Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ratan Tata Funeral : ન અગ્નિ સંસ્કાર અને ન દફનવિધી, જાણો કેવી રીતે થાય છે પારસીઓના અંતિમ સંસ્કાર?

Parsi Funeral : ભારતના અંગ્રણી ઉદ્યોગપતિ અને ટાટા સન્સના પુર્વ ચેરમેન રતન ટાટાનું 86 વર્ષે અવસાન થયુ છે. પારસી પરિવારમાં જન્મેલા રતન ટાટાએ ભારતના વિકાસમાં મોટુ યોગદાન આપ્યુ છે.

ભારતીય પરંપરામાં અગ્નિ સંસ્કાર દ્વારા અંતિમ વિધી કરવામાં આવે છે તો મુસ્લિમ પરંપરામાં શબને માટીને હવાલે કરી દેવાય છે. જો કે પારસી પરંપરા તેનાથી વિપરીત છે.

Tower of Silence

ભારતમાં પારસી સમુદાયના સૌથી નાનો લઘુમતિ સમુદાય છે. પરંતુ દેશના વિકાસમાં તેમનું યોગદાન ઘણું મોટુ છે. પારસીઓમાં મૃત્યુ પછી અંતિમ સંસ્કાર કરવાની રીત ઘણી અલગ છે.

હિંદુ અને શીખ ધર્મમાં મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. મુસ્લિમો અને ખ્રિસ્તીઓ મૃત શરીરને દફનાવે છે તેવી જ રીતે પારસી ધર્મમાં ન તો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે અને ન તો મૃતદેહને દફનાવવામાં આવે છે.

પારસીઓમાં માન્યતા છે કે મૃત શરીર અશુદ્ધ હોય છે. પારસી ધર્મમાં ધરતી, જળ અને અગ્નિને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, તેથી મૃતદેહોને બાળવા કે દફનાવવા એ ધાર્મિક દૃષ્ટિકોણથી ખોટું માનવામાં આવે છે.

પારસી સમુદાયમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેના મૃતદેહને ટાવર ઓફ સાયલન્સ એટલે કે દખ્મામાં લઈ જવામાં આવે છે. ટાવર ઓફ સાયલન્સમાં મૃતદેહને ખુલ્લામાં છોડી દેવામાં આવે છે અને પ્રાર્થના શરૂ કરવામાં આવે છે.

પ્રાર્થના પછી મૃતદેહને ગીધોના ખાવા માટે છોડી દેવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા પારસી સમુદાયની પરંપરાનો એક ભાગ છે. પારસી ધર્મમાં મૃતદેહને સળગાવવા અથવા દફનાવવાથી પ્રકૃતિને પ્રદૂષિત માનવામાં આવે છે.

જેમ હિન્દુ ધર્મમાં સ્મશાન છે અને મુસ્લિમ ધર્મમાં કબ્રસ્તાન હોય છે તેવી જ રીતે પારસી ધર્મમાં ટાવર ઑફ સાયલન્સ હોય છે. ટાવર ઓફ સાયલન્સ એક ગોળ સ્થળ છે. જ્યાં મૃતદેહને આકાશમાં ફેંકવામાં આવે છે, ત્યારબાદ ગીધ અને ગરુડ મૃતદેહને ખાય છે.

જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં પારસી લોકો તેમના રિવાજોને છોડી રહ્યાં છે અને અગ્નિદાહથી અંતિમ સંસ્કાર કરે છે. આ લોકો મૃતદેહોને ટાવર ઓફ સાયલન્સની ટોચ પર રાખતા નથી પરંતુ તેને હિન્દુ સ્મશાનગૃહ અથવા ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં લઈ જાય છે.

રતન ટાટાના મૃતદેહને સાંજે 4 વાગ્યે મુંબઈના વરલીમાં ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં રાખવામાં આવશે. અહીં લગભગ 45 મિનિટ સુધી પ્રાર્થના થશે ત્યારબાદ અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂર્ણ થશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X