Mythology News : દુનિયા કોણે બનાવી? જાણો શું કહે છે શિવ પુરાણ
Mythology News : સનાતન ધર્મમાં બ્રહ્મા જીને જગતનો સર્જનહાર માનવામાં આવે છે. ત્રિદેવ એટલે કે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાંથી એક છે. ધાર્મિક માન્યતાઓમાં જણાવ્યા અનુસાર, ત્રિદેવ પાસે સૃષ્ટિના સર્જન, સંતુલિત અને વિનાશ કરવાની જવાબદારી હોય છે.
હવે તમારા મનમાં એક સવાલ થતો હશો કે, આ દુનિયાનું સર્જન કોણે કર્યું છે? સૃષ્ટિનું સર્જન કર્યુ છે, તેમનું સર્જન કોણે કર્યું? શિવ પુરાણમાં આ વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે.

બ્રહ્માજીની ઉત્પત્તિ કેવી રીતે થઈ? - પૌરાણિક કથાઓ અનુસાર, ક્ષીરસાગરમાં બેઠેલા ભગવાન વિષ્ણુની નાભિમાંથી નીકળેલા કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ હતી. એટલા માટે તેમને સ્વયંભુ પણ કહેવામાં આવે છે. બ્રહ્માજીના 4 મુખ હોવા પાછળનું કારણ કહેવામાં આવે છે કે, જ્યારે તેઓ જન્મ્યા, ત્યારે તેમણે ચારે બાજુ જોયું અને તેના કારણે તેમને ચાર મુખ થયા હતા.
શિવપુરાણમાં એક પ્રકરણ છે કે, એકવાર બ્રહ્માએ તેમના પુત્ર નારદને જણાવ્યું હતું કે, વિષ્ણુની રચના કર્યા બાદ, સદાશિવ અને શક્તિએ તેમના જમણા અંગમાંથી મને (બ્રહ્માજી) બનાવ્યા અને તરત જ મને વિષ્ણુની કમળની નાભિમાં મૂક્યો હતો. આમ એ કમળમાંથી મારો પુત્ર તરીકે જન્મ થયો.
બ્રહ્મા નામ કેમ પડ્યું? - ભારતીય ફિલોસોફી અનુસાર, જે નિર્ગુણ છે (જે ત્રણ ગુણો - સત્વ, રજસ અને તમસની બહાર છે) જે નિરાકાર અને સર્વવ્યાપી છે, તેને બ્રહ્મ કહેવામાં આવે છે. તેથી આ બધા ગુણો હોવાને કારણે તેમને બ્રહ્મા નામથી બોલાવવામાં આવે છે. આ સાથે બ્રહ્માજીને સ્વયંભુ, વિધાતા, ચતુરાનન વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે.
બ્રહ્માજીના રસપ્રદ તથ્યો? - બ્રહ્માજી પોતાના હાથમાં અનુક્રમે વરમુદ્રા, અક્ષરસૂત્ર, વેદ અને કમંડલુ ધરાવે છે. હંસને ભગવાન બ્રહ્માનું વાહન માનવામાં આવે છે. બ્રહ્માજીની પત્નીનું નામ સાવિત્રી છે. દેવી સરસ્વતીને તેમની પુત્રી માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુની પ્રેરણાથી, દેવી
સરસ્વતીને ભગવાન બ્રહ્મા દ્વારા સમગ્ર વેદોનું જ્ઞાન શીખવવામાં આવ્યું હતું. તમામ દેવતાઓને ભગવાન બ્રહ્માના પૌત્ર માનવામાં આવે છે. આ જ કારણ છે કે, તેમને પિતામહ પણ કહેવામાં આવે છે. બ્રહ્માજીને દેવતા, દાવન અને તમામ જીવોના પિતામહ માનવામાં આવે છે.
બ્રહ્માના માનસ પુત્ર - શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, બ્રહ્માએ પ્રથમ પૃથ્વી સહિત સમગ્ર બ્રહ્માંડની રચના કરી હતી. તે પછી તેમણે જીવોની રચના વિશે વિચાર્યું અને પછી તેમણે તેના શરીરના જુદા જુદા ભાગોમાંથી પુત્રોની રચના કરી હતી. તે બધા માનસ પુત્રો કહેવાય છે.
હૃદયમાંથી મારિચિ
આંખમાંથી અત્રિ
મુખમાંથી અંગિરસ
કાનમાંથી પુલત્સ્ય
નાભિમાંથી પુલહ
હાથમાંથી કૃતુ
ચામડીમાંથી ભૃગુ
પ્રાણમાંથી વશિષ્ઠ
પગના અંગૂઠામાંથી દક્ષ
પડછાયામાંથી - કંદર્ભ
ખોળામાંથી - નારદ
ઇચ્છામાંથી - સનક, સનંદન, સનાતન, સનતકુમાર
દેહમાંથી શતરૂપા, મનુ
ધ્યાનમાંથી ચિત્રગુપ્ત
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
