પવનપુત્ર હનુમાનજી વિષે, 10 અજાણી રોચક વાતો
આજે છે જેઠ મહિનાનો મોટો મંગળવાર. આજના દિવસનું શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વ છે. આજના આ મંગળવારને ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. હનુમાનજીની શક્તિ અને બુદ્ધિના દેવતા છે. વધુમાં સંકટ મોચન હનુમાન તેમના ભક્તોને તમામ બંધનો અને મુશ્કેલીઓથી મુક્ત કરાવે છે.
માટે જ આજના આ પાવન દિવસ પર અમે તમારી માટે હનુમાનજીના જીવનને લગતી 10 રોચક જાણકારી લાવ્યા છે. ભગવાન શિવના 11માં અવતાર મનાતા હનુમાનજીના વાનર સ્વરૂપે ભગવાન રામની સેવા કરી. અને પોતાની શક્તિ અને સામાર્થ્યથી તેમને એક સદ્દભક્ત તરીકે નામના મેળવી.
ત્યારે રામજીના પરમ પ્રિય ભક્ત તેવા બાહુબલિ હનુમાનજીના જીવનની રોચક અને અજાણી વાતો જાણો આ ફોટો સ્લાઇડરમાં. જુઓ આ સ્લાઇડર...

શિવના અવતાર
હનુમાનજી ભગવાન શિવના 11માં અવતાર રુદ્રનું સ્વરૂપ માનવામાં આવે છે. જે અત્યંત બળવાન અને બુદ્ધિમાન છે.

વાનર વંશજ
પણ કેટલીક પૌરાણિક કથાઓમાં મુજબ હનુમાનજી વાનરના વંશજ હતા. જેના કારણે રાજસ્થાનના વિરાટ નગરમાં તેમના વાનર રૂપની પૂજા થાય છે.

માનવ સ્વરૂપ
પણ ગોભક્ત મહાત્મા રામચંદ્ર વીરે એક એવું મંદિર બનાવ્યું છે જેમાં હનુમાનજીના વાનર મુખ વગરની મૂર્તિને સ્થાપિત કરવામાં આવી છે. રાજચંદ્ર વીરે હનુમાનજીની જાતિને વાનર કહી છે પણ શરીરને નહીં.

લંકા દહન
રામચંદ્ર વીરના મત મુજબ હનુમાનજીએ લંકા દહન વખતે વાનર રૂપ ધારણ કર્યું હતું.

ગુસ્સો નથી આવતો
કહેવાય છે કે હનુમાનજીને ગુસ્સો નથી આવતો. માટે જ, જે લોકો સ્વાભાવે ક્રોધી હોય છે તેમને હનુમાનજીની ઉપાસના કરવાનું કહેવામાં આવે છે.
જન્મ

જન્મ
માન્યતા મુજબ હનુમાનજીનો જન્મ આજથી 1 કરોડ 85 લાખ 58 હજાર 112 વર્ષ પહેલા ચૈત્રી પૂર્ણિમાના મંગળવારના દિવસે સવારે 6.03 વાગે થયો હતો.

વ્રજ શરીર
હનુમાનજીને એટલા માટે બજરંગ બલી કહેવાય છે કારણ કે તેનું શરીર વ્રજ જેવું મજબૂત હતું.

અમરત્વ
ધરતી પર ખાલી સાત લોકોને અમરત્વ મળ્યું છે જેમાંથી પવનપુત્ર હનુમાનજી એક છે.

હનુમાન નામ કેવી રીતે પડ્યું?
સૂર્યને ફળ સમજીને ખનાર હનુમાનજી પર ઇંદ્રએ વ્રજથી પ્રહાર કર્યો જેના કારણે તેમની દાઢી એટલે કે હનુ તૂટી ગઇ, માટે તેમને હનુમાનનું નામ મળ્યું.

બ્રહ્મચારી નહીં
કેટલાક પુરાણોમાં ઉલ્લેખ છે હનુમાનજી આજીવન બ્રહ્મચારી નહતા રહ્યા તેમની પત્નીનું નામ સુવરચલા હતું જે સૂર્યની પુત્રી હતી.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
