અલ્હાબાદમાં જૈગુઆર ક્રેશ, જાણો જૈગુઆર વિમાનના 10 રહસ્યો
અલ્હાબાદ, 16 જૂન: અલ્હાબાદથી 13 કિલોમીટર દૂર અભ્યાસ કરતી વખતે મંગળવારે સવારે જૈગુઆર વિમાન ક્રેશ થયું. જો સત્યતા પર એક નજર કરવામાં આવે તો વાયુદળ સામે આ એક મોટી સમસ્યા છે, કેમકે વાયુસેના ના સૌથી મોંઘા વિમાનમાનું એક જૈગુઆર છે.
જોકે રાહતના સમાચાર એ છે કે આ દુર્ઘટનામાં બંન્ને પાયલટ સુરક્ષિત છે. હવે તપાસનો વિષય એ છે કે જૈગુઆરમાં દુર્ઘટના કેવી રીતે બની. બામરોલી હવાઇમાર્ગથી હજુ તો વિમાને ઉડાન ભરી જ હતી ને થોડીક જ મીનીટો પછી પાયલટે ગ્રાઉંડ સ્ટાફને વિમાનમાં તકનીકી ગડબડ છે એવી માહિતી મોકલી આપી હતી. વિમાનને કાબુમાં લાવવામાં જ્યારે પાયલેટ અસફળ રહ્યા ત્યારે, તેઓએ પોતાને સુરક્ષિત રાખવા માટે પેરાશૂટ ધ્વારા વિમાનમાંથી બહાર નીકળી આવ્યા અને વિમાનને છોડી દિધુ, ત્યારપછી વિમાન નૈની વિસ્તારમાંની ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોડાઉનની પાસે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું.
જમીન પર પડવાથી વિમાનમાં આગ લાગી અને આગને ઓલવવા માટે ફાઇયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ વિસ્તારને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યો. જમીન પર કોઇને પણ નુકસાન પહોચ્યું નથી.
આવો એક નજર કરીએ જૈગુઆર વિમાન વિશેની આ રસપ્રદ માહિતી પર...

જૈગુઆરની કિંમત?
એક જૈગુઆર વિમાનની કિંમત 95 કરોડ રૂપિયા થાય છે.

ભારતમાં ક્યારથી આવ્યા જૈગુઆર?
ભારતની જમીન પર સૌપ્રથમવાર 27 જુલાઇ 1979 ના રોજ આ વિમાન ઉતર્યુ હતું.

જૈગુઆર આવતા નિકળી ગયા વેમ્પાયર
જે વર્ષમાં જૈગુઆર ભારતમાં આવ્યા એ વર્ષે જ હેવીલેંન્ડના વૈમ્પાયર વિમાન રિટાયર થઇ ગયા.

કૈનબેરા, હૉકર થયા આઉટડેટેડ
જૈગુઆરના આવતા જ 1957માં ભારતીય વાયુદળના કૈનબેરા બી અને હૉકર હંટરને આઉટડેટેડ ગણાવી દેવામાં આવ્યા.

જૈગુઆર ઉડાવનાર પહેલા ભારતીય
જૈગુઆર ઉડાવવા વાડા પહેલા ભારતીય પૂર્વ વિંગ કમાંડર ડો. નડકર્ની હતા, જે જૈગુઆરની ટ્રેનિંગ માટે યુકે ગયા હતાં. તેમને અન્ય પાયલોટની જોડે 25 ફ્રેબ્રુઆરીએ 1979માં લંડન પહોંચ્યા હતા.

જૈગુઆરથી પહેલા સી સર્વાઇવલ
ટ્રેનિંગ જૈગુઆર ઉડાવવા માટે ટ્રેનિંગ પહેલા પાયલટનું મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. ત્યારબાદ સી-સર્વાઇવલ ટ્રેનિંગ એટલે કે શૂન્ય ડિગ્રીથી નીચે સમુદ્રમાં કૂદ્યા બાદ આપ કેવી રીતે બહાર નીકળી શકો છો.

અમેરિકાએ કરી હતી જાસૂસી
ડા.નડકર્નીના મત મુજબ જ્યારે પહેલી વાર જૈગુઆર ને ભારત લાવવામાં આવ્યું હતું ત્યારે અમેરિકી વિમાને આકાશમાં ખૂબ ઉંચેથી જૈગુઆરનો પીછો કર્યો હતો અને ફોટા પાડ્યા હતા.

જૈગુઆરનું ભારતીય નામ
જૈગુઆર જ્યારે ભારત આવ્યું ત્યારે તેનું નામ ઇંદ્ર (INDRA) સુચવવામાં આવ્યું, પરંતુ આ નામને એયર ચીફ માર્શલ દિલબાગ સિંહને અટલામાટે ના પાડ્યું કેમકે આ નામ પૂર્વપ્રધાનમંત્રી ઇંદિરા ગાંઘી થી મળતું હતું.

જૈગુઆરનું ભારતનું નામ ડરીન
ડીઆરડીઓને જૈગુઆરનું નામ ડરીન (DARIN) આપ્યું. જેનું ફુલ ફૉમ છે ડિસ્પ્લે એટૈક રેંજિંગ ઇનર્શિયલ નેવીગેશન .

પરમાણું પથિયાર થી લૈસ
મિરાજ પછી જૈગુઆર ભારતીય વાયુસેના નું એક માત્ર વિમાન છે કે જે પરમાણું હથિયારોથી લૈસ હોય શકે છે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
