Pitru Paksh 2023 : પિતૃ પક્ષમાં પાંચ જીવોને અપાય છે ભોજન, જાણો પંચત્વ સાથેનું કનેક્શન
Pitru Paksh 2023 : દર વર્ષે ભાદરવી પૂનમથી 15 દિવસ સુધી પિતૃ પક્ષની શરૂઆત થાય છે. સનાતન ધર્મમાં પિતૃ પક્ષ દરમિયાન પિતૃના મોક્ષ અને મુક્તિ માટે અતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષ પિતૃ પક્ષ 29 સપ્ટેમ્બર શુક્રવારના રોજથી શરૂ થશે.
એવું માનવામાં આવે છે કે, શ્રાદ્ધ માટે તૈયાર કરવામાં આવેલા ભોજન પૃથ્વી પરના પાંચ જીવોને અવશ્ય આપવામાં આવે છે. આ પાંચ જીવો સનાતન ધર્મના પાંચ તત્વો સાથે જોડાયેલા છે.

આ પાંચ જીવોને શ્રાદ્ધ ભોજનનો એક ભાગ અર્પણ કરવાથી પૂર્વજોની શાંતિ થાય છે. આ અહેવાલમાં આપણે જાણીશું કે, શ્રાદ્ધ ભોજનનો અમુક ભાગ કયા જીવો માટે લેવામાં આવે છે, અને હિન્દુ ધર્મમાં તેમની ભૂમિકા શું છે.
ગાય - સનાતન ધર્મમાં ગાયને માતાનો દરજ્જો છે. પંચતત્વમાં ગાયને પૃથ્વીનું તત્વ કહેવામાં આવ્યું છે. તેથી શ્રાદ્ધ ભોજનનો એક ભાગ ગાયને આપવામાં આવે છે.
કાગડો - આ સાથે જ સનાતન ધર્મમાં કાગડાને વાયુ તત્વનું પ્રતિક કહેવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે, જો કાગડો શ્રાદ્ધ ભોજનનો એક ભાગ ખાય છે, તો તેનો અર્થ એ છે કે, પૂર્વજોનું પેટ ભરાઈ ગયું છે અને તેઓ ખુશ છે.
તેથી શ્રાદ્ધ ભોજનનો એક ભાગ કાગડા માટે ચોક્કસપણે રાખવામાં આવે છે. આ સિવાય પિતૃ પક્ષમાં કાગડો જોવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
કૂતરો - સનાતન ધર્મમાં કૂતરાને જળ તત્વનું પ્રતિક કહેવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે, શ્રાદ્ધ ભોજનનો એક ભાગ કૂતરાને ખવડાવવામાં આવે છે. આમ કરવાથી પૂર્વજોની આત્માઓ શાંત થાય છે, અને તેઓ ખુશ થાય છે અને પરિવારને પ્રગતિના આશીર્વાદ આપે છે.
ભગવાન - દેવતાઓ આકાશ તત્વના પ્રતિક હોવાનું કહેવાય છે. દરેક પ્રકારના ભોજનનો પ્રથમ ભાગ દેવતાઓને ખવડાવવાની સનાતન ધર્મની પરંપરા રહી છે. એવું કહેવાય છે કે, જ્યારે શ્રાદ્ધ પક્ષના ભોજનનો એક ભાગ દેવતાઓને અર્પણ કરવામાં આવે છે, ત્યારે પિતૃઓ ખુશ થઈ જાય છે અને પરિવારને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.
કીડી - કીડી ભલે દેખાવમાં નાની હોય, પરંતુ સનાતન ધર્મમાં તેને અગ્નિનું પ્રતિક કહેવામાં આવ્યું છે. શ્રાદ્ધપક્ષ દરમિયાન કીડીઓ માટે ખોરાકનો અમુક ભાગ પણ બહાર કાઢવામાં આવે છે. તેનાથી પૂર્વજો સંતુષ્ટ થાય છે અને પોતાની આવનારી પેઢીના ઉત્કર્ષ માટે પ્રાર્થના કરે છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
