ચીનની જાસૂસી કરાવવામાં નહેરૂએ અમેરિકાની કરી હતી મદદ
નવી દિલ્હી, 18 ઓગષ્ટ: આઇએનએસએ પોતાના એક રિપોર્ટમાં સનીસનીખેજ ખુલાસો કર્યો છે. એનએસએના રિપોર્ટ અનુસાર 1962માં ચીનની સાથે યુદ્ધમાં મળેલી હાર બાદ ભારતના વડાપ્રધાન પંડિત જવાહર લાલ નહેરૂએ ચીનની જાસૂસીમાં અમેરિકાની મદદ કરી હતી. આ રિપોર્ટ અનુસાર ભારતે ડ્રેગન વિસ્તારને ટાર્ગેટ બનાવવા માટે અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઇએના યૂ-2 જાસૂસી વિમાનોને પોતાના એક હવાઇ મથકનો ઉપયોગ કરવાની પરવાનગી આપી હતી જેથી તે ચીનની જાસૂસી સરળતાથી કરી શકે.
વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂએ 11 નવેમ્બર 1962ના રોજ ચીનને અડીને આવેલા ભારતની બોર્ડર વિસ્તારોમાં અમેરિકા દ્વારા ચલાવવામાં આવી રહેલા યૂ-2 મિશનના વિમાનોને ઉડાણની પરવાનગી આપી હતી. એનએસએએ આ રીઓર્ટ અસીઆઇએના ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ તાજતરમાં ગોપનીય યાદીમાંથી દૂર કરવામાં આવેલા દસ્તાવેજના આધારે તૈયારી કરી છે.

આ દસ્તાવેજોના આધારે તત્કાલીન ભારતીય રાષ્ટ્રપતિ એસ રાધાકૃષ્ણન અને અમેરિકન રાષ્ટ્રપતિ જોન એફ કૈનેડી વચ્ચે 1963માં થયેલી બેઠક બાદ ઓરિસ્સાના ચરબતિયા હવાઇ મથકનો ઉપયોગ કરવાની સહમતિ બની હતી. સહમતિ બાદ ભારત આ હવાઇ મથકોને નક્કી સમયગાળામાં ઠીક કરી ન શક્યા હતા. ત્યારબાદ મેરીને પોતાના મિશન માટે થાઇલેંડને તાખલી હવાઇ મથકનો ઉપયોગ કરવો પડ્યો હતો.
સીઆઇએના રિપોર્ટ અનુસાર પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાએ એક ઓક્ટોમ્બર 1962ને ભારતના જમ્મૂ અને કાશ્મીર તથા નોથ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સીને મોટાપાયે અચંભિત કરવાના હુમલા શરૂ કર્યા. ચીનના હુમલા રોકવા પહેલાં બ્રહ્મપુત્ર ઘાટીના ઉત્તર પ્રદેશ સ્થિત ભારતના બધા મોરચાની કિલ્લેબંધી કરી દિધી હતી. ચીનની હરકતોને જોયા બાદ ભારત સરકારે અમેરિકાથી સૈન્ય મદદથી ગુહાર લગાવી હતી.
આ દરમિયાન 11 નવેમ્બર 1962ના રોજ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ પ્રસ્તાવિત અભિયાન પર સહમતિ દર્શાવી હતી અને અમેરિકાને તેના યૂ-2 વિમાનોને ભારતીય હવાઇ મથકથી ઇંઘણ લેવાની પરવાનગી આપવામાં આવી. પછી જવાહરલાલ નહેરૂના નિધનના કારણે મે 1964માં ચરબતિયામાં યૂ-2 વિમાનની પહેલી તૈનાતીને રદ કરી દિધા હતા.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
