શા માટે કરવામાં આવે છે સાપોની દેવી મનસાની પૂજા?
મનસા દેવી, સાપોની દેવી તરીકે જાણીતાં છે અને તેમની પૂજા ખાસ કરીને બંગાળ અને નોર્થ-ઇસ્ટર્ન રાજ્યોમાં કરવામાં આવે છે. તેઓ એવું માને છે કે માતા મનસા એ છે કે જેઓ પૃથ્વી પરના બધા જ સાપોને નિંયત્રિત કરે છે અને જો કોઇ સાપ કરડે તો તેમની પૂજા કરવાથી સારવાર થઇ જાય છે. આ ઉપરાંતા યશ અને સમૃદ્ધિ માટે પણ માતા મનસાની પૂજા કરે છે.
પૌરાણિક કથન અનુસાર માતા મનસાએ ભગવાન શંકરના પુત્રી છે. તેમજ કેટલાક કહે છે કે તેઓ ઋષિ કશ્યપના પુત્રી છે જે શિવ સાથે જોડાયેલા છે. તે વાસુકીની બહેન અને ઋષિ જરાત્કારુની પત્ની છે. તેમના પિતૃત્વને લઇને ભ્રમ હોવાના કારણે માતા મનસા દેવીએ તમામ હકોથી વંચિત છે જે અન્ય દેવી દેવતાઓનો મળે છે. જે લોકો તેમની પૂજા કરતા હોય અને પછી તેમની પૂજા કરવાનું બંધ કરી દે એ લોકો માટે માતા મનસા દેવી ઘણા જ ખતરનાક છે. તો ચાલો તસવીરો થકી જાણીએ સાપોની દેવી મનસા દેવી અંગે.

પિતૃત્વ અંગે ભ્રમ
પૌરાણિક કથાઓ અનુસાર મનસા દેવીના પિતૃત્વને લઇને અનેક ભ્રમો છે, કેટલાક લોકો એવું માને છે કે તેઓ ઋષિ કશ્યપના પુત્રી છે, કેટલાક એવું માને છે કે તેઓ ભગવાન શિવના પુત્રી છે. પરંતુ એક બહુ પ્રચલિત સ્ટોરી એ છે કે તેમનો જન્મ ઋષિ કશ્યપના મગજથી થયો હતો અને તેથી તેમનું નામ મનસા રાખવા આવ્યું, જેનો અર્થ થાય છે, મગજમાંથી જન્મેલા.

પતિ દ્વારા તરછોડાયા
પુરાણો અનુસાર દેવી મનસાના લગ્ન ઋષિ જરાત્કારુ સાથે કરવામા આવ્યા હતા, જે સમયે તેમણે એક શરત મુકી હતી. જરાત્કારુએ કહ્યું હતું કે, જો મનસા જો ક્યારેય પણ તેમનો અનાદર કરશે તો તેઓ મનસા છે છોડી દેશે. એક વાર દેવી મનસાને જરાત્કારુને ઉઠાડવામાં મોડું થઇ ગયું અને જેના કારણે જરાત્કારુ સવારની પ્રાર્થનામાં મોડા પડ્યાં. જેના કારણે તે ઘણા જ ગુસ્સે ભરાયા અને તેમણે મનસાને તરછોડ્યા. બાદમાં તેઓ ફરી એક થયા અને તેમના અસ્તિકા નામનો પુત્ર થયો હતો.

શક્તિશાળી દેવી
માતા મનસાને સાપોની દેવી માનવામાં આવે છે. બંગાળના સ્થાનિકો અનુસાર મનસાએ એકવાર ભગવાન શિવને ખતરનાક ઝેરથી બચાવ્યા હતા. તેઓ પોતાના ભક્તોને ઘણો જ પ્રેમ કરે છે અને જે તેમની પૂજા કરવાનું અવગણે છે તેમના પર તે પ્રકોપ પણ કરે છે.

સાપોની દેવી
મનસાને સાપોની દેવી કહેવામાં આવે છે, તેઓ એક કમળ પર બેસે છે, જે સાત કોબરાથી ઘેરાયેલા હોય છે.

કયારે કરવામાં આવે છે પૂજા
દેવી મનસાની પૂજા સૌથી વધારે વરસાદના સમયમાં કરવામાં આવે છે. તેમની પૂજા ખાસ કરીને પ્રજનન શક્તિ, સાપના કરડવા અને ચિકન પોક્સ, સ્મોલ પોક્સ જેવા રોગો દરમિયાન કરવામાં આવે છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
