Republic Day 2025 : 26 જાન્યુઆરીએ ધ્વાજારોહણ થાય કે ધ્વજવંદન? જાણો બન્ને વચ્ચેનો તફાવત
Republic Day 2025 : આજે ભારત તેનો 76મોં પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. આ દિવસે ભારતે દેશનું બંંધારણ અમલમાં મુકીને દુનિયાને પોતાની લોકતાંત્રિક તાકાતનો પરિચય આપ્યો.
26 જાન્યુઆરી આપણી ઓળખનું, આપણા મૂળભૂત અધિકારોનું પ્રતીક છે. ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યું હતું.

ત્રિરંગાના ત્રણ રંગો આપણા અસ્તિત્વની કહાની કહે છે, તેનો આદર કરવો અને તેને યોગ્ય રીતે પ્રદર્શિત કરવું આપણી ફરજ છે. ભારતમાં 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટના રોજ ધ્વજ ફરકાવવાની પરંપરા છે.
જણાવી દઈએ કે, ધ્વજવંદન અને ધ્વજારોહણમાં મોટો તફાવત છે. તમામ ભારતીયોએ આ ફરકને સમજવો જરૂરી છે. પ્રજાસત્તાક દિવસે ધ્વજ ફરકાવવામાં આવે છે ત્યારે તેને ધ્વજવંદન કહેવામાં આવે છે તો 15 ઓગસ્ટના રોજ ધ્વજારોહણ કરવામાં આવે છે.
બન્ને વચ્ચેનો તફાવત
જ્યારે ધ્વજ નીચેથી ઉપર લઈ જઈ ફરકાવવામાં આવે છે ત્યારે તેને ધ્વજવંદન કહેવામાં આવે છે, જે સ્વતંત્રતાનું પ્રતિક છે. સ્વતંત્રતા દિવસે ધ્વજ નીચેથી ઉપર સુધી ખેંચાય છે, જે દર્શાવે છે કે આપણને ઘણી મુશ્કેલીઓ પછી આઝાદી મળી છે.
જ્યારે પહેલાથી બાંધેલા ધ્વજને ધીમે ધીમે ફરકાવવામાં આવે છે તેને ધ્વજવંદન કહેવામાં આવે છે. આ પ્રક્રિયા પ્રજાસત્તાક દિવસે થાય છે અને આપણી બંધારણીય વ્યવસ્થાને પ્રતિબિંબિત કરે છે. 26 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ અને સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન ધ્વજ ફરકાવે છે.












Click it and Unblock the Notifications
