Ramzan 2023: ભારતમાં ક્યારે શરુ થાય છે રમઝાન? જાણો કેમ મનાવાય છે રમઝાન, કેમ રાખવામાં આવે છે રોજા
ભારતમાં પવિત્ર રમઝાન મહિનો શરુ થવા જઈ રહ્યો છે. આવો જાણીએ ક્યારે શરુ થશે. શું છે તેનુ મહત્વ અને રોજા કેમ રાખવામાં આવે છે.

Ramzan 2023: ઈસ્લામિક કેલેન્ડરના પવિત્ર રમઝાન મહિનાની શરુઆત 22 માર્ચ, બુધવારે થવાની સંભાવના છે. જે 21 એપ્રિલ, શુક્રવાર સુધી ચાલશે અને ઈદ સાથે સંપન્ન થશે. ઈદ ઉલ ફિત્ર 22 એપ્રિલ શનિવાર અથવા 23 એપ્રિલ રવિવારે મનાવવામાં આવી શકે છે જે ચાંદ પર નિર્ભર કરે છે.

મઝાન મહિનો સૌથી પવિત્ર
ઈસ્લામિક માન્યતા અનુસાર, પયગંબર મોહમ્મદ સાહેબે આ સમયે ઈ.સ. 610માં કુરાન શરીફની તાલીમ મેળવી હતી. આ મહિનામાં પેયગમ્બર સાહેબને અલ્લાહ દ્વારા તેમના સંદેશવાહક તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ત્યારથી રમઝાન મહિનો સૌથી પવિત્ર મહિના તરીકે ઓળખાય છે.

રોજા કેમ રાખવામાં આવે છે?
રમજાન અથવા રમઝાન શબ્દ મૂળભૂત રીતે અરબી શબ્દ છે, એટલે કે તેનુ મૂળ અરેબિયામાંથી આવ્યુ છે. અરબી ભાષામાં તેનો અર્થ થાય છે "ગરમ તાપ અને શુષ્કતા" એવુ માનવામાં આવે છે કે સૂર્યના પ્રખર તાપમાં વ્રત કરનારના પાપ બળી જાય છે અને મન સ્વચ્છ બને છે.

રોજા દરમિયાન શું કરે છે?
રોજામાં સૌથી મહત્વની બાબત છે આત્મ-નિયંત્રણ. તમારી આંખો, નાક, કાન, જીભ અને વિચારો પર નિયંત્રણ રાખો. આ દરમિયાન વ્યક્તિએ ખરાબ વિચારવુ, ખરાબ જોવાનુ, ખરાબ સાંભળવુ અને ખરાબ બોલવાનુ ટાળવુ જોઈએ. આ પવિત્ર માસ ખરાબ ટેવો છોડવાની પણ પ્રેરણા આપે છે.












Click it and Unblock the Notifications
