સુપ્રીમ કોર્ટના આ ચૂકાદાથી થશે પાંચ મોટા ફાયદા
ગાંધીનગર, 27 સપ્ટેમ્બર: સુપ્રીમ કોર્ટ દ્વારા રાઇટ ટૂ રિજેક્ટના અધિકારનો ચૂકાદો આપ્યા બાદ કેટલાક પક્ષો તેનું સમર્થન કરી રહ્યાં છે તો કેટલાક પક્ષો વિરોધ કરી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂંટણી દરમિયાન મતદારોને રાઇટ ટૂ રિજેક્ટનો અધિકાર આપવા સંબંધી પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતાં જેડીયૂ અધ્યક્ષ કેસી ત્યાગીએ કહ્યું હતું કે તે આ ચૂકાદાનું સ્વાગત કરે છે.
મતદારોને રાઇટ ટૂ રિજેક્ટનો અધિકાર મળવો જ જોઇએ. આ સાથે જ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવલે પણ આ ચૂકાદાનું સ્વાગત કર્યું હતું. તો બીજી તરફ પ્રવક્તા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે તે આ અંગે ચૂકાદાનો અભ્યાસ કરી તેમની પ્રતિક્રિયા આપશે. જ્યારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે દિલ્હી ખાતે પત્રકારોને જણાવ્યું કે તેમની સરકાર દ્વારા દાગી નેતાઓને ટીકીટ નહી આપવા પર લાવવામાં આવેલ વટહુકમ સંપૂર્ણ રીતે બકવાસ છે અને તેને ફાડીને ફેંકી દેવો જોઇએ.
સુપ્રીમ કોર્ટ દ્વારા રાઇટ ટૂ રિજેક્ટનો અધિકાર આપ્યા બાદ તેના એકદમ દૂરગામે પરિણામ સામે આવી શકે છે. જો કે આ ચૂકાદો કેટાલાક રાજકીય પક્ષો માટે માથાનો દુખાવો સાબિત થઇ શકે છે. જો કે રાઇટ ટૂ રિજેક્ટનો અધિકાર મળ્યા બાદ ભારતીય રાજકારણ સ્વચ્છ થઇ જશે એવી આશા વધી જવા પામી છે. આ અધિકાર મળ્યા બાદ થનાર કેટલાક ફાયદાઓ પર એક નજર કરીએ.

આ અધિકાર હાલની સિસ્ટમમાં છે
આ નિર્ણય બાદ જો કોઇપણ ચૂંટણીમાં કેટલાક મતોનો ત્રીસ ટકા મત રાઇટ ટૂ રિજેક્ટ પર કરવામાં આવે છે તો ત્યાં ચૂંટણીને રદ ગણાવીને ફરીથી મતદાન કરવામાં આવશે. જો કે આ અધિકાર હાલની સિસ્ટમમાં છે. પરંતુ તેના માટે મતદારે પોલિંગ બૂથ પર હાજર અધિકારી પાસે જઇને તેને ભરવું પડે છે અને મતપત્રમાં નાખવું પડે છે. વિડંબણા એ પણ છે કે તેની જાણકારી મોટાભાગના મતદારોને હોતી નથી.

ઉમેદવાર પાંચ વર્ષ માટે અયોગ્ય ગણાવવામાં આવશે
આ નિર્ણય બાદ જો એક વખત 30 ટકા નેગેટિવ વોટિંગ થાય છે તો ત્યાં મતદારને નકારી કાઢવાની સાથે તે ઉમેદવાર પાંચ વર્ષ માટે અયોગ્ય ગણાવવામાં આવશે જે ચૂંટણીમાં ઉભા હશે.

રાજકીય પક્ષો યોગ્ય ઉમેદવાર ઉતારશે
રાઇટ ટૂ રિજેક્ટના ડરથી સાચા રાજકીય પક્ષો પર સાચા ઉમેદવારોને ચૂંટણીમાં ઉતારવાની જવાબદારી વધી જશે.

મતોની ટકાવારીમાં વધારો થશે
આ અધિકાર બાદ શક્ય છે કે ચૂંટણીમાં વોટની ટકાવારીમાં પણ વધારો થશે. કારણ કે અત્યાર સુધી મતદારો એટલા માટે વોટ નાખતા ન હતા કારણ કે તેમને નકામા ઉમેદવારને પસંદ કરવાની મજબૂરી હતી. પરંતુ રાઇટ ટૂ રિજેક્ટ અધિકાર મળ્યા બાદ વ્યવસ્થાને બદલવાના હેતુંથી મતોની ટકાવારી વધવાની આશા છે.

ચૂંટણી પંચને ખાસ તૈયારીઓ કરવી નહી પડે
આ ચૂકાદા બાદ ચૂંટણી પંચને ખૂબ તૈયારીઓ કરવી નહી પડે. કારણ કે તેને સ્ટેશન પર રાખવામાં આવેલા મશીનના એક મશીનના છેલ્લા બટન પર તેનું ઓપ્શન આપવું પડશે.
-
Petrol Diesel Price: 15 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! ₹2990 સસ્તું થયું સોનું, જાણો આજની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
PNG New Rule: ઘરમાં પાઈપલાઈન ગેસ અને LPG બંને છે તો સાવધાન! તાત્કાલિક કરો આ કામ, સરકારનો નવો આદેશ લાગુ -
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં પેટાચૂંટણીનું શિડ્યુલ જાહેર, આ 8 બેઠકો પર સૌની નજર, ક્યારે આવશે પરિણામ? -
Weather News: રાજસ્થાનમાં વધશે ગરમી, હિમાચલ-ઉત્તરાખંડ સહિત 6 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
IPL 2026 Tickets: આઈપીએલની ટીકીટ કઈ રીતે કરી શકશો બુક, જાણો કિંમતથી લઈ તમામ જાણકારી -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે?







Click it and Unblock the Notifications
