Raksha Bandhan 2023: રાખડી કાઢ્યા પછી તેનુ શું કરવુ?, ફેંકી દેશો તો સંબંધો પર પડશે ખરાબ અસર
Raksha Bandhan 2023: ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો તહેવાર રક્ષાબંધન આ વખતે 30 અને 31 ઓગસ્ટના રોજ બે દિવસ ઉજવાશે. ભદ્રા નક્ષત્રના કારણે આ ચોક્કસ સમયે રાખડી બાંધવામાં આવતી નથી, તેથી રક્ષાબંધન બે દિવસ સુધી ઉજવવામાં આવશે.
એવું માનવામાં આવે છે કે ભદ્રા નક્ષત્રમાં જ શૂર્પણખાએ રાવણને રાખડી બાંધી હતી અને રાવણનો નાશ થયો હતો. રક્ષાબંધન એક ધાર્મિક તહેવાર છે, તેથી તેમાં કરવામાં આવતી દરેક વિધિ પાછળ કોઈ ધાર્મિક કારણ હોય છે, જે જાણવું જરૂરી છે.

ભદ્રા નક્ષત્રમાં રાખડી ના બાંધવી. તેવી જ રીતે થાળી સજાવવા પાછળ પણ કેટલાક નિયમો હોય છે અને રાખડી કાઢવાના પણ કેટલાક નિયમો હોય છે. આવો જાણીએ પવિત્ર રાખડી કાઢ્યા પછી શું કરવું?
રાખી એ કોઈ ફેશનની વસ્તુ નથી, તે એક રક્ષાસૂત્ર છે જે ભાઈની રક્ષા કરે છે અને દેવતાઓ દ્વારા આશીર્વાદ મેળવે છે. મહાભારતમાં, દ્રૌપદીએ પોતાનો પાલવ ફાડીને કૃષ્ણની આંગળી કપાઈ ત્યારે તેમની આંગળીની આસપાસ લપેટી દીધો હતો. ત્યારથી રક્ષાબંધન દરમિયાન બહેન દ્વારા બાંધવામાં આવેલ રક્ષા સૂત્રમાં ભગવાનના આશીર્વાદ હોય છે.
રાખડી કે રક્ષાસૂત્રને બીજા દિવસે ઉતાર્યા પછી ફેંકશો નહીં અને તેને અહીં-ત્યાં ક્યાંય રાખશો નહીં. તેને માન આપો. રાખડી ઉતાર્યા બાદ તેને લાલ કપડામાં લપેટીને ભાઈઓ અને બહેનો જ્યાં પોતાનો સામાન રાખે છે તે જગ્યાએ રાખો અથવા તેને સ્વચ્છ અને વ્યવસ્થિત જગ્યાએ રાખો.
આવતા વર્ષે જ્યારે તમે રાખડીના દિવસે નવી રાખડી બાંધો તો આ દરમિયાન ગમે ત્યારે જૂની રાખડીને નદી કે તળાવમાં વહેવડાવી દો અથવા ઝાડના મૂળ પાસે જમીન ખોદીને દાટી દો. બીજા દિવસે નવી રાખડી ઉતારીને એ જ કપડામાં લપેટીને એવી જ રીતે રાખો.
પરંતુ એક વાતનું ધ્યાન રાખો, જો રાખડી ઉતારતી વખતે તે તૂટી જાય તો તરત જ તેને નદીમાં ફેંકી દો, તેને ઘરમાં ન રાખો. રાખડીને યોગ્ય રીતે રાખવાથી ભાઈ-બહેનનો સંબંધ વધુ મજબૂત બને છે. તેની સાથે ઘરમાં સકારાત્મક ઉર્જા પણ આવે છે.












Click it and Unblock the Notifications
