No caste certificate : કેવી રીતે મળે No Caste-No Religion સર્ટિફિકેટ? જાણો પુરી પ્રક્રિયા
No caste certificate : ભારત જેવા દેશોમાં ધર્મ અને જાતિ હવે ધીરે ધીરે લોકોના શોષણનું એક મોટુ કારણ બની રહ્યાં છે. આજ કારણ છે કે ઘણા લોકો હવે ધર્મ અને જાતિથી આઝાદ થવા માંગે છે.
જણાવી દઈએ કે, ભારતનું બંધારણ તમને કોઈપણ ધર્મ કે જાતિ વગર જીવવાનો અધિકાર આપે છે. તમે નો કાસ્ટ અને નો રિલિજિયન સર્ટિફિકેટ પણ મેળવી શકો છો. જો તમે જાતિ અને ધર્મ છોડવા માંગો છો તો જાતિ વિના અને ધર્મ વિનાનું પ્રમાણપત્ર મેળવી શકો છો.

બાળકોને શાળામાં દાખલ કરાવવાથી લઈને સરકારી દસ્તાવેજો અને સરકારી નોકરીના ફોર્મમાં જાતિ અને ધર્મની વિગતો આપવી પડે છે. લગભગ તમામ સરકારી અને બિનસરકારી ફોર્મમાં જાતિ અને ધર્મ વિશે માહિતી માટે કૉલમ હોય છે.
જો તમે દેશની આરક્ષણ વ્યવસ્થા હેઠળ અનામતનો લાભ મેળવો છો તો તમારે જાતિનું પ્રમાણપત્ર આપવું પડે છે. આજે એવા ઘણા લોકો છે જે તેમના ધર્મ અને જાતિનો ત્યાગ કરીને પ્રમાણપત્ર મેળવે છે.
જણાવી દઈએ કે, કોઈપણ વ્યક્તિ જાતિ અને ધર્મને ધ્યાનમાં લીધા વિના જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસમાં પ્રમાણપત્ર માટે અરજી કરી શકે છે. જે બાદ તે વ્યક્તિએ ફોર્મ ભરીને જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસમાં જમા કરાવવાનું રહે છે. આ પ્રક્રિયા પછી જિલ્લા મેજિસ્ટ્રેટ તમામ પ્રમાણપત્રોની ચકાસણી કરીને અરજદારને કોઈ જાતિ, કોઈ ધર્મ નહીંનું પ્રમાણપત્ર આપે છે.
જણાવી દઈએ કે ભારતીય બંધારણ કોઈપણ વ્યક્તિને જાતિ અને ધર્મથી મુક્ત જીવન જીવવાનો અધિકાર આપે છે. બંધારણના અનુચ્છેદ 25 અનુસાર લોકોને તેમનો ધર્મ બદલવાનો અને જાતિથી મુક્ત થવાનો સંપૂર્ણ અધિકાર છે.
ભારતીય રાજ્ય અધિનિયમ 19-(1) (A) મુજબ જો કોઈ વ્યક્તિ કોઈપણ ધર્મથી અલગ રહેવા માંગે છે તો અલગ રહેવાની જોગવાઈ છે. આ અંતર્ગત કોઈ વ્યક્તિ પ્રશાસન પાસેથી નો જાતિ, નો ધર્મ પ્રમાણપત્રની માંગ કરી શકે છે.












Click it and Unblock the Notifications
