Pics: કોઇ રાજનેતાએ ચડાવી ચાદર તો કોઇએ માની બાધા
બેંગલુરુ, 25 એપ્રિલ: શુક્રવારે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીએ કેદારનાથ ધામના દર્શન કર્યા, બાબાના ધામમાં રાહુલ ગાંધીએ શું માંગ્યું એવા મીડિયાના સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે હું ક્યારેય મંદિરમાં જઇને માગતો નથી. જોકે આ પહેલો એવો પ્રસંગ નથી કે કોઇ રાજનેતા આ પ્રકારે ભગવાનના ધામ પર પહોંચ્યો હોય. આ પહેલા પણ ઘણા નેતા ભગવાનના ધામમાં પહોંચીને દેશ અને દેશવાસીયોને આવનારા સંકટમાંથી બચાવવાની દુઆ માંગી ચૂક્યા છે.
ભગવાનના ધામમાં જઇને આમ પૂજા-પાઠ કરવો આમતો દરેક વ્યક્તિનો એક વ્યક્તિગત અધિકાર છે પરંતુ જ્યારે વાત રાજનેતાઓની આવે તો વ્યક્તિગત નહીં પરંતુ સૌની થઇ જાય છે. માત્ર આપણા દેશના જ નેતા ભગવાનના દર પર નથી જતા પરંતુ ઘણા પાડોશી મૂલ્કના પણ નેતાગણ ભારતના ઘણા તીર્થ સ્થાનો પર આવીને પોતાનું શીષ ઝૂકાવે છે.
આવો આપને બતાવીએ એક તસવીરી ઝલક જેમાં ઇશ્વરના દરબારમાં જઇને આ નેતાઓએ માંગી છે દુઆ....

બરાક ઓબામા
અમેરિકા તરફથી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ખ્વાજા અજમેર શરીફના દરબારમાં ચડાવવા માટે ચાદર મોકલવાવી હતી.

મુફ્તી મોહમ્મદ સઇદ
દરગાહ હજરબલ શ્રીનગરની દરગાહ પર મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઇદ.

પૂર્વ બાંગ્લાદેશી રાષ્ટ્રપતિ હુસૈન
ખ્વાજા અજમેર શરીફના દરબારમાં પૂર્વ બાંગ્લાદેશી રાષ્ટ્રપતિ હુસૈન.

બાંગ્લાદેશી રાષ્ટ્રપતિ
બાંગ્લાદેશી રાષ્ટ્રપતિ અબ્દુલ હામિદ ખ્વાજા સાહેબના દરબારમાં હાજરી આપી હતી.

ઉમર અબ્દુલ્લાહ
ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાહ હજરતબલ દરગાહ શ્રીનગરમાં દુઆ માંગતા નજરે પડે છે.

પ્રણવ મુખર્જી
માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા આવેલા દેશના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી.

ફારૂખ અબ્દુલ્લાહ
એનસીપીના પ્રમુખ ફારૂખ અબ્દુલ્લા હજરતબલ શ્રીનગરની દરગાહ પર નમાજ અદા કરી રહ્યા છે.

હેમંત સોરેન
ભૂતપૂર્વ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન માતા વૈષ્ણોદેવીના દર્શનાર્થે ગયા હતા ત્યારની તસવીર

જયાપ્રદા
સપામાંથી બરખાસ્ત કરવામાં આવેલ નેતા જયાપ્રદા સલીમ ચિશ્તીની દરગાહ પર.

નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે ગયા હતા ત્યારની તસવીર. અહીં મોદી અનોખા અંદાજમાં દેખાયા હતા.

સચિન પાયલટ
અઝમેર શરીફની દરગાહ પર કોંગ્રેસ નેતા સચિન પાયલટ.

મોહમ્મદ અઝરૂદ્દીન
અઝમેર શરીફની પાસે દુઆ માંગવા પહોંચેલા કોંગ્રેસ નેતા મોહમ્મદ અઝરૂદ્દીન.

ફારૂખ અબ્દુલ્લાહ
અઝમેર શરીફની પાસે દુઆ માંગવા પહોંચેલા ફારૂખ અબ્દુલ્લાહ.

રાહુલ ગાંધી
કોંગ્રેસના યુવરાજ લાંબી રજાઓ બાદ સ્વદેશ પાછા ફર્યા છે. હાલમાં રાહુલ ગાંધી કેદારનાથ ધામની યાત્રા માટે પગપાળા રવાના થઇ ગયા છે.
-
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?










Click it and Unblock the Notifications
