વધુ પડતો અભ્યાસ ખરાબ કરી શકે છે તમારું દિમાગ..!!
ન્યૂયોર્ક, 13 ઓગષ્ટ: અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે ઓછા ભણતરના કારણે મુશ્કેલીથી આજીવિકા કમાતા લોકોમાં મગજની બિમારી હોવાનો ખતરો વધુ રહે છે. પરંતુ વૈજ્ઞાનિકોએ એક નવા સંશોધન બાદ જાણવા મળ્યું છે કે વધુ પડતા ભણતરના કારણે પણ માનસિક બિમારીનો ખતરો થઇ શકે છે.
શોધકર્તાઓનું કહેવું છે કે શોધમાં એવા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમનું ભણતર તેમની નોકરીઓની અપેક્ષા કરતાં ઘણું વધારે છે, તેમનામાં માનસિક તણાવ જેવી બિમારીઓનો ખતરો વધુ જોવા મળ્યો હતો. આ શોધમાં 21 યૂરોપીય દેશોના 16,600 નોકરીયાત લોકો વચ્ચે કરવામાં આવ્યો હતો. શોધમાં સામેલ વ્યક્તિઓની ઉંમર 25 થી 60 વચ્ચે હતી.

માનસિક તણાવનો ખતરો
સાયન્સ સમાચારની વેબસાઇટ 'લાઇવસાયન્સ ડોટ કોમ'ના શોધકર્તા તથા બેલ્જિયમની ઘેંટ યૂનિવર્સિટીના સામાજિક વિજ્ઞાનના પ્રોફેસર પીટ બ્રેકના હવાલેથી કહેવામાં આવ્યું હતું કે 'વધુ શિક્ષિત લોકોમાં માનસિક તણાવનો ખતરો વધુ થવાનું મુખ્ય કારણ એ છે કે પરિભાષાનુસાર તેમને પોતાની નોકરીમાં એવા પડકાર નથી મળતા જેના માટે તેમને શીખેલા પોતાના બધા કૌશલ્યોનો ઉપયોગ કરવો પડે.

માનસિક તણાવનું માપદંડ
શોધકર્તાએ શનિવારે ન્યૂયોર્કમાં થયેલી અમેરિકન સામાજિક સમિતિની બેઠકમાં પોતાનું રિસર્ચ પેપર રજૂ કર્યું હતું. શોધકર્તાઓએ રિસર્ચમાં ભાગ લેનારને પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબના આધારે માનસિક તણાવનું માપદંડ કર્યું હતું.

યોગ્ય વ્યક્તિઓ પર નિર્ભર
બ્રેકે કહ્યું હતું કે તે અપેક્ષાકૃત ઓછી પ્રતિષ્ઠિત નોકરીઓમાં પોતાને જોવે છે, તથા તે મદદ માટે યોગ્ય વ્યક્તિઓ પર નિર્ભર રહે છે. તે મદદ પુરી પાડવામાં સક્ષમ વ્યક્તિઓના બદલ બીજા વ્યક્તિ પાસેથી મદદ માંગે છે, જેના કારણે પણ તેમનામાં માનસિક તણાવનો ખતરો વધી જાય છે.

અભ્યાસ કરતાં નીચા સ્તરની નોકરી
બ્રેકના રિસર્ચ દ્વારા જાણવા મળેલા પરિણામોનું માનીએ તો એવું લાગે છે કે જેમને કેરિયરની શરૂઆતમાં પોતાના અભ્યાસ કરતાં નીચા સ્તરની નોકરી મેળવી છે, તો તેમને થોડા વર્ષોમાં સારી નોકરીની શોધ કરવી જોઇએ. નહીતર તે માનસિક તણાવનો શિકાર બની શકે છે.

માનસિક સ્વાસ્થ્યનો ખતરો
બ્રેકેનું કહેવું છે કે જો શિક્ષાથી મળનાર આર્થિક ટેકામાં નબળાઇ આવે છે તો તેના કારણે પણ વધુ શિક્ષિત લોકોના માનસિક સ્વાસ્થ્યનો ખતરો થઇ શકે છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
