શરદ પૂર્ણિમા પર ખીર બની જાય છે અમૃત, જાણો આની પાછળનુ વૈજ્ઞાનિક કારણ
શરદ પૂર્ણિમાના દિવસે ખીરને આખી રાત ચંદ્રમાની ચાંદનીમાં રાખવામાં આવે છે. જાણો કારણ.
શરદ પૂર્ણિમાનુ ખાસ મહત્વ હોય છે. આ દિવસે ખીરને આખી રાત ચંદ્રમાની ચાંદનીમાં રાખવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે આખી રાત ખીરને ચાંદનીમાં રાખવાથી ખીર અમૃત સમાન બની જાય છે અને આ ખીરનુ સેવન કરવુ આરોગ્ય માટે લાભકારી હોય છે.

અમૃતમયી કિરણો
આ દિવસે આકાશમાંથી અમૃતમયી કિરણોનુ આગમન થાય છે. આ કિરણોમાં ઘણા પ્રકારના રોગો નષ્ટ કરવાની ક્ષમતા હોય છે. આ કિરણોથી બહારના શરીરને લાભ મળે છે તેમ શરીરની અંદરના અંગોને પણ લાભ મળે તેના માટે શરીરને ચંદ્રમાની ચાંદનીમાં રાખીને બાદમાં તેને ખાવામાં આવે છે. આ જ કારણ છે કે શરદ પૂર્ણિમાની રાતે લોકો પોતાના ઘરની છત પર ખીર રાખે છે.

અમૃત સમાન બની જાય છે દૂધ
એમ પણ કહેવાય છે કે આ દરમિયાન ચંદ્ર સાથે જોડાયેલી દરેક વસ્તુ જાગૃત થઈ જાય છે. દૂધ પણ ચંદ્ર સાથે જોડાયેલુ હોવાના કારણે અમૃત સમાન બની જાય છે જેની ખીર બનાવીને તેને ચંદ્રપ્રકાશમાં રાખવામાં આવે છે.

હવામાનમાં ફેરફાર
શરદ પૂર્ણામાથી હવામાનમાં પરિવર્તનની શરૂઆત થાય છે. આ તિથિ બાદ વાતાવરણમાં ઠંડક વધવા લાગે છે. શીત ઋતુનુ આગમન થાય છે. શરદ પૂર્ણિમાની રાતે ખીરનુ સેવન કરવુ એ વાતનુ પ્રતીક છે કે શીત ઋતુમા આપણેે ગરમ પદાર્થોનુ સેવન કરવુ જોઈએ કારણકે આ વસ્તુઓથી ઠંડક મળે છે.

પૌષ્ટિક પદાર્થોનુ સેવન
ખીરમાં દૂધ, ચોખા, સૂકા મેવા વગેરે પૌષ્ટિક વસ્તુઓ નાખવામાં આવે છે કે જે શરીર માટે લાભકારી હોય છે. આ વસ્તુઓના કારણે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. સારુ સ્વાસ્થ્ય મળે છે. આ ખીર જ્યારે પૂર્ણિમાએ બનાવીને ખાવામાં આવે તો તેના ગુણ બમણા થઈ જાય છે.

દમના રોગીઓ માટે અમૃત
દમના રોગીઓ માટે આ ખીર અમૃત સમાન હોય છે. શરદ પૂર્ણિમાની રાતે ચંદ્રમાની ચાંદનીમાં ખીર રાખ્યા બાદ સવારે ચાર વાગ્યા આસપાસ દમના રોગીઓએ ખાઈ લેવી જોઈએ. માટે ડૉક્ટર્સ પણ દમના રોગીઓને ખીર ખાવાની સલાહ આપે છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
