય છે, જેના કારણે ઇમારતો અને મોટા પુલ તૂટી શકે છે.
- 9 અને તેથી વધુની તીવ્રતા: આવા ભૂકંપોને વિનાશકારી ગણવામાં આવે છે. માનવી પૃથ્વીને લહેરાતી જોઈ શકે છે. સુનામીને કારણે મોટી જાનહાનિ થવાની સંભાવના રહે છે.
ભૂકંપથી બચવા ઇમારતોના ભુકંપ-પ્રતિરોધક બાંધકામ પર ભાર આપવો જરૂરી છે. સરકાર અને વૈજ્ઞાનિક સંસ્થાઓ સતત આ દિશામાં અભ્યાસ કરી રહી છે જેથી ભૂકંપજન્ય હાનિ ઘટાડવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે.












Click it and Unblock the Notifications
