Ratan Tata Funeral : ન અગ્નિ સંસ્કાર અને ન દફનવિધી, જાણો કેવી રીતે થાય છે પારસીઓના અંતિમ સંસ્કાર?
Parsi Funeral : ભારતના અંગ્રણી ઉદ્યોગપતિ અને ટાટા સન્સના પુર્વ ચેરમેન રતન ટાટાનું 86 વર્ષે અવસાન થયુ છે. પારસી પરિવારમાં જન્મેલા રતન ટાટાએ ભારતના વિકાસમાં મોટુ યોગદાન આપ્યુ છે.
ભારતીય પરંપરામાં અગ્નિ સંસ્કાર દ્વારા અંતિમ વિધી કરવામાં આવે છે તો મુસ્લિમ પરંપરામાં શબને માટીને હવાલે કરી દેવાય છે. જો કે પારસી પરંપરા તેનાથી વિપરીત છે.

ભારતમાં પારસી સમુદાયના સૌથી નાનો લઘુમતિ સમુદાય છે. પરંતુ દેશના વિકાસમાં તેમનું યોગદાન ઘણું મોટુ છે. પારસીઓમાં મૃત્યુ પછી અંતિમ સંસ્કાર કરવાની રીત ઘણી અલગ છે.
હિંદુ અને શીખ ધર્મમાં મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. મુસ્લિમો અને ખ્રિસ્તીઓ મૃત શરીરને દફનાવે છે તેવી જ રીતે પારસી ધર્મમાં ન તો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે અને ન તો મૃતદેહને દફનાવવામાં આવે છે.
પારસીઓમાં માન્યતા છે કે મૃત શરીર અશુદ્ધ હોય છે. પારસી ધર્મમાં ધરતી, જળ અને અગ્નિને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, તેથી મૃતદેહોને બાળવા કે દફનાવવા એ ધાર્મિક દૃષ્ટિકોણથી ખોટું માનવામાં આવે છે.
પારસી સમુદાયમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેના મૃતદેહને ટાવર ઓફ સાયલન્સ એટલે કે દખ્મામાં લઈ જવામાં આવે છે. ટાવર ઓફ સાયલન્સમાં મૃતદેહને ખુલ્લામાં છોડી દેવામાં આવે છે અને પ્રાર્થના શરૂ કરવામાં આવે છે.
પ્રાર્થના પછી મૃતદેહને ગીધોના ખાવા માટે છોડી દેવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા પારસી સમુદાયની પરંપરાનો એક ભાગ છે. પારસી ધર્મમાં મૃતદેહને સળગાવવા અથવા દફનાવવાથી પ્રકૃતિને પ્રદૂષિત માનવામાં આવે છે.
જેમ હિન્દુ ધર્મમાં સ્મશાન છે અને મુસ્લિમ ધર્મમાં કબ્રસ્તાન હોય છે તેવી જ રીતે પારસી ધર્મમાં ટાવર ઑફ સાયલન્સ હોય છે. ટાવર ઓફ સાયલન્સ એક ગોળ સ્થળ છે. જ્યાં મૃતદેહને આકાશમાં ફેંકવામાં આવે છે, ત્યારબાદ ગીધ અને ગરુડ મૃતદેહને ખાય છે.
જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં પારસી લોકો તેમના રિવાજોને છોડી રહ્યાં છે અને અગ્નિદાહથી અંતિમ સંસ્કાર કરે છે. આ લોકો મૃતદેહોને ટાવર ઓફ સાયલન્સની ટોચ પર રાખતા નથી પરંતુ તેને હિન્દુ સ્મશાનગૃહ અથવા ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં લઈ જાય છે.
રતન ટાટાના મૃતદેહને સાંજે 4 વાગ્યે મુંબઈના વરલીમાં ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં રાખવામાં આવશે. અહીં લગભગ 45 મિનિટ સુધી પ્રાર્થના થશે ત્યારબાદ અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂર્ણ થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
