ચીનની જાસૂસી કરાવવામાં નહેરૂએ અમેરિકાની કરી હતી મદદ
નવી દિલ્હી, 18 ઓગષ્ટ: આઇએનએસએ પોતાના એક રિપોર્ટમાં સનીસનીખેજ ખુલાસો કર્યો છે. એનએસએના રિપોર્ટ અનુસાર 1962માં ચીનની સાથે યુદ્ધમાં મળેલી હાર બાદ ભારતના વડાપ્રધાન પંડિત જવાહર લાલ નહેરૂએ ચીનની જાસૂસીમાં અમેરિકાની મદદ કરી હતી. આ રિપોર્ટ અનુસાર ભારતે ડ્રેગન વિસ્તારને ટાર્ગેટ બનાવવા માટે અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઇએના યૂ-2 જાસૂસી વિમાનોને પોતાના એક હવાઇ મથકનો ઉપયોગ કરવાની પરવાનગી આપી હતી જેથી તે ચીનની જાસૂસી સરળતાથી કરી શકે.
વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂએ 11 નવેમ્બર 1962ના રોજ ચીનને અડીને આવેલા ભારતની બોર્ડર વિસ્તારોમાં અમેરિકા દ્વારા ચલાવવામાં આવી રહેલા યૂ-2 મિશનના વિમાનોને ઉડાણની પરવાનગી આપી હતી. એનએસએએ આ રીઓર્ટ અસીઆઇએના ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ તાજતરમાં ગોપનીય યાદીમાંથી દૂર કરવામાં આવેલા દસ્તાવેજના આધારે તૈયારી કરી છે.

આ દસ્તાવેજોના આધારે તત્કાલીન ભારતીય રાષ્ટ્રપતિ એસ રાધાકૃષ્ણન અને અમેરિકન રાષ્ટ્રપતિ જોન એફ કૈનેડી વચ્ચે 1963માં થયેલી બેઠક બાદ ઓરિસ્સાના ચરબતિયા હવાઇ મથકનો ઉપયોગ કરવાની સહમતિ બની હતી. સહમતિ બાદ ભારત આ હવાઇ મથકોને નક્કી સમયગાળામાં ઠીક કરી ન શક્યા હતા. ત્યારબાદ મેરીને પોતાના મિશન માટે થાઇલેંડને તાખલી હવાઇ મથકનો ઉપયોગ કરવો પડ્યો હતો.
સીઆઇએના રિપોર્ટ અનુસાર પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાએ એક ઓક્ટોમ્બર 1962ને ભારતના જમ્મૂ અને કાશ્મીર તથા નોથ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સીને મોટાપાયે અચંભિત કરવાના હુમલા શરૂ કર્યા. ચીનના હુમલા રોકવા પહેલાં બ્રહ્મપુત્ર ઘાટીના ઉત્તર પ્રદેશ સ્થિત ભારતના બધા મોરચાની કિલ્લેબંધી કરી દિધી હતી. ચીનની હરકતોને જોયા બાદ ભારત સરકારે અમેરિકાથી સૈન્ય મદદથી ગુહાર લગાવી હતી.
આ દરમિયાન 11 નવેમ્બર 1962ના રોજ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ પ્રસ્તાવિત અભિયાન પર સહમતિ દર્શાવી હતી અને અમેરિકાને તેના યૂ-2 વિમાનોને ભારતીય હવાઇ મથકથી ઇંઘણ લેવાની પરવાનગી આપવામાં આવી. પછી જવાહરલાલ નહેરૂના નિધનના કારણે મે 1964માં ચરબતિયામાં યૂ-2 વિમાનની પહેલી તૈનાતીને રદ કરી દિધા હતા.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન










Click it and Unblock the Notifications
